Surat : મેહુલ બોઘરા પ્રકરણ બાદ પોલીસ એક્શનમાં, ફરજમાં બેદરકારી બદલ 9 TRB જવાન સસ્પેન્ડ

સુરત શહેરની અંદર અલગ અલગ પોઇન્ટ ઉપર ફરજ બજાવતા ટીઆરબી જવાન દ્વારા જે બેદરકારીઓ દાખવવામાં આવી તે અંતર્ગત સુરત ટ્રાફિક ડીસીપી દ્વારા નવ જેટલા ટીઆરબી જવાનોને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે

Surat : મેહુલ બોઘરા પ્રકરણ બાદ પોલીસ એક્શનમાં, ફરજમાં બેદરકારી બદલ 9 TRB જવાન સસ્પેન્ડ
Surat: In police action after Mehul Boghra case, 9 TRB jawans suspended for dereliction of duty
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 22, 2022 | 1:13 PM

સુરત (Surat )શહેરમાં સરથાણા વિસ્તારમાં થયેલી વિવાદાસ્પદ ઘટના બાદ સુરત પોલીસ (Police ) એક્શન મોડની અંદર જોવા મળી છે. સરથાણા (Sarthana )વિસ્તારમાં વકીલ મેહુલ બોઘરા ની ઘટના બાદ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કડકાઇ વર્તીને અલગ અલગ પોઇન્ટ ઉપર જે બેદરકારી દાખવતા ટીઆરબીના કુલ 9 જવાનોને સુરત ટ્રાફિક પોલીસના અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સુરત શહેરમાં ચર્ચાનો વિષય બનેલ વકીલ મેહુલ બોઘરા દ્વારા ટ્રાફિક પોલીસની હપ્તા વસૂલીના વિડિયો ઉતારી અને ટીઆરબી જવાન સામે જે અભિયાન ઉપાડ્યું હતું. તે અંતર્ગત થોડા દિવસ અગાઉ ટીઆરબીના સુપરવાઇઝર દ્વારા વકીલ મેહુલ બોઘરા સામે મારામારી કરી હતી. તે મામલો સુરત નહીં પણ ગુજરાતના અલગ અલગ શહેરોમાં પણ ગુંજયો હતો અને તેના પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. તેના સમર્થનમાં લોકોએ વિરોધ પણ કર્યો હતો.

ત્યારે આ બાબતે સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત શહેર ટ્રાફિક પોલીસ અધિકારીને આ બાબતે તપાસ સોંપવામાં આવી છે અને તે દરમિયાન સુરત શહેરની અંદર અલગ અલગ પોઇન્ટ ઉપર ફરજ બજાવતા ટીઆરબી જવાન દ્વારા જે બેદરકારીઓ દાખવવામાં આવી તે અંતર્ગત સુરત ટ્રાફિક ડીસીપી દ્વારા નવ જેટલા ટીઆરબી જવાનોને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કેટલાક ટીઆરબી જવાન મોબાઇલ ઉપર ફોન ઉપર વાત કરતા હતા, તો કેટલાક ટીઆરબી જવાન પોઇન્ટ ઉપર હાજર ન હોય અથવા તો કોઈ નાની મોટી બેદરકારીના કારણે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કારણ કે સુરત શહેરની અંદર ટ્રાફિક પોલીસની બેદરકારીના કારણે આજે ગુજરાતની અંદર સુરત પોલીસ નું નામ બદનામ થયું છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

સુરત ટ્રાફિક પોલીસની ઉઘરાણી કોના દ્વારા કરવામાં આવે છે ?

સુરત શહેરમાં ટ્રાફિક પોલીસની માથાકૂટ સતત સામે આવતી હોય છે. ત્યારે ખાસ કરીને ટ્રાફિક પોલીસમાં કેશીયરો ( પોલીસ જવાનો ) મળતીયાઓ મારફતે ઉઘરાણી કરતા હોય છે. જે અધિકારીઓના નજીક ના માણસો હોય છે અને ખાસ કરી ને તે લોકો નોકરી પણ કરતા હોતા નથી. જેમાં ટ્રાફિક શાખામાં સુરેન્દ્ર, જલય, રામ, શૈલૈ્ન્દ્ર, લક્ષ્મણ નામના પોલીસકર્મીઓ અધિકારીઓ માટે ઉઘરાણા કરતા હોવાનું જાણવા મળ્યું છે. વળી આ કેશીયરો પાછા તેના પ્રાઇવેટ માણસોમાં મુખ્ય પન્ટર સમીર નામના યુવક ની ઉઘરાણીથી ઉપર સુધી રૂપિયા પહોંચતા હોય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">