Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : પોલીસે કર્યો લાખો રૂપિયાનો તોડ ! MLA કાનાણીએ સુરત પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ, જાણો કારણ

ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરતના સરથાણા પોલીસ મથક પર 8 લાખ રૂપિયાના તોડનો આરોપ લગાવ્યો છે. કોપીરાઈટ કેસમાં દરોડા દરમિયાન 20 લાખથી વધુનો મુદ્દામાલ ગાયબ થયાનો દાવો કરવામાં આવ્યો છે.

Video : પોલીસે કર્યો લાખો રૂપિયાનો તોડ ! MLA કાનાણીએ સુરત પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ, જાણો કારણ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 19, 2025 | 5:09 PM

ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત પોલીસ કમિશનરને પત્ર લખી આરોપ મૂક્યો છે કે, સરથાણા પોલીસ મથકે 8 લાખ રૂપિયાનો તોડ કર્યો છે. તેમણે આ મામલામાં તોડ કરનારા પોલીસકર્મીઓ સામે કાયદેસર કાર્યવાહી કરીને “તોડબાજ પોલીસકર્મીઓનું સરઘસ કાઢવા”ની માંગ કરી છે.

કોપીરાઈટ કેસમાં ગોડાઉન પર દરોડા અને ભ્રષ્ટાચારનો આક્ષેપ

મુંબઈની જાણીતી ફિનાઈલ કંપનીએ કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ લગાવતા સરથાણા પોલીસે સીમાડા કેનાલ રોડ પર આવેલા આરના એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. અહીંથી 3.31 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હોવા છતાં ધારાસભ્ય કાનાણીના દાવા મુજબ ગોડાઉનમાં 20 લાખથી વધુનો મુદ્દામાલ હતો, જેમાંથી મોટો હિસ્સો ગોડાઉનમાંથી અન્ય સ્થળે ખસેડવામાં આવ્યો હતો.

3 માલિક હોવા છતાં એક સામે જ ફરિયાદ નોંધાઈ

આ કેસમાં આરના એન્ટરપ્રાઈઝના ત્રણ માલિકો હોવા છતાં માત્ર એક માલિક સામે જ FIR નોંધી હતી. આ ઘટના બાદ તોડના 8 લાખ રૂપિયા હેડ કોન્સ્ટેબલ સ્કોડા કારમાં લઈને જતો રહ્યો હતો, એવો આક્ષેપ પણ પત્રમાં કરાયો છે.

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો

પોલીસે ભ્રષ્ટાચાર કરવાના આક્ષેપો

કાનાણીએ પત્રમાં આરોપ મૂક્યો કે, પોલીસે ગલીના ગુંડા જેવો હપ્તો વસૂલ્યો છે અને માલિકોને દબાવીને કરોડો રૂપિયાનું ઉઘરાણું કર્યું છે. તેઓએ સીસીટીવી ફૂટેજ અને ગોડાઉન માલિકોની પૂછપરછ કરાવવા માટે પણ અનુરોધ કર્યો છે, જેથી સત્ય સામે આવી શકે.

2 મહિના બાદ મામલે ઉહાપોહ, DCPને તપાસના આદેશ

તોડકાંડનો વિવાદ વધુ વકરતા 2 મહિના બાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે DCP (ઝોન-1) આલોક કુમારને તપાસના આદેશ આપ્યા છે. DCP આલોક કુમારે જણાવ્યું કે, ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે પેપર અને પુરાવાઓની તપાસ હાથ ધરવામાં આવી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો તોડબાજ પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી થશે.

સીસીટીવી ફૂટેજ ખુલાસો કરી શકે છે

આ સમગ્ર મામલે નહેરવાળી મેલડી માતાના મંદિર પાસેના સરકારી સીસીટીવી ફૂટેજ અને આજુબાજુના ગોડાઉનના સીસીટીવી ફૂટેજ સમગ્ર કાંડને ખુલ્લો પાડવા માટે મહત્વપૂર્ણ પુરાવા સાબિત થઈ શકે છે.

અંતિમ નિર્ણય માટે તપાસ રિપોર્ટની રાહ

હવે તમામ દાવાઓ અને પુરાવાઓની પુષ્ટિ માટે DCP દ્વારા સચોટ તપાસ બાદ રિપોર્ટ રજૂ કરાશે, જેનાથી સમગ્ર મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. વિશ્વના 90 થી 95 ટકા જેટલા હીરા સુરતમાં ઘસાઈને તૈયાર કરવામાં આવે છે. સુરતના અન્ય આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">