Vaccination : રાજ્યમાં રસીકરણ પૂરજોશમાં, એક દિવસમાં ત્રણ લાખથી વધુ લોકોનું વેક્સિનેશન

રાજ્યમાં વેક્સિનેશનની કામગિરી પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યમાં ત્રણ દિવસ બાદ શરૂ થયેલા વેક્સિનેશન સેન્ટરો પર વેક્સિન લેવા લોકોની લાંબી લાઈનો લાગી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 9:04 AM

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસ બાદ વેક્સિનેશન સેન્ટરો (Vaccination Center) શરૂ થયા છે. રાજ્યમાં કાલથી 5000 થી વધુ રસીકરણ કેન્દ્રો શરૂ કરાયા છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 3.02 લાખ લોકોનું રસીકરણ થયું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બુધવારે મમતા દિવસના રોજ વેક્સિનેશન કાર્યક્રમ (Vaccination) બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ વેક્સિનનો (Vaccine) પર્યાપ્ત જથ્થાના અભાવે વધુ બે દિવસ વેક્સિનેશન કામગિરી બંધ રાખવાની ફરજ પડી હતી. મહત્વનું છે કે, ત્રણ દિવસ બાદ રસીકરણ કેન્દ્રો ખુલતા વહેલી સવારથી જ લોકોની લાઈનો લાગી હતી.

રાજ્યમાં જિલ્લામાં થયેલા રસીકરણની વાત કરવામાં આવે તો, સૌથી વધુ રસીકરણ અમદાવાદમાં (Ahmedabad) 36,998 લોકોએ વેક્સિન મેળવી હતી. જ્યારે સુરતમાં 18537 લોકોએ વેક્સિન મેળવી હતી. બીજી તરફ વડોદરામાં 13,526 લોકોએ વોક્સિનેશનનો લાભ મેળવ્યો.

છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું રસીકરણ રાજકોટ (Rajkot) શહેરમાં થયું હતું. જેમાં 24 કલાકમાં માત્ર 10,059 લોકોનું જ રસીકરણ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.76 કરોડથી વધુ લોકોનું રસીકરણ થઈ ગયું છે. ઉપરાંત,આજે રવિવારની રજાના દિવસે મોટી માત્રમાં રસીકરણ થાય તેવી શક્યતા છે.

 

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે અમદાવાદ અને સાણંદમાં વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે

Follow Us:
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
g clip-path="url(#clip0_868_265)">