Surat : ગરબે ઘુમતા હૃદયરોગના હુમલાના લક્ષણ જણાય તો સીધા સિવિલ હોસ્પિટલ પહોંચી જજો, નવરાત્રી દરમિયાન તાલીમબદ્ધ ટીમ સારવાર માટે તૈનાત મળશે
Surat : તાજેતરના સમયમાં આવા ઘણા કિસ્સાઓ જોવા મળ્યા છે જ્યારે કોઈ વ્યક્તિ જિમમાં વર્કઆઉટ(Gym Workout) અને ડાન્સ(Dance) કરતી વખતે અચાનક બેભાન થયા પછી તેનું મૃત્યુ થઈ જાય છે. આવી ઘટનાઓ રમત-ગમત(Sports Activity) દરમિયાન પણ સામે આવી છે તો નાની ઉંમરના લોકોમાં આવા કિસ્સા સામે આવી રહ્યા છે જે ચિંતાનું કારણ બની રહ્યા છે.
Surat : તાજેતરના સમયમાં આવા ઘણા કિસ્સાઓ જોવા મળ્યા છે જ્યારે કોઈ વ્યક્તિ જિમમાં વર્કઆઉટ(Gym Workout) અને ડાન્સ(Dance) કરતી વખતે અચાનક બેભાન થયા પછી તેનું મૃત્યુ થઈ જાય છે. આવી ઘટનાઓ રમત-ગમત(Sports Activity) દરમિયાન પણ સામે આવી છે તો નાની ઉંમરના લોકોમાં આવા કિસ્સા સામે આવી રહ્યા છે જે ચિંતાનું કારણ બની રહ્યા છે.
આ સમસ્યા નાની ઉંમરમાં પણ લોકોમાં જોવા મળી રહી છે. તે ખતરનાક પણ છે કારણ કે ઘણા કિસ્સાઓમાં તે કોઈ લક્ષણો દર્શાવતું નથી. યુવા હૈયાઓમાં થનગનાટ લાવતી નવરાત્રી આવી રહી છે ત્યારે આઘટનાઓ અંગે ચિંતા સર્જાઈ છે. સુરતમાં નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકના કિસ્સામાં પેશન્ટો માટે સુરત સિવિલ હોસ્પિટલમાં રાત્રીના સમયે અલગથી ડોકટરોની ટીમ તહેનાત રહેશે.
ગુજરાતમાં હાલમાં વધતા રહેલા હાર્ટ એટેક ના કિસ્સાઓ વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા એક આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. યુવાનોમાં હાર્ટ એટેક ના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે તેવામાં નવરાત્રી દરમિયાન રાત્રિના સમયે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની એક અલગથી ટીમ ઊભી કરવામાં આવી છે જેમાં કોઈ પણ વ્યક્તિ ને ગરબા રમતા હાર્ટ એટેક આવે કોઈ ઇમર્જન્સી સર્જાય તો તાત્કાલિક સારવાર મળી રહેશે.
હાલમાં સતત વધી રહેલા હાર્ટએટેકના કેસો વચ્ચે નવરાત્રી પણ આવી રહી છે. ગરબા રમતા દરમીયાન પણ હાર્ટ એટેક ના કિસ્સો સામે આવ્યા હતા ત્યારે સુરત શહેરમાં નવરાત્રી દરમિયાન કોઈપણ હાર્ટ એટેક નો કિસ્સો સામે આવે તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા એક આગોતરું આયોજન કરવામાં આવ્યું છે .
સુરત સિવિલ હોસ્પિટલમાં એક અલગથી ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની ટીમ તૈયાર કરવામાં આવી છે. નવરાત્રીના રાત્રિ દરમિયાન અને સિવિલ હોસ્પિટલમાં તૈનાત રહેશે તમામ સ્ટાફને મેડિકલ ઇમરજન્સી ની ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે.જેમાં ઇસીજી મશીન સહિત તમામ મશીનરીઓ ચલાવી દર્દીને બચાવી શકાય તે માટેની તમામ ટ્રેનિંગ નર્સિંગ સ્ટાફને પણ આપી દેવામાં આવી છે.
આમ સુરત શહેરમાં નવરાત્રી દરમિયાન ગરબે રમતા રમતા કોઈપણ ને હાર્ટ એટેક આવે તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ પ્રશાસન તંત્ર સજાગ બની અને આગોતરું આયોજન કરી દીધું છે.ગરબા આયોજકો દ્વારા તો મેડિકલ ટિમ તો તહેનાત રાખશે પણ વધારે કોઈ ઇમર્જન્સી થાય તેના માટે સિવિલ હોસ્પિટલ પણ પોતાની તૈયારી હાથ ધરી છે.