Gujarat : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 4 સેમીનો ઘટાડો નોંધાયો
નર્મદાની જળસપાટીમાં 4 સેમીનો ઘટાડો થયો છે. નર્મદા ડેમની સપાટીની વાત કરવમાં આવે તો હાલ, 4400.94 mcm સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે 23,035 ક્યુસેક પાણીની આવક થઈ હતી.જ્યારે પાણીની જાવક 8,980 ક્યુસેક જેટલી નોંધાય છે.જેને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 4 સેમીનો ઘટાડો થયો છે.ઉલ્લેખનીય છે કે,નર્મદા ડેમની (Narmda Dam) મહત્તમ સપાટી 138.68 મીટર છે.
ઉલ્લેખનીય છે કે,વરસાદી માહોલ વચ્ચે પણ નર્મદા ડેમની (Narmda Dam) સપાટીમાં 4 સેમી નો ઘટાડો નોંધાયો છે. આ સરદાર સરોવર ડેમ દ્વારા આસપાસના અનેક ગામોને પાણી પહોંચાડવામાં આવે છે.ત્યારે ચોમાસાની સિઝન દરમિયાન જ પાણીની જાવક વધતા સપાટીમાં ઘટાડો જોવા મળ્યો છે.નર્મદા ડેમની મહતમ સપાટીની વાત કરવામાં આવે તો 138.68 મીટર છે.
આ પણ વાંચો: RAJKOT : આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો જન્મદિવસ, પીઢ નેતા વજુભાઈ વાળા સાથે કરી મુલાકાત
આ પણ વાંચો: VADODARA : સ્વીટી પટેલના ભાઈએ સ્વીટીના બે વર્ષના પુત્રની કસ્ટડી માટે DGP સમક્ષ અરજી કરી