Vadodara: શિક્ષક દંપતીની અનોખી પહેલ, 20 વર્ષથી શાળામાં જ શાકભાજી ઉગાડી વિદ્યાર્થીઓને ખવડાવે છે

વડોદરાના ડભોઇ તાલુકાની વાયદપુરા પ્રાથમિક શાળામાં પોષક આહારના પ્રયોગને પૂરાં વીસ વર્ષ થયા છે. વાયદપુરા પ્રાથમિક શાળામાંજ બનાવેલી વાડીમાં શાકભાજી ઉછેરીને બાળકોને અંદાજે રૂ.૩.૩૦ લાખથી વધુ કિંમતની લીલી અને તાજી શાકભાજી ખવડાવવામાં આવી છે.

Vadodara: શિક્ષક દંપતીની અનોખી પહેલ, 20 વર્ષથી શાળામાં જ શાકભાજી ઉગાડી વિદ્યાર્થીઓને ખવડાવે છે
શિક્ષક દંપતીનો અનોખો પ્રયોગ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 7:58 PM

વડોદરા (Vadodara)ના ડભોઇ તાલુકાના વાયદપૂરા ગામની સરકારી પ્રાથમિક શાળા (primary school)માં યુવા શિક્ષક દંપતી (Young teacher couple) નરેન્દ્રભાઇ અને સુષ્માબહેને ઘણા વર્ષા પહેલા શાળા પાસે ઉપલબ્ધ જગ્યામાં શાકભાજી (Vegetables) ઉછેરીને નવી પહેલ શરુ કરી હતી. આ શિક્ષક દંપતીએ વિવિધ પ્રકારના મોસમી શાકભાજીથી બાળ ભોજનને વધુ પૌષ્ટિક બનાવવાનો દિશાદર્શક પ્રયોગ શરૂ કર્યો હતો. આ પ્રયોગને વીસ વર્ષ પૂરાં થઈ ગયા છે. જો કે આ શિક્ષક દંપતીએ સૌના સહયોગથી બાળ પોષણ (Child nutrition)નું અનોખું અભિયાન સતત ચાલુ રાખ્યું છે.

શાળાના શિક્ષકોએ આપ્યો સહયોગ

કોરોના કાળમાં જ્યારે બાળકો શાળામાં આવતા ન હતાં ત્યારે પણ ઉછેરેલા શાકભાજી બાળકોના ઘરે પહોંચાડીને શિક્ષક દંપતીએ આ અભિયાનને આગળ ધપાવ્યું છે. શાળામાં જે નવા શિક્ષકો આવ્યા છે તે શિક્ષકો પણ આ પ્રયોગમાં સહયોગ આપી રહ્યા છે.

બે દાયકા પહેલાના સમયને યાદ કરતાં નરેન્દ્રભાઇએ જણાવ્યુ કે, વર્ષો પહેલા શાળા પાસે જગ્યા હતી અને મને બાળકોની મદદથી ચોમાસાં શિયાળામાં શાકભાજી ઉછેરી બાળ ભોજનમાં તેનો ઉપયોગ કરવાનો વિચાર સૂઝ્યો. ત્યારે પાણીની ખાસ સુવિધા અમારી પાસે ન હતી. છતાં આ વિચાર અમલમાં મૂક્યો. આજે તો વાડીનું રક્ષણ થાય તેવી વાડ ફરતે દીવાલ છે. દાતાઓના સહયોગથી પાણીના બોરની વ્યવસ્થા થઈ છે. ગામલોકો પોતાના ટ્રેકટરની મદદથી જમીન ખેડી આપે છે,બિયારણ મેળવવામાં મદદરૂપ બને છે. શાકભાજી વત્તા ઓછા પ્રમાણમાં લગભગ બારેમાસ ઉછેરીએ છે. હું આ પ્રયોગની સફળતામાં યોગદાન આપનારા મારા અન્ય શિક્ષક મિત્રો,દાતાઓ અને ગ્રામજનો સૌનો દિલથી આભાર માનું છું.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

શાળાની વાડીમાં લીલી શાકભાજી વાવી

શાળાની વાડીમાં ઋતુ પ્રમાણે પાલક, મેથી, મૂળા, ગાજર, બીટ, ધાણા ,લસણ, મરચાં, રીંગણ, ટામેટાં, દૂધી, ગલકા, તુવેર, પાપડી, ફલાવર, કોબીજ, લીલી ડુંગળી સહિતના શાકભાજી ઊછેરવામાં આવે છે. બાળકોમાં મોટેભાગે શાકભાજી ખાવાની બાબતમાં અરુચિ ધરાવે છે તેથી તેઓ શાકભાજી ઉમેરીને દાળ ,મુઠીયા જેવી અનોખી વાનગીઓ બનાવે છે જે બાળકો હોંશે હોંશે ખાય શકે. વાનગીઓ સાથે વિવિધ પ્રકારની ચટણીઓ અને સલાડ પણ બાળકોને આપવામાં આવે છે.

મધ્યાહન ભોજનમાં અને આંગણવાડીમાં પીરસાતી વાનગીઓમાં વીસ વર્ષ દરમિયાન શાળાની શાકવાડીમાં ઉગાડેલા વિવિધ પ્રકારના લગભગ ૧૧૦૦૦ કિલોગ્રામ શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શાળાની વાડીમાં ઉછેરીને બાળકોને અંદાજે રૂ.૩.૩૦ લાખથી વધુ કિંમતની શાકભાજી ખવડાવવામાં આવી છે. લગભગ ૧ હજાર કિલોગ્રામ શાકભાજી બાળકોના ઘેર અને દાતાઓ અને શુભેચ્છકોને સૌજન્યના રૂપમાં પહોંચાડી છે.તેમની આ વાડી રાજ્યસ્તરે ધ્યાન ખેંચનારી બની છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં શિક્ષણપ્રધાને કિશોરોમાં વેક્સિનેશનનો પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચોઃ વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર નાખવા માટે નવી નીતિ જાહેર, અસરગ્રસ્ત ખેડૂતોને નુકસાની પેટે વધુ વળતર અપાશે

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">