AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પુરુષોમાં નાની ઉંમરે ટાલિયાપણું કેમ ? ડૉક્ટરે કોને ગણાવ્યા જવાબદાર, જાણો બચવાના રામબાણ ઉપાયો

વધતી ઉંમરે વાળ ખરવા સામાન્ય છે, પરંતુ હવે પુરુષો સમય પહેલા જ ટાલિયાપણાનો શિકાર બની રહ્યા છે. ડૉક્ટરના મતે, પ્રદૂષણ, અપૂરતી ઊંઘ અને કેમિકલ પ્રોડક્ટ્સનો અતિરેક વાળના દુશ્મન સાબિત થઈ રહ્યા છે. જાણો કેવી રીતે શરૂઆતી લક્ષણોને ઓળખીને તમે આ સમસ્યાને અટકાવી શકો છો.

પુરુષોમાં નાની ઉંમરે ટાલિયાપણું કેમ ? ડૉક્ટરે કોને ગણાવ્યા જવાબદાર, જાણો બચવાના રામબાણ ઉપાયો
Image Credit source: TV9 Network
| Updated on: Apr 20, 2026 | 3:46 PM
Share

શહેરી વિસ્તારોમાં રહેતા યુવાનો ઝડપથી બની રહ્યા છે શિકાર; જેનેટિક્સથી લઈને અનહેલ્ધી લાઈફસ્ટાઈલ સુધીના પરિબળો કારણભૂત છે. પુરુષોમાં ઉંમર પહેલા ટાલિયાપણું એક ગંભીર ચિંતાનો વિષય બન્યું છે. ટાલિયાપણું એવી સ્થિતિ છે જેમાં વાળ ખર્યા પછી તે જગ્યાએ ફરી નવા વાળ ઉગતા નથી. આ સમસ્યા પાછળના મુખ્ય કારણો અને તેનાથી બચવા માટેના ઉપાયો પર પ્રકાશ પાડ્યો છે.

ટાલિયાપણું આવવાના મુખ્ય કારણો:

  • જેનેટિક્સ: સૌથી મુખ્ય કારણ આનુવંશિકતા છે. જો પરિવારમાં અગાઉની પેઢીમાં આ સમસ્યા હોય તો તે વારસામાં આવી શકે છે.
  • તણાવ અને લાઈફસ્ટાઈલ: માનસિક તણાવ, અનહેલ્ધી ડાયટ અને અપૂરતી ઊંઘ હોર્મોનલ બેલેન્સ બગાડે છે.
  • ડેન્ડ્રફ અને કેમિકલ્સ: ખોડો, પ્રદૂષણ અને હેર સ્ટાઇલિંગ માટે વપરાતા હાર્શ કેમિકલ પ્રોડક્ટ્સ સ્કેલ્પને નુકસાન પહોંચાડે છે.

ક્યારે સાવધાન થવું? :

  • વાળ ધીમે-ધીમે પાતળા થવા.
  • કપાળના ભાગેથી હેર લાઈન પાછળ જવી.
  • સ્કેલ્પની ત્વચા દેખાવા લાગવી કે વાળ વચ્ચે ખાલી પેચ પડવા.
  • કાંસકા કે નહાતી વખતે અસામાન્ય રીતે વધુ વાળ ખરવા.

સારવાર કેવી રીતે થાય છે?

નિષ્ણાત ડોક્ટરો સૌથી પહેલા સ્કેલ્પની તપાસ કરે છે અને પૌષ્ટિક તત્વો કે હોર્મોન્સની ઉણપ જાણવા ટેસ્ટ કરાવે છે. રિપોર્ટ્સના આધારે દવાઓ, લેસર ટ્રીટમેન્ટ અથવા PRP (પ્લેટલેટ રિચ પ્લાઝ્મા) ઇન્જેક્શન જેવી પદ્ધતિઓ અપનાવાય છે. જો સ્થિતિ ગંભીર હોય તો હેર ટ્રાન્સપ્લાન્ટ કે હેર વિવિંગ જેવી કોસ્મેટિક પ્રોસિજરની સલાહ આપવામાં આવે છે.

બચવા માટેના ખાસ ઉપાયો:

  • આહાર: ફળો, શાકભાજી, ડ્રાય ફ્રૂટ્સ અને સીડ્સનો સમાવેશ કરો. શરીરને હાઈડ્રેટેડ રાખો.
  • સફાઈ: સ્કેલ્પની સફાઈનું ખાસ ધ્યાન રાખો અને સૂર્યના હાનિકારક કિરણો તથા પ્રદૂષણથી વાળને બચાવો.
  • ટેવો: વાળને વધુ પડતા કચકચાવીને ન બાંધો અને હીટ સ્ટાઇલિંગ ટૂલ્સનો ઉપયોગ મર્યાદિત કરો.
  • તણાવ નિયંત્રણ: ફિઝિકલી એક્ટિવ રહો અને પૂરતી ઊંઘ લો.

ડૉક્ટરની ખાસ સલાહ છે કે, જો ગંજાપણાના શરૂઆતી સંકેતો દેખાય તો ઘરેલુ નુસખા પર નિર્ભર રહેવાને બદલે તરત જ એક્સપર્ટની મદદ લેવી જોઈએ, જેથી ડેમેજ કંટ્રોલ કરી શકાય. જો કે, જેની પાછળ જેનેટિક કારણો હોય તેને અટકાવવું મુશ્કેલ હોય છે, ત્યાં હેર ટ્રાન્સપ્લાન્ટ વધુ અસરકારક સાબિત થાય છે.

આખરે વર્ષોની રાહ પુરી થઈ! ભારતને મળી પ્રથમ ડેન્ગ્યુ વેક્સિન, જાણો કોને અને કેવી રીતે મળશે સુરક્ષા કવચ?

Follow Us
વાવ-થરાદ જિલ્લામાં ભારે પવન અને વરસાદે લીધો બે લોકોનો ભોગ
વાવ-થરાદ જિલ્લામાં ભારે પવન અને વરસાદે લીધો બે લોકોનો ભોગ
Breaking news Surat: લંડનમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી!
Breaking news Surat: લંડનમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી!
150 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ; ધંધુકામાં સૌથી વધુ 3.74 ઈંચ વરસાદ
150 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ; ધંધુકામાં સૌથી વધુ 3.74 ઈંચ વરસાદ
આજનું રાશિફળ: અટકેલા નાણાં પરત મળશે અને નોકરીમાં પ્રગતિ થશે
આજનું રાશિફળ: અટકેલા નાણાં પરત મળશે અને નોકરીમાં પ્રગતિ થશે
મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ
મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય
લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી
લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી
સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
g clip-path="url(#clip0_868_265)">