Surat : ખટોદરા પાણીની મુખ્ય લાઇનના રીપેરીંગને કારણે બુધવારે શહેરના 70 ટકાથી વધુ વિસ્તારોમાં પાણી પુરવઠાને થશે અસર
બુધવારે (Wednesday )સવારે 8 કલાકે ખટોદરા મેઇન લાઇનની મરામતની કામગીરી શરૂ કરવામાં આવશે. તેથી ઉધના, ચીકુવાડી, ડુમસ, વેસુ, અલથાણ સહિતના સેન્ટ્રલ ઝોનને સાંજનો પુરવઠો મળશે નહીં.
કતારગામથી(Katargam ) આવતી અને ખટોદરા વોટર(Water ) વર્કસને જોડતા ઉધના ખરવર નગર પુલ નજીકથી પસાર થતી 1500 ડાયામીટરની એમએસલાઈનમાં લીકેજ(Leakage ) રિપેર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ વરસાદના કારણે તે યોગ્ય રીતે કામ થયું ન હતું. જેથી આ લાઇનનું રીપેરીંગ હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે 27મી જુલાઇ બુધવારના રોજ શહેરના 70 ટકાથી વધુ વિસ્તારોમાં પાણી પુરવઠો નહીં મળે.એટલું જ નહીં બીજા દિવસે 28 જુલાઇને ગુરુવારે જો ટાંકીઓ સંપૂર્ણપણે નહીં ભરાય તો પાણી કાપની ગંભીર અસર પડી શકે છે.
ખટોદરા પાણી વિતરણ સ્ટેશન પાસે રોકડીયા હનુમાન મંદિર સામેના રોડ પર ખરવર નગર પુલ નીચે તારીખ 5મી જુલાઇના રોજ પીવાના પાણીનો મોટો જથ્થો રોડ પર વહી જતા પાલિકા તંત્ર દોડતું થયું હતું. રસ્તા પર વહેતા પાણીને રોકવાનો પ્રયાસ કર્યા બાદ લીકેજ શોધવાના પ્રયાસો હાથ ધરાયા હતા. જો કે, કતારગામથી 1500 વ્યાસ લાઇન અને ખટોદરા પાણી વિતરણ સ્ટેશનને જોડતી લાઇન પણ અન્ય લાઇન સાથે જોડાયેલ હોવાથી તાત્કાલિક સમારકામ શક્ય બન્યું ન હતું.
શહેરમાં છેલ્લા બે અઠવાડિયા દરમિયાન પડેલા ભારે વરસાદ અને આ સમયગાળા દરમિયાન તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવતા પાણીને કારણે તાપી નદીના પાણીની ગુણવત્તા પણ બગડી હતી. આથી હાઇડ્રોલિક વિભાગે વરસાદ બંધ થતાં તાપી નદીમાં પાણીની ગુણવત્તા સુધરવાની રાહ જોઇ હતી. હવે આગામી દિવસોમાં વરસાદ શરૂ થાય તે પહેલા લીકેજનું સમારકામ કરવું જરૂરી છે. આથી આગામી અઠવાડિયા દરમિયાન બુધવાર, ગુરૂવારે ખટોદર મતદાર વર્કસ પાસે સમારકામ કરવામાં આવશે.
બુધવારે આ વિસ્તારોમાં પાણી નહીં મળે
બુધવારે સવારે 8 કલાકે ખટોદરા મેઇન લાઇનની મરામતની કામગીરી શરૂ કરવામાં આવશે. તેથી ઉધના, ચીકુવાડી, ડુમસ, વેસુ, અલથાણ સહિતના સેન્ટ્રલ ઝોનને સાંજનો પુરવઠો મળશે નહીં. ડીંડોલી અને પાંડેસરામાં પણ પાણી પુરવઠો બંધ રહેશે. આ કામગીરી માટે ઉમરવાડા પાણી વિતરણ સ્ટેશન બંધ રાખવાની સાથે લંબે હનુમાન રોડ, કરંજ, ફુલપરા, એકે રોડ, સ્વામી નારાયણ નગર, સંજય નગર, રાજીવનગર મોમનાની અવરજવરને પણ અસર થશે.