વલસાડના ડુંગરામાં ખૂબ જ ઓછી કિંમતમાં ખરીદી શકશો ફ્લેટ, જાણો શું છે વિગત
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત
વલસાડ: ગુજરાતના વલસાડમાં પંજાબ એન્ડ સિંદ બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.વલસાડના ડુંગરામાં આવેલી સ્થાવર મિલકત એટલે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.આ મિલકતનું કુલ ક્ષેત્રફળ આ જાહેરાતમાં આપવામાં આવ્યુ નથી.
આ પણ વાંચો- ખેડા જિલ્લાના નડિયાદમાં ખૂબ જ ઓછી કિંમતમાં બંગલો ખરીદી શકશો, જાણો શું છે વિગતો
તેની રિઝર્વ કિંમત 5,58,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 55,800 રુપિયા રાખવામાં આવી છે.બીડ વૃદ્ધિની રકમ 5000 રુપિયા છે.અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 27 ડિસેમ્બર 2023, બુધવારે સાંજે 6 કલાકની રાખવામાં આવી છે. ઇ-હરાજીની તારીખ 28 ડિસેમ્બર 2023,ગુરુવારે બપોરે 12 કલાકથી બપોરે 1 કલાક સુધીની રાખવામાં આવી છે.