ભૂલ એકવાર હોય કે વારંવાર? શિવ શંકર, શ્રીકૃષ્ણ, વિષ્ણુ, હનુમાનજી સહિત શંકરાચાર્ય અને શક્તિની ભક્તિ પર સવાલ ઉઠાવનારાઓએ જલારામ બાપાને પણ ન છોડ્યા
છેલ્લા બે દિવસમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશના નિવેદનથી ભારે રોષનો માહોલ છે, આ સ્વામીએ સૌરાષ્ટ્રના વિરપુરના ધામના સંત શિરોમણી જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી વધુ એક વિવાદનો મધપૂડો છેડી દીધો છે. આજે સ્વામીઓના આવા જ વિવિધ બફાટ અંગે જણાવશુ.

શિવ શંકર, શ્રીકૃષ્ણ, વિષ્ણુ, હનુમાનજી સહિત અનેક દેવી દેવતાઓ અને શંકરાચાર્યોની શક્તિ તેમજ ભક્તિ પર સવાલ ઉઠાવનારા સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાક બની બેસેલા સંતો છાશવારે હિંદુઓની આસ્થા પર ચોટ કરતા આવ્યા છે. જો કે આ પ્રથમવાર નથી. સ્વામી નારાયણ સંપ્રદાયના કેટલાક સ્વામી દ્વારા સમયાંતરે હિંદુ દેવી દેવતાઓ અંગે વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવ્યા છે. આ નિવેદનો સોશિયલ મીડિયા, ભાષણો અને સભાઓમાં ચર્ચાનો વિષય બન્યા છે. ક્યાંથી શરૂ થયો જલારામ બાપાને લઈને વિવાદ ગુજરાતમાં આજકાલ એક સ્વામીના નિવેદનથી કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે. સૌપ્રથમ વાત કરીએ નિવેદનની. સુરતમાં વડતલા સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશે વીરપુરના જલારામ બપાને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરતા માહોલ ગરમાયો છે. સ્વામી નારાયણના સંત સ્વામી જ્ઞાન પ્રકાશે સુરતના અમરોલી સ્થિતિ ભક્તિબાગ કોસાડના સત્સંગમાં જલારામ બાપા અંગે કરેલા બફાટનો વીડિયો વાયરલ થયો હતો. સ્વામી જ્ઞાન પ્રકાશે આ સત્સંગમાં જણાવ્યુ...