AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tapi : જગતના તાતને મળશે રાહત ! ડાંગરના પાકને નુકસાન થતા ખેડૂતોએ સરકાર પાસે કરી સહાયની માગ, જુઓ Video

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ટૂંક સમયમાં મોટા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે, ત્યારે તાપી જિલ્લાના ખેડૂતો આશાભરી નજરે તેની રાહ જોઈ રહ્યા છે. તાપી જિલ્લામાં કમોસમી વરસાદે ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે,

Tapi : જગતના તાતને મળશે રાહત ! ડાંગરના પાકને નુકસાન થતા ખેડૂતોએ સરકાર પાસે કરી સહાયની માગ, જુઓ Video
Tapi Image Credit source: Whisk AI
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2025 | 2:36 PM
Share

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ટૂંક સમયમાં મોટા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે, ત્યારે તાપી જિલ્લાના ખેડૂતો આશાભરી નજરે તેની રાહ જોઈ રહ્યા છે. તાપી જિલ્લામાં કમોસમી વરસાદે ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે સરકાર તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરીને તેમને આર્થિક સહાય દ્વારા ફરીથી પગભર થવામાં મદદ કરે.

કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે, અને તાપી જિલ્લો પણ તેની અસરથી બાકાત નથી. તાપી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલી ભારે નુકસાનીનો સર્વે સરકારી આદેશથી ખેતીવાડી વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવ્યો છે. આ સર્વેની કામગીરીમાં સ્થાનિક સ્તરે સરપંચ અને ગ્રામસેવકોએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વ્યારા તાલુકાના ચીખલદા ગામની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે, કમોસમી વરસાદ આવ્યા બાદ તરત જ સરપંચ દ્વારા ખેડૂતોને નુકસાન થયેલા ખેતરોના ફોટોગ્રાફ્સ લેવા માટે જાણ કરવામાં આવી હતી. પાણી ભરાયેલા ખેતરોમાં સરપંચ પોતે દોડીને ખેડૂતોના નુકસાનનું નિરીક્ષણ કરી ફોટોગ્રાફ્સ લીધા હતા.

જગતના તાતને મળશે રાહત !

સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો ત્યારે ગ્રામસેવક અને સરપંચ દ્વારા ગામના આઠેક ફળિયામાં ખેડૂતોને જાણ કરવામાં આવી હતી કે તેઓને થયેલા નુકસાન વિશે માહિતી આપે. ખેડૂતોના ખેતર પર જઈને તેમના મોબાઈલ પર ફોટા પાડીને સર્વેની કામગીરી કરવામાં આવી. આ પ્રક્રિયામાં સરપંચ દિવસભર દોડીને તમામ ખેડૂતોને લાભ મળે તે રીતે કાર્ય કર્યું હતું.

ચિખલદા ગામના ખેડૂતોના મતે, આ વિસ્તારમાં 80 ટકા ખેડૂતો ડાંગરનો પાક લે છે, અને તેથી મોટાભાગનું નુકસાન ડાંગરમાં જ થયું છે. ડાંગરના પાકની સાથે સાથે પશુપાલન પણ ખેડૂતો સાથે સંકળાયેલું છે. કમોસમી વરસાદના કારણે ઘાસચારો પણ બગડી ગયો છે, જેનાથી પશુપાલકોની સ્થિતિ પણ અત્યંત કફોડી બની છે.

ખેડૂતોએ જણાવ્યું કે ડાંગરનો પાક તૈયાર કરવામાં દવા, બિયારણ, ખાતર અને ખેડાણ પાછળ મોટો ખર્ચ થાય છે, અને હાલમાં તેના ભાવ પણ વધેલા છે. તેથી, તેઓને થયેલી નુકસાનીના પ્રમાણમાં યોગ્ય વળતર મળવું જોઈએ. ખેડૂતો સરકાર પાસેથી આશા રાખી રહ્યા છે કે, જે ખેડૂતને જેટલા ભાગમાં નુકસાન થયું છે તે મુજબ સરકાર રાહત આપે. તેમની મુખ્ય માંગ છે કે રાહત પેકેજ આ જ મહિનામાં મળી જાય તો સારું, જેથી તેઓ બીજો પાક લઈ શકે અને પોતાના પગ પર ફરીથી ઉભા રહી શકે. તાપીના ચીખલદા ગામના આ ખેડૂતોની માંગ છે કે, સરકાર ઝડપથી રાહત પેકેજ આપે અને સરકારી ધારા ધોરણોથી ઉપર જઈને વિશેષ રાહત પેકેજ જાહેર કરે જેથી તેઓ ફરીથી બેઠા થઈ શકે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">