AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: પી પી સવાણી ગ્રુપ કરાવશે 300 પિતા વિહોણી દીકરીઓના લગ્ન, સમુહ લગ્નોત્સવમાં બનશે એક લાખ લોકોના અંગદાન કરવાના સંકલ્પનો રેકોર્ડ

Surat news: પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી તે દીકરીઓના પાલક પિતા બની ચૂકયા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે.

Surat: પી પી સવાણી ગ્રુપ કરાવશે 300 પિતા વિહોણી દીકરીઓના લગ્ન, સમુહ લગ્નોત્સવમાં બનશે એક લાખ લોકોના અંગદાન કરવાના સંકલ્પનો રેકોર્ડ
પી પી સવાણી ગ્રુપ 300 પિતાવિહોણી દીકરીઓના લગ્ન કરાવશે
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 21, 2022 | 4:21 PM
Share

સુરતમાં ‘વિવાહ પાંચ ફેરાના’, ‘સંબંધ ભવોભવના’, ‘લાગણીના વાવેતર’, ‘વેદના એક દીકરીની’, ‘દિલનો દીવો’, ‘પારેવડી’, ‘લાડકડી’, ‘પાનેતર’, ‘મહિયરની ચૂંદડી’ અને 2012થી શરૂ થયેલી આ પવિત્ર યાત્રામાં હવે ‘દીકરી જગત જનની’ જોડાશે. આ બધા નામ માટે કોઇને પરિચય આપવાની જરૂર નથી બધા જ જાણે છે આ બધા શીર્ષક પીપી સવાણી દ્વારા થતા પિતાવિહોણી દીકરીઓના સમૂહલગ્નના છે. એ રીતે પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી તે દીકરીઓના પાલક પિતા બની ચૂકયા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે. છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત આ સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને આ પ્રકારના અનેક લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા છે.

સવાણી પરિવાર કરાવશે 300 દીકરીના લગ્ન

પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહની શરૂઆત કરનાર પી પી સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૩૦૦ દીકરીઓના લગ્ન આગામી 24 અને 25 ડિસેમ્બર શનિ – રવિવારના રોજ પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે સાંજે 5 વાગ્યે યોજાશે, બંને દિવસે 150-150 લગ્ન થશે આજ સમારોહમાં તારીખ 25 ડીસેમ્બરના રોજ સવાણી પરિવારના બે દીકરા “સ્નેહ રાજુભાઈ સવાણી અને “મોનાર્ડ રમેશભાઈ સવાણી” પણ લગ્નગ્રંથિથી જોડાશે, સેવાના આ યજ્ઞ જેવા ઉદાત્ત કાર્યમાં સહભાગી તરીકે આ વર્ષે પી.પી.સવાણી પરિવાર સાથે જાનવી લેબયોન ગ્રુપનો લખાણી પરિવાર જોડાયો છે.

એક લાખ લોકો લેશે અંગદાનનો સંકલ્પ

“દીકરી જગત જનની”ના નામે આયોજિત આ કાર્યક્રમ અનેક રીતે વિશેષ બનવાનો છે. આજે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પી. પી. સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, આ વર્ષે અમે દિલીપદાદા દેશમુખના અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ, નિલેશભાઈ માંડલેવાલાના ડોનેટ લાઈફ ફાઉન્ડેશન અને પિયુષભાઇ ગોંડલીયાના જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી અંગદાન સંકલ્પનો અનોખો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. જેમાં એક લાખ લોકો અંગદાનનો સંકલ્પ લેશે, અંગદાન અંગે જાગૃતિ માટે અને અંગદાન સંકલ્પ અંગે અમે અગાઉથી જ સહમતી લઇ લીધી છે. સાથે જ આ લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય એવા પરિવારના સભ્યો કરશે જેમના પરિવારમાંથી અંગદાન થયું છે અથવા અંગદાન મેળવ્યું છે. એક સાથે એક સ્થળે એક લાખ લોકો અંગદાનનો સંકલ્પ લેશે એ એક નવો રેકોર્ડ બનશે અને આ એક વધુ સિદ્ધિ સુરતના નામે લખાશે.

1000 બાળકોના શિક્ષણનો સંકલ્પ

તેમણે જણાવ્યુ કે, આ સાથે પિતાની છત્રછાયા ગુમાવનાર હજારો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવનાર પીપી સવાણી પરિવાર એક નવું ક્રાંતિકારી પગલું લેવા જઈ રહ્યા છે. આ અંગે વિગતો આપતા પી.પી. સવાણી પરિવારના રમેશભાઈ અને રાજુભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, CFE-કોટા સાથે મળીને અનાથ, દિવ્યાંગ કે આર્થિક રીતે નબળા પરિવારના 1000 બાળકોને દત્તક લઇને એમને મેડિકલ, એન્જીનીયરીંગ, સીએ જેવી ઉચ્ચ અભ્યાસના પ્રવેશ માટેની પરીક્ષાની તૈયારી કરાવાશે. આ કાર્યક્રમનું લોન્ચિંગ લગ્ન સમારોહ દરમિયાન થશે. એક સાથે આટલા બાળકોને દત્તક લઈને તૈયારી કરાવવાનું કાર્ય પણ ઐતિહાસિક પગલું છે.

મહેશભાઈ સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે કરિયાવર તો આપીએ જ છીએ, સાથે જ લગ્ન પછી પણ દીકરીની તમામ જવાબદારી પણ નિભાવીએ છીએ. ઉલ્લેખનીય છે કે પી.પી. સવાણી પરિવાર પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી દીકરીઓના લગ્ન જ કરાવે છે એવું નથી, પણ એવા પરિવારની શિક્ષણ, આરોગ્યની તમામ જવાબદારી નિભાવે છે. પી.પી. સવાણી પરિવાર સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ સામાજિક કાર્યો કરે છે એ સૌ જાણે છે.

“મુખ્યમંત્રી સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓની હાજરી આ કાર્યક્રમમાં રહેશે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીયમંત્રી પુરષોત્તમભાઈ રૂપાલા, કેન્દ્રીયમંત્રી દર્શનાબેન જરદોષ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી કુબેરભાઈ ડીંડોર, મંત્રી હર્ષભાઇ સંઘવી, મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મંત્રી મુકેશભાઈ પટેલ સહિત અનેક રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

“લગ્ન સમારોહ પુ.પ્રમુખ સ્વામીને અર્પણ આ વર્ષેનો સમગ્ર લગ્ન સમારોહ પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી પર્વને સાદર અર્પણ કરાયો છે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પુણ્ય સ્મૃતિને આ 300 દીકરીઓ અને એમનો પરિવાર વંદન કરશે. સાથે જ આઝાદીના અમૃત મહોત્સવને પણ પીપી સવાણી પ્રેરિત સેવા સંગઠન દ્વારા ચાદ કરાશે.

g clip-path="url(#clip0_868_265)">