AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શું ખરેખર અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જનર્લ બોઈંગને બચાવી રહ્યું છે ? પાયલોટની ભૂલ હોવાનો કર્યો હતો દાવો

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જનર્લનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. વોલ સ્ટ્રીટ જનર્લ કેપ્ટન સુમિત સભરવાલે ફ્યુઅલ સ્વીચ બંધ કરી હોવાનો અહેવાલ લખવામાં આવ્યો છે.

Breaking News : શું ખરેખર અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જનર્લ બોઈંગને બચાવી રહ્યું છે ? પાયલોટની ભૂલ હોવાનો કર્યો હતો દાવો
Ahmedabad
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2025 | 1:56 PM
Share

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જનર્લનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. વોલ સ્ટ્રીટ જનર્લ કેપ્ટન સુમિત સભરવાલે ફ્યુઅલ સ્વીચ બંધ કરી હોવાનો અહેવાલ લખવામાં આવ્યો છે. દુર્ઘટનાની તપાસ કરી રહેલા અમેરિકન અધિકારીઓને ટાંકીને અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. દાવા મુજબ કો-પાયલોટ ક્લાઈવ કુંદરે કેપ્ટન સુમિતને સવાલ પૂછ્યો હતો. આ ઉપરાંત અહેવાલમાં લખ્યું છે કે કો-પાયલોટે સુમિત પ્રશ્ન પૂછ્યો હતો કે તમે ફ્યુઅલ સ્વીચ કટઓફ કરી ત્યારે પાયલોટ સુમિત શાંત હોવાનું જણાવ્યું છે. તો શું અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જનર્લ બોઈંગને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે ?

અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલનો ચોંકાવનારો દાવો

12 જૂને અમદાવાદમાં એરઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ક્રેશ થવાની ઘટનામાં હવે એક નવી જ થીયરી સામે આવી છે. અમેરિકન મીડિયા સમગ્ર ઘટનાને જાણે નવો જ રંગ દેવાનો પ્રયાસ કરી રહ્યું છે. બોઈંગને બરબાદીથી બચાવવા જાણે ભારતીય પાયલોટને નિશાનો બનાવવાનું શરૂ કરાયું છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ પ્રકાશિત કરતાં કેપ્ટન સુમિત સભરવાલે ફ્યુઅલ સ્વીચ બંધ કર્યાનો આક્ષેપ કર્યો છે. અહેવાલમાં દાવો કરાયો છે કે કોકપીટના રેકોર્ડિંગથી જાણવા મળે છે કે એન્જિનોમાં ફ્યુઅલની સપ્લાય ખુદ ફ્લાઈટના કેપ્ટન સુમિત સભરવાલે જ બંધ કરી હતી. જો કે આ દાવાથી સૌ કોઈ હેરાન છે. અને અમેરિકન તંત્ર બોઈંગને બચાવવા આ કરી રહ્યું હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે.

હજુ થોડા દિવસ પહેલાં જ AAIB દ્વારા સમગ્ર ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કરાયો હતો. જેમાં ક્યાંય પણ એવો દાવો નથી કરાયો કે ફ્યુઅલ સ્વીચ પાયલોટ દ્વારા બંધ કરાઈ હતી. તો આવા આક્ષેપો શા માટે ઊઠી રહ્યા છે તે મોટો સવાલ છે. કેપ્ટન સુમિત સભરવાલ પાસે 15 હજાર 638 કલાકની ઉડાનનો અનુભવ હતો. ઉડાન પહેલાં બન્ને પાયલોટ તપાસમાં ફીટ જણાયા હતા.

બીજી તરફ ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ (FIP) અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના દુ:ખદ દુર્ઘટનાને લગતા પ્રારંભિક તારણો અને જાહેર ચર્ચા અંગે ચિંતા વ્યક્ત કરે છે. કહે છે,” શરૂઆતમાં, અમે તપાસ પ્રક્રિયામાંથી પાઇલટ પ્રતિનિધિઓને બાકાત રાખવા બદલ અમારો અસંતોષ નોંધાવવા માંગીએ છીએ. સંપૂર્ણ, પારદર્શક અને ડેટા-આધારિત તપાસ પહેલાં દોષારોપણ કરવું અકાળ અને બેજવાબદાર બંને છે.”

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">