AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ચોમાસાની શરુઆત થતા જ રોગચાળાનું પ્રમાણ વધ્યુ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઇન લાગી

સુરતની (Surat) સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) રોજના 140થી વધુ કેસ તાવના નોંધાઇ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગેલી જોવા મળી રહી છે. જેથી સિવિલ પ્રશાસન હરકતમાં આવી ગયું છે.

Surat : ચોમાસાની શરુઆત થતા જ રોગચાળાનું પ્રમાણ વધ્યુ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઇન લાગી
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 06, 2023 | 12:44 PM
Share

Surat : ચોમાસાના (Monsoon 2023) આરંભે વિવિધ પ્રકારની બીમારીના (disease) કેસ વધતા હોવાનું નોંધાઈ છે. જેમાં હાલના તબક્કે સુરતની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) રોજના 140થી વધુ કેસ તાવના નોંધાઇ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગેલી જોવા મળી રહી છે. જેથી સિવિલ પ્રશાસન હરકતમાં આવી ગયું છે. હાલ તો એક અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો છે. સાથે જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર પણ એક્શનમાં આવ્યુ છે.

આ પણ વાંચો- Mehsana: ગુજરાતમાં આવેલું છે એક અનોખું ગામ, જ્યાં એક જ રસોડે જમે છે આખા ગામના લોકો

50 બેડનો અલાયદો વોર્ડ બનાવાયો

ચોમાસાના આગમન સાથે શહેરમાં રોગચાળાએ દસ્તક દીધી છે. ફક્ત સિવિલ હોસ્પિટલમાં જ દરરોજ તાવના 140થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે અને દર્દીઓની લાઈનો લાગી છે. જેને પગલે હોસ્પિટલ પ્રશાસને 50 બેડનો અલાયદો વોર્ડ બનાવી રાખ્યો છે. કિડની બિલ્ડિંગમાં અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સુપરિન્ટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરે કહ્યું હતું. ત્રણ દિવસમાં સિવિલમાં તાવના 416 કેસ નોંધાયા છે.

તાવ,મેલેરિયા જેવી બીમારીઓ વધી

સિવિલમાં તાવ અને મેલેરિયાના કેસ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન 416 કેસ નોંધાયા છે. જેમાં 135, 140 અને ગતરોજ 141 કેસનો સમાવેશ થાય છે. આજ રીતે મેલેરિયાના અનુક્રમે 3, 12 અને 4 કેસ નોંધાયા છે. જ્યારે સ્મીમેરમાં જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના 26, મેલેરિયાના 39, ટાઈફોઈડના 29 અને ગેસ્ટ્રોના 49 દર્દી દાખલ થયા હતા. ત્રણ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં તાવના 416 કેસ નોંધાયા હોય તંત્ર દ્વારા પુરતી સતર્કતા દાખવવામાં આવી રહી છે.

તાવના કેસમાં 10 ટકાનો વધારો

સુરત સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, તાવના કેસમાં 10 ટકાનો વધારો થયો છે. જેના માટે અલાયદો વોર્ડ બનાવી ડોક્ટર અને સ્ટાફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે મેલેરિયા અને બાળકોમાં ગેસ્ત્રોના કેસમાં પણ વધારો થયો છે.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">