SURENDRANAGAR : ફ્રેન્ડશીપ-ડેની ઉજવણીમાં શિક્ષક સહીત ત્રણ યુવાનો પાણીના ખાડામાં ન્હાવા પડ્યા, એક યુવાનનું મોત
ટંકારામાં ભીમનાથ મહાદેવ નજીક ન્હાવા પડેલા ત્રણ યુવાનોના ડૂબી જાવથી મોત થયા છે.આમ ફ્રેન્ડશીપ ડે દૂધરેજ અને ટંકારામાં યુવાનો માટે કાળ બનીને આવ્યો હતો.
SURENDRANAGAR : સુરેન્દ્રનગરમાં ફ્રેન્ડશીપ ડેની ઉજવણીમાં એક યુવાનને કાળ ભરખી ગયો છે. ફ્રેન્ડશીપ ડે હોવાથીદુધરેજ નજીક કેનાલ પાસે પાણીના ખાડામાં શિક્ષક સાથે ત્રણ યુવાનો ન્હાવા પડ્યા હતા. ત્રણ વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા, જયારે એક વિદ્યાર્થીનું મોત થયું છે. ફ્રેન્ડશિપ ડે હોવાથી શિક્ષક સાથે વિદ્યાર્થીઓ કેનાલ પાસે ફોટા તેમજ સેલ્ફી પાડવા ગયા હતા.મોરબીના ટંકારામાં પણ આવી જ ઘટના સામે આવી છે. ટંકારામાં ભીમનાથ મહાદેવ નજીક ન્હાવા પડેલા ત્રણ યુવાનોના ડૂબી જાવથી મોત થયા છે.આમ ફ્રેન્ડશીપ ડે દૂધરેજ અને ટંકારામાં યુવાનો માટે કાળ બનીને આવ્યો હતો.