AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“હનુમાનજી અઢારેય વરણના, તેના કોપી રાઈટ ન હોય!”- સાળંગપુરના શ્રી કષ્ટભંજન મહારાજના નામે કરાયેલી પેટન્ટનો રાજ્યમાંથી ઉઠ્યો વિરોધ

સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા સાળંગપુરના હનુમાનજી મહારાજના નામે પેટન્ટ કરાવવાનો હવે વિરોધ શરૂ થયો છે. જ્યોતિર્નાથ બાપુ સહિત સંત સમાજ દ્વારા આ નિર્ણયની ટીકા કરવામાં આવી રહી છે અને હનુમાનજી પર કોઈ એકનો એકાધિકાર ન હોઈ શકે તેમ જણાવ્યુ છે.

હનુમાનજી અઢારેય વરણના, તેના કોપી રાઈટ ન હોય!- સાળંગપુરના શ્રી કષ્ટભંજન મહારાજના નામે કરાયેલી પેટન્ટનો રાજ્યમાંથી ઉઠ્યો વિરોધ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2026 | 6:05 PM
Share

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ ના વિવિધ દિવ્ય સ્વરૂપો, તેમની અનન્ય ઓળખ અને સાળંગપુર ધામ સાથે સંકળાયેલી આધ્યાત્મિક વિશિષ્ટતાઓને ભાવિ પેઢીઓ સુધી અકબંધ અને સુરક્ષિત રાખવાના શુભ હેતુથી એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર પ્રશાસન દ્વારા હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપો અને કલાત્મક કૃતિઓ માટે વિવિધ બૌદ્ધિક સંપત્તિ (Intellectual Property) હકોની કાયદેસર નોંધણીઓ પ્રાપ્ત કરવામાં આવી છે.આ વિશેષ કાનૂની પ્રક્રિયા અંતર્ગત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના વિવિધ દિવ્ય સ્વરૂપો, વિશિષ્ટ ચિત્રાત્મક અભિવ્યક્તિઓ, સર્જનાત્મક કૃતિઓ તથા ભક્તોમાં અત્યંત લોકપ્રિય બનેલી ‘કિંગ ઓફ સાળંગપુર’ (King of Sarangpur) સહિતના વિવિધ કૉપીરાઇટ (Copyright), ટ્રેડમાર્ક (Trademark) અને અન્ય બૌદ્ધિક સંપત્તિ હકોની નોંધણીઓ સફળતાપૂર્વક મેળવી લેવામાં આવી છે.

ત્યારે સાળંગપુર ધામના હનુમાનજી મહારાજ માટે લેવાયેલા આ કોપીરાઈટનો રાજ્યભરમાંથી વિરોધ શરૂ થયો છે અને તેને સનાતન ધર્મ વિરોધી ગણાવવામાં આવ્યુ છે. કેટલાક સનાતની ભક્તોનું કહેવું છે કે ભગવાન પર કોપીરાઈટ ન હોઈ શકે અને ભગવાન સૌના છે. જેના લીધે અમુક શ્રદ્ધાળુઓ આ ઘટનામાં જોડાયેલા લોકો સામે કડક પગલાં લેવાની પણ માગ કરી રહ્યા છે.

વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશને હનુમાનજી મહારાજ પર કોપીરાઈટનો વિરોધ કર્યો છે. વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન રાવલે સાળંગપુરધામના હનુમાનજી પર કોપીરાઈટ ને વખોડ્યો છે. તેમણે કહ્યુ ભગવાનની આસ્થા કોઈ એક સંપ્રદાયની જાગીર ન હોઈ શકે. ભગવાન પર ભક્તોનો અધિકાર છે કોઈ ટ્રસ્ટનો નહીં. ભગવાન કોઈ કોર્પોરેટ સંપત્તિ કે ખાનગી જાગીર નથી. ભગવાનના અલગ-અલગ સ્વરૂપો છે, તેનુ કોપીરાઈટ ન લઈ શકાય. કોપીરાઈટ મામલે કાયદાકીય લડત આપવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે.

આ તરફ જ્યોતિર્નાથ બાપુએ પણ સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા લેવાયેલા આ પગલાનો વિરોધ કર્યો. તેમણે જણાવ્યુ કે સંપ્રદાયવાળા સનાતન વિરોધી છે. દેવી દેવતાઓના અપમાન કરવા ટેવાયેલા છે તો હનુમાનજીના નામે પેટન્ટ શા માટે કરાવે છે, હનુમાનના નામે રોટલા શેકવા માટે,રામને પણ દાસ બતાવવાની કોશિશ બાદ હવે કોપીરાઈટ ના મુદ્દે તેઓ સ્વામીનારાયણ સંપ્રદાયને જવાબ આપશે.

Plane Crash: “એક આહ ભરી હોગી, હમને ન સુની હોગી..જાતે જાતે તુમને…” ચીસો.. ચિત્કાર… અને 1000 ડિગ્રી કરતા પણ વધુ તાપમાનમાં ભડથુ થઈ ગયા 260 મૃતદેહો

Follow Us
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
દમણમાં ઊછળ્યા 10 ફૂટ ઊંચા મોજા, પ્રવાસીઓને દરિયાકિનારે ન જવા સૂચના
દમણમાં ઊછળ્યા 10 ફૂટ ઊંચા મોજા, પ્રવાસીઓને દરિયાકિનારે ન જવા સૂચના
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર
હવામાન વિભાગે સાંજના 7 વાગ્યા સુધી જાહેર કર્યું નાઉકાસ્ટ
હવામાન વિભાગે સાંજના 7 વાગ્યા સુધી જાહેર કર્યું નાઉકાસ્ટ
નવજાત બાળકની માતા શકુંતલા વસાવાને હાઈકોર્ટમાંથી મળ્યા જામીન
નવજાત બાળકની માતા શકુંતલા વસાવાને હાઈકોર્ટમાંથી મળ્યા જામીન
અમેરિકામાં ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત, જુઓ Video
અમેરિકામાં ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત, જુઓ Video
5 સિસ્ટમ સક્રિય, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
5 સિસ્ટમ સક્રિય, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
માંજલપુર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત, યોગેશ પટેલની ખાલી સીટ પર મતદાન
માંજલપુર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત, યોગેશ પટેલની ખાલી સીટ પર મતદાન
નવસારીમાં રસ્તાની વચ્ચો વચ પડ્યો મસ મોટો ભૂવો
નવસારીમાં રસ્તાની વચ્ચો વચ પડ્યો મસ મોટો ભૂવો
મોતનો કૂવો બની ખુલ્લી ગટર, જુઓ CCTV ફૂટેજ
મોતનો કૂવો બની ખુલ્લી ગટર, જુઓ CCTV ફૂટેજ
g clip-path="url(#clip0_868_265)">