Surendranagar : કોરોનાના ગ્રહણ બાદ ઘઉંની ધીમી ખરીદી અને પૂરતા ભાવ નહિ મળતા ખેડૂતોમાં રોષ

ખેડુતો રોજ સવારથી સાંજ સુધી ઘઉં વેચવા ટ્રેક્ટરની લાઇનો લગાવે છે, પરંતુ સાંજ સુધી ખરીદી ધીમી હોવાના લીધે વારો આવતો નથી અને ખેડુતો પરેશાન થાય છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 10, 2021 | 8:06 PM

Surendranagar : સમગ્ર ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન માર્કેટિંગ યાર્ડ (Marketing Yard) બંધ રહેતા ખેડુતોના ઘઉં પડી રહયા હતા. તેમજ વાવાઝોડાના કારણે પણ સુરેન્દ્રનગર જીલ્લામાં ખેડુતોને ખાસુ નુકસાન વેંઠવું પડ્યું હતું. જીલ્લામાં નવ તાલુકામાં માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી પરંતુ ખેડુતોના નમુનાઓમાં ખામીઓ કાઢી અને ધીમી ખરીદી કરતા અને પૂરતા ભાવ નહિ મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

લાંબા સમય માર્કેટિંગ યાર્ડ બંધ રહ્યા બાદ સરકાર દ્રારા ખેડુતોના ઘઉં ટેકાના ભાવે ખરીદી કરવાનુ શરૂ કરતા ખેડુતોમા આનંદ છવાયો હતો. સુરેન્દ્રનગર જીલ્લામાં વઢવાણ, લખતર, લીંબડી, ચુડા, ધ્રાંગધ્રા, સાયલા, ચોટીલા, મુળી, પાટડી, માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત થતા ખેડુતોએ જરૂરી નોંધણી કરાવી.

વઢવાણ 1249, લખતર 646, લીંબડી 278, ચુડા 567, ધ્રાગધ્રા 444, સાયલા 177, ચોટીલા 27, મુળી 335, પાટડી 32, થઇ કુલ જીલ્લાના 3755 ખેડુતોએ રૂપીયા 395 ના ટેકાના ભાવે ઘઉં ખરીદ કરવા રજિસ્ટ્રેશન કરાવેલ હતું.

પરંતુ સરકાર દ્વારા વઢવાણ 53, લખતર 73, લીંબડી 46, ચુડા 95, ધ્રાગધ્રા 40, સાયલા 42, ચોટીલા 27, મુળી 41, પાટડી 15 ખેડુતોના ઘઉંની ખરીદી કરી કુલ 3755 રજિસ્ટ્રેશન સામે ફકત 417 ખેડુતોના ઘઉ ખરીદ કર્યા હતા. અને ખેડુતોના ઘઉ ખરીદીમાં તંત્ર દ્વારા ઘીમી ખરીદી અને યેનકેન બાહાના બનાવી નમુના ફેલ કરી અને ખેડુતોને પરેશાન કરતા હોવાનો અને પુરતા ભાવ ન આપતા હોવાનો આક્ષેપ ખેડુતો કરી રહ્યા છે.

સરકારના પુરવઠા તંત્ર દ્વારા ખેડુતો પાસેથી રૂપીયા 395 ના ટેકાના ભાવે ખરીદ કરવા 3755 ખેડુતોની નોંધણી કરી અને ફક્ત 417 ખેડુત પાસેથી 31479 કીવીન્ટલ ઘઉંની ખરીદી કરી રૂપીયા 6.21 લાખ 71 હજાર જેવી રકમ ચુકવવાની હતી. પરંતુ હાલ 201 ખેડુતોને રૂપીયા 3.6 લાખ 68 હજાર ચુકવવામાં આવેલ છે અને હજુ 216 ખેડુતોને 3.15 લાખ જેવી રકમ ચુકવવાની બાકી છે.

ખેડુતો રોજ સવારથી સાંજ સુધી ઘઉં વેચવા ટ્રેક્ટરની લાઇનો લગાવે છે પરંતુ સાંજ સુધી ખરીદી ધીમી હોવાના લીધે વારો આવતો નથી અને ખેડુતો પરેશાન થાય છે. મોંઘા ભાવના બિયારણ અને ઘઉં પકવવા ખેડૂતોએ કરેલી કાળી મહેનત માથે ન પડે તેથી પોષણક્ષમ ભાવ મળે અને ખરીદ પ્રક્રિયા વધુ ઝડપી બને તેવું ખેડૂતો માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : મંદિરના પૂજારી પાસે અધિકારીઓએ માંગ્યું ભગવાનનું Aadhaar card, કારણ જાણીને ચોંકી જશો

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">