Tapi: પ્રાકૃતિક ખેતી દ્વારા ભીંડાની સફળ ખેતી, ઓર્ગેનિક ભીંડાની ખેતીથી ખેડૂતો બન્યા આત્મનિર્ભર

પહેલા રસાયણ યુક્ત ખેતીમાં એમને એક વીઘામાં 3-4 મણ ભીંડા નીકળતાં હતા, પરંતુ પ્રાકૃતિક પધ્ધતિથી ખેતી કરતા એમને એક એક વીંઘા માં દર એક દિવસના અંતે 7 થી 8 મણ ભીંડા ની ઉપજ થાય છે, અને બજારમાં પણ નફો સારો એવો મળી રહે છે.

Tapi: પ્રાકૃતિક ખેતી દ્વારા ભીંડાની સફળ ખેતી, ઓર્ગેનિક ભીંડાની ખેતીથી ખેડૂતો બન્યા આત્મનિર્ભર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2023 | 7:30 PM

તાપી જિલ્લાના ખેડૂતો હવે ઓર્ગેનિક રીતે ભીંડાની ખેતી કરી મહિને હજારો રૂપિયાની કમાણી કરી રહ્યા છે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરમાં એક વીઘામાં આંતરે દિવસે 7થી 8 મણ ભીંડાની ઉપજ મેળવી રહ્યા છે અને ઓર્ગેનિક રીતે ખેતી કરતા ખેડૂતો પગભર થઈ રહ્યા છે.

ખેતીમાં વધારે ઉપજ મેળવવા પહેલા રસાયણયુક્ત ખાતરનો ભરપૂર ઉપયોગ થતો હતો, પરંતુ તેના લીધે જમીન તેમજ ઉપજ ઉપર ઉપર નકારાત્મક અસર પડતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા થાય છે. જોકે આ અંગે મોડે મોડે પણ સભાનતા આવતા હવે ખેડૂતો જૈવિક ખેતી તરફ વળ્યા છે તાપી જિલ્લાના ખેડૂતો હાલમાં જૈવિક ખેતી દ્વારા ભીંડાની મબલખ કમાણી કરી રહ્યા છે. સોનગઢ તાલુકાના ઉખલદા ગામના ખેડૂત મહેસ ચૌધરીએ ભીંડાની સફલ ખેતી કરી છે અને હવે તેમની પહેલને અનુસરીને અન્ય ખેડૂતો પણ ભીંડાની ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે.

આ પણ વાંચો: Dahod: સ્માર્ટ સિટી પ્રોજેક્ટની થઈ સમીક્ષા, રૂપિયા 459. 49 કરોડના 12 પ્રોજેક્ટ પૂર્ણ

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

તાપી જિલ્લામાં ખેડૂતો ઓર્ગેનિક ભીંડાની ખેતીથી કરે છે મબલખ કમાણી

તાપી જિલ્લામાં પણ હવે ખેડૂતો ધીમે ધીમે સંબંધિત વિભાગના માર્ગદર્શન હેઠળ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે, ભીંડાનો હબ ગણાતા વ્યારા, વાલોડ, ડોલવણ અને સોનગઢના ખેડૂતો હવે ભીંડાની ખેતી ઓર્ગેનિક રીતે કરીને જબરદસ્ત નફો મેળવી રહયા છે. ભીંડા જેવા શાકભાજી પકવતા ખેડૂતો હવે રાસાયણિક ખાતરોની પદ્ધતિઓ છોડીને પરંપરાગ ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી સારોએવો નફો કમાઈ રહ્યા છે. ઓર્ગેનિક રીતે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખેતી કરતા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં ઉખલદા ગામના ખેડૂત મહેશભાઈ ચૌધરીનો સંપર્ક કરી તેમના ખેતરે ઉભેલ ભીંડાની ખેતી જોઈ નિહાળી તેમના અનુભવો જાણી રહ્યા છે.

ખેતી ઉપર જ સંપૂર્ણપણે નિર્ભર એવા તાપી જિલ્લાના ખેડૂતો ખેતીક્ષેત્રે અવનવી ટેકનોલોજી અને પદ્ધતિઓનો ઉપયોગ કરતા આવ્યા છે, અને તે માટે ખેતીવાડી, આત્મા , બાગાયત વિભાગ સહિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તેમને તાલીમ સહિત ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવામાં આવે છે, ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે તે અંગે પણ સરકારની સૂચનાથી સંબંધિત વિભાગે કમર કસી કામગીરી કરી રહ્યું છે.

ઓર્ગેનિક ભીંડાની ખેતીથી ખેડૂતો બન્યા આત્મનિર્ભર

તાપી જિલ્લાના ઉખલદા ગામમાં રહેતા ખેડૂત મહેશભાઈએ ભીંડાની ખેતીમાં ઓર્ગેનિક રીત અપનાવીને ભીંડા માંથી સારી એવી ઉપજ મેળવી છે. તેજ રીતે નીતાબેન પણ ભીંડા પકવીને પરિવારજનોને મદદરૂપ થવાનો ગર્વ અનુભવી રહ્યા છે, પહેલા આ વિસ્તારમાં ઘઉં અને ડાંગરની પુષ્કળ ખેતી થતી હતી, રસાયણ યુક્ત આ ખેતીમાં જમીનની ગુણવત્તા પર વિપરીત અસર થવાને લઈને પાકોનો ઉતાર પણ ઓછો મળતા ખેડૂતોની આવક પર પણ તેની સીધી અસર જોવા મળતી હતી, પરંતુ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માર્ગદર્શન અને તાલીમ બાદ ખેડૂતો હવે શાકભાજીના પાક તરફ વળી તેમાંથી ઓછા સમયમાં સારી ઉપજ લઈને વધુ પૈસા કમાઇ રહ્યા છે.

આ અંગે ખેડૂતે વધુમાં જણાવ્યું કે, તેમણે સૌપ્રથમ એક વિધા જમીનમાં ઓર્ગેનિક ભીંડાની ખેતી કરવાનું શરૂ કર્યું, જેમાં તેમને બિયારણ ખેતરમાં નાખ્યાં નાં 40 થી 45 દિવસમાં ભીંડાના છોડમાં ફળ આવવાનાં શરૂ થઈ ગયા , પહેલા રસાયણ યુક્ત ખેતીમાં એમને એક વીઘામાં 3-4 મણ ભીંડા નીકળતાં હતા, પરંતુ પ્રાકૃતિક પધ્ધતિથી ખેતી કરતા એમને એક એક વીંઘા માં દર એક દિવસના અંતે 7 થી 8 મણ ભીંડા ની ઉપજ થાય છે, અને બજારમાં પણ નફો સારો એવો મળી રહે છે.

હાલ એક મણ ભીંડાનો ભાવ રૂપિયા 800 થી 1100 સુધીનો

તાપી જિલ્લામાં હાલ તેમને 800 થી 1100 સુધીનો એક મણનો ભાવ મળી રહે છે. જેથી ખેડૂતોના ઘરની આર્થિક પરિસ્થતિ સુધરી રહી છે. અને ધીમે ધીમે તાપી જિલ્લાના ખેડૂતો રસાયણ યુક્ત ખેતી થી મુક્ત થઈ ઓર્ગેનિક પદ્ધતિની ખેતી તરફ વળી લોકસ્વાસ્થયની જાળવણી ની સાથે સારી આવક મેળવી પગભર થઈ રહ્યા છે.

 વિથ ઇનપુટ, નિરવ કંસારા, ટીવી9 તાપી

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">