સુરત : ક્લિનસીટીમાં સ્વચ્છના મામલે બેદરકારો સામે મહાનગર પાલિકાની લાલ આંખ, દંડ ફટકારવાનું શરૂ કરાયું

સુરત : વરાછા વિસ્તારમાં આયોજીત ધાર્મિક કાર્યક્રમના આયોજન દરમિયાન આયોજકો દ્વારા રસ્તા પર કચરો નાખવાને કારણે મહાનગર પાલિકા દ્વારા પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકા દ્વારા ફટકારવામાં આવેલા દંડની રસીદ હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે.

સુરત : ક્લિનસીટીમાં સ્વચ્છના મામલે બેદરકારો સામે મહાનગર પાલિકાની લાલ આંખ, દંડ ફટકારવાનું શરૂ કરાયું
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 05, 2024 | 2:27 PM

સુરત : વરાછા વિસ્તારમાં આયોજીત કાર્યક્રમ દરમિયાન આયોજકો દ્વારા સફાઈનું ધ્યાન રાખવામાં ન આવતા રસ્તા પર કચરો નાખવાને કારણે મહાનગર પાલિકા દ્વારા પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકા દ્વારા ફટકારવામાં આવેલા દંડની રસીદ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

કાર્યક્રમ દરમિયાન રસ્તા પર કચરો ફેલાવવામાં આવતાં મહાનગર પાલિકા દ્વારા આયોજકો પાસેથી પાંચ હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં ઈન્દોર સાથે પહેલો ક્રમાંક મેળવવામાં સફળ રહેલા સુરત મહાનગર પાલિકા દ્વારા હવે જાહેર રસ્તાઓ અને સ્થળો પર કચરો ફેંકનારાઓ વિરૂદ્ધ સખ્ત હાથે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

ખાસ કરીને જાહેર રસ્તાઓ પર થુંકનારાઓ વિરૂદ્ધ પણ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે, હાલમાં જ વરાછા ખાતે વૈશાલી રોડ પર આયોજીત એક કાર્યક્રમની રેલી દરમિયાન આયોજકોએ ડીજેના તાલ સાથે રસ્તા પર જ ફટાકડાં ફોડવામાં આવ્યા હતા. રસ્તા પર ઠેર – ઠેર કચરો ફેલાયો હતો.

આ ઘટનાને કારણે વરાછા ઝોનની પાલિકાની ટીમ ત્વરિત હરકતમાં આવી હતી અને કાર્યક્રમના આયોજકો પાસેથી પાંચ હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ ઘટનાને કારણે પાંચ હજાર રૂપિયાના દંડની રસીદ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં પણ મહાનગર પાલિકાની કામગીરીની પ્રસંશા કરવામાં આવી છે. જાહેર રસ્તાઓ પર વિવિધ  આયોજન દરમિયાન ફડાકટાના કારણે કચરો થતો હોવાથી સફાઈ તરફ જાગૃતિ વધારવા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દંડની વસુલાત કરવાના કારણે  કાર્યક્રમો દરમિયાન સફાઈ કામદારો પણ સાથે રાખવામાં આવી રહ્યા છે.

સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આપવામાં આવતા સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી તેમાં ઈન્દોર અને સુરતને સંયુક્ત રીતે ભારતના સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ઈન્દોરે સતત સાતમા વર્ષે આ એવોર્ડ જીત્યો છે. સુરતને પ્રથમ વખત આ સફળતા મળી છે. વધુમાં, નવી મુંબઈને દેશનું ત્રીજું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : શું તમને KYC અપડેટ ન કરવાના કારણે ખાતું બંધ થવાની ચેતવણી મળી છે? જવાબ હા હોય તો વહેલી તકે કરો આ કામ

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">