વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર નાખવા માટે નવી નીતિ જાહેર, અસરગ્રસ્ત ખેડૂતોને નુકસાની પેટે વધુ વળતર અપાશે

જમીનના મૂલ્યાંકન માટે ઓનલાઈન જંત્રીના દરોમાં 10 ટકાનો વધારો કરીને નવી ગણતરી મુજબ વળતર આપવામાં આવશે તેવુ ઊર્જાપ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 4:07 PM

રાજ્ય સરકારે ખેડૂતો (Farmers) માટે મહત્વનો નિર્ણય કર્યો છે. નવી વીજ ટ્રાન્સમિશન (Power transmission) લાઈન અને ટાવર ઉભા કરવા અંગે સરકારે નવી નીતિ (New policy) જાહેર કરી છે. જે મુજબ વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર ઉભા કરવામાં ખેડૂતને નુકસાની થાય તો તેમને વધુ વળતર (Compensation) મળશે.

સરકારે જાહેર કરેલી નવી નીતિ અનુસાર ખેડૂતો અને જમીન ધારકોને જે નુકસાની પેટે વળતર આપવામાં આવતુ હતુ તે વળતરની અંદર વધારો કરવામાં આવ્યો છે. જમીન, પાક કે ફળાઉ વૃક્ષોને નુકસાન થશે તો ખેડૂતોને તેના બદલામાં અગાઉ કરતા વધારે વળતર અપાશે.

અત્યાર સુધી રૉ કોરિડોર માટેની જે જમીનનું વળતર હતુ તે 7.5 ટકા આપવામાં આવતું હતું. જેમાં વધારો કરીને લગભગ ડબલ કરી દેવામાં આવ્યુ છે. હવે ખેડૂતો અને જમીન ધારકોને જમીન મૂલ્યના 15 ટકા વળતર આપવાનું નક્કી કરાયું છે. આ સાથે ઝાડ કે તેની સાથેના અન્ય ઝાડને જે નુકસાન થતુ હતુ તેના માટે પણ વળતરની ચુકવણીમાં વધારો કરવામાં આવ્યો છે.

મહેસુલ વિભાગ દ્વારા 1 ફેબ્રુઆરી 2021ના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તેમાં સુધારો કરવામાં આવ્યો છે અને સુધારેલા પરિપત્ર પ્રમાણે તમામ ખેડૂતોના નુકસાનના વળતરની રકમને વધારવામાં આવી છે. આ સાથે જમીનના મૂલ્યાંકન માટે ઓનલાઈન જંત્રીના દરોમાં 10 ટકાનો વધારો કરીને નવી ગણતરી મુજબ વળતર આપવામાં આવશે તેવુ ઊર્જાપ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું. સરકારે દાવો કર્યો છે કે નવી નીતિના કારણે ટ્રાન્સમિશન લાઈનના ચાલુ કામ અને નવા કામમાં ઝડપ આવશે.

આ પણ વાંચો: રવિ પાકમાં રોગનો પ્રકોપ વધતા ખેડૂતો ચિંતિત, ઉપદ્રવ અટકાવવા કૃષિ નિષ્ણાંતોની ખેડૂતોને આ સલાહ

આ પણ વાંચોઃ રાજકોટના ધોરાજીમાં ધુમ્મસભર્યા વાતાવરણથી પાકને નુકશાન, ખેડૂતો મૂંઝવણમાં મુકાયા

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">