AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara Breaking News: વડોદરાના ભાવપુરામાં ભયાનક દુર્ઘટના, વીજપોલ ધરાશાયી થતા 3ના મોત

વડોદરા જિલ્લાના ભાવપુરા વિસ્તારમાં દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. વીજપોલ અચાનક ધરાશાયી થતાં ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.

Vadodara Breaking News: વડોદરાના ભાવપુરામાં ભયાનક દુર્ઘટના, વીજપોલ ધરાશાયી થતા 3ના મોત
| Updated on: Jun 13, 2026 | 12:41 PM
Share

વડોદરા જિલ્લાના ભાવપુરા વિસ્તારમાં દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. વીજપોલ અચાનક ધરાશાયી થતાં ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.

વીજ વાયરોના કામ દરમિયાન બની ઘટના

પ્રાથમિક માહિતી મુજબ ભાવપુરા વિસ્તારમાં હાઈટેન્શન લાઈન માટે કેબલો નાખવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન વીજપોલ અચાનક હલી ગયો હતો અને બાદમાં ધરાશાયી થયો હતો. પોલ પડતાં વીજ પ્રવાહની ઝપેટમાં આવતા અને ગંભીર રીતે દાઝી જતાં ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

પાવર ગ્રીડ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલી રહ્યું હતું કામ

મળતી માહિતી મુજબ આ કામગીરી પાવર ગ્રીડ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ કરવામાં આવી રહી હતી. હાઈટેન્શન લાઈન માટે જરૂરી કેબલ નાખવાની પ્રક્રિયા દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાના કારણે કામદારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

મૃતકો પશ્ચિમ બંગાળના રહેવાસી

અકસ્માતમાં જીવ ગુમાવનારા ત્રણેય શ્રમિકો પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. રોજગારી માટે તેઓ ગુજરાત આવ્યા હતા અને કોન્ટ્રાક્ટ હેઠળ ચાલી રહેલી કામગીરીમાં જોડાયેલા હતા. અકસ્માતના સમાચાર મળતા મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

ઘટનાને લઈને અનેક સવાલો ઊભા

વીજપોલ કેવી રીતે ધરાશાયી થયો અને કામગીરી દરમિયાન સુરક્ષાના ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે મુદ્દે હવે સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકો પણ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી રહ્યા છે.

પોલીસે તપાસ શરૂ કરી

ઘટનાને પગલે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અકસ્માત પાછળની વાસ્તવિક હકીકત જાણવા માટે સ્થળ પરથી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. સાથે જ કામગીરીમાં કોઈ બેદરકારી રહી હતી કે નહીં તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ટેક્નિકલ તપાસ બાદ અકસ્માતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો-  Vadodara Breaking News: વડોદરાના ભાવપુરામાં ભયાનક દુર્ઘટના, વીજપોલ ધરાશાયી થતા 3ના મોત

Follow Us
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
રાજકોટ એરપોર્ટ પર રખડતા ઢોરનો વીડિયો વાયરલ ! જુઓ-Video
રાજકોટ એરપોર્ટ પર રખડતા ઢોરનો વીડિયો વાયરલ ! જુઓ-Video
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળે સરકાર બનાવશે આરોગ્ય-શિક્ષણ મંદિર
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળે સરકાર બનાવશે આરોગ્ય-શિક્ષણ મંદિર
Breaking News : નર્સિંગ વિદ્યાર્થિનીનો આપઘાત જુઓ Video
Breaking News : નર્સિંગ વિદ્યાર્થિનીનો આપઘાત જુઓ Video
Breaking News : અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનાને 1 વર્ષ પૂર્ણ
Breaking News : અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનાને 1 વર્ષ પૂર્ણ
g clip-path="url(#clip0_868_265)">