Surat : પૂર ઝડપે જઈ રહેલી BRTS બસે વાહનોને અડફેટે લીધા, જુઓ Video
સુરત (Surat) શહેરમાં બીઆરટીએસ અને સીટી બસ ચાલકો દ્વારા અકસ્માતની ઘટના છાસવારે બની રહી છે અને સતત બનતી ઘટનાઓને લઈને અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે, ત્યારે વધુ એક અકસ્માત બનતા લોકોમાં રોષ વ્યાપી ગયો હતો.
સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં વારંવાર BRTS અને સિટી બસના અકસ્માત થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. BRTS અને સિટી બસના કારણે વારંવાર અકસ્માત સર્જાતા હોય છે અને અનેક લોકો તેનો ભોગ બનતા હોય છે. ત્યારે ફરી એક વાર આવી જ એક ઘટના સામે આવી છે. સુરત માન દરવાજા વિસ્તારમાં બીઆરટીએસ બસ દ્વારા ગફલત ભરી બસ ચલાવતા બે કારને અડફેટે લીધી હતી. જેને લઈને ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેને લઈને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતો. 136 નંબરની બસે વાહનોને અડફેટમાં લેતા વાહનોને નુકસાન પહોંચ્યુ હતુ. સદનસીબે કોઈ જાનહાની થઇ નથી.
માન દરવાજા વિસ્તારમાં BRTS બસનો કહેર
સુરત શહેરમાં બીઆરટીએસ અને સીટી બસ ચાલકો દ્વારા અકસ્માતની ઘટના છાસવારે બની રહી છે અને સતત બનતી ઘટનાઓને લઈને અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે, ત્યારે વધુ એક અકસ્માત બનતા લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. સુરતમાં માન દરવાજા વિસ્તારમાં પાલિકા સંચાલિત બીઆરટીએસ બસ ચાલક દ્વારા ગફલત ભરી બસ ચલાવી વાહનોને અડફેટે લીધા હતા અને બે કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વાહનોને ભારે નુકશાન થયું હતું. જેમાં વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને વારંવાર થતા અકસ્માતોના કારણે બસ ડ્રાયવરો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણે કે સતત અકસ્માત ની ઘટનાઓ બને છે અને તેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ છે.
Overspeeding BRTS hits multiple vehicles in #Surat ; no casualties reported#Gujarat #TV9News pic.twitter.com/P6HEaThlhR
— Tv9 Gujarati (@tv9gujarati) December 21, 2022
બસે બે કારને અડફેટે લેતા થયું નુકસાન
સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત BRTS બસ અકસ્માતની સતત ઘટનાઓ સામે આવી રહી છે. છતાં પણ સુરત મહાનગર પાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી આવી સતત ઘટનાઓ બની રહી છે. થોડા દિવસ પહેલા પાંડેસરા રોડ પર બસને કારણે એક બાળકીનું મોત થયું હતું. સુરત મહાનગર પાલિકા ના કમિશનર સતત સુરત શહેરને સ્વચ્છત બનવવા માટે પ્રયાસો કરી રહ્યા છે કે નંબર આવે તો સરકાર સારા વખાણ કરે, પણ સુરત શહેરમાં પાલિકા દ્વારા બીજી કોઈ નક્કર કાર્યવાહી કરવી જરૂરી રહેશે. તેમાં પણ સુરત BRTS બસ અને સીટી બસના ડ્રાયવરોને ચોક્કસ ટ્રેનિંગ આપવી જરૂરી છે.
બે દિવસ પહેલા પણ થયો હતો અકસ્માત
બે દિવસ પહેલા પણ ભેસ્તાનમાં સિટી બસે ટક્કર મારતા યુવકનું મોત નિપજ્યું છે. રોડ ઓળંગી રહેલા યુવકને બસે અડફેટે લેતા ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતુ. જે પછી લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. આ દુર્ઘટના બાદ રોષે ભરાયેલા લોકોના ટોળાએ બસમાં તોડફોડ કરી હતી. જ્યારે પાંડેસરા પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી.