Surat : મોટો હાશકારો, કોરોનાએ વિદાય લેતા હવે પહેલી માર્ચથી ટેસ્ટિંગ સિવાયની પ્રવૃત્તિ બંધ કરાશે

મનપા દ્વારા કોરોના મહામારી દરમ્યાન કોન્ટ્રાક્ટ પર લેવાયેલા સ્ટાફને પણ તબક્કાવાર છૂટો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલ મનપામાં વિવિધ કેડરમાં અલગ અલગ સ્થળે 1200 જેટલો સ્ટાફ કોન્ટ્રાક્ટ ૫૨ કાર્યરત છે. જેઓને તબક્કાવાર રજા આપવામાં આવશે.

Surat : મોટો હાશકારો, કોરોનાએ વિદાય લેતા હવે પહેલી માર્ચથી ટેસ્ટિંગ સિવાયની પ્રવૃત્તિ બંધ કરાશે
કોરોનાના કેસો ઘટતા ટેસ્ટિંગ સિવાયની કામગીરી તબક્કાવાર બંધ કરાશે(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 9:02 AM

કોરોનાની(Corona ) ત્રીજી લહેરની સંભવિત સમાપ્તિની સાથે મનપા (SMC) તંત્ર દ્વારા પણ હવે કોવિડ સંબંધિત કામગીરી બંધ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ(Health Department ) દ્વારા કોરોના દરમિયાન કરવામાં આવેલ કામગીરીનું ભારણ 50 ટકાથી પણ વધુ હાલ ઘટાડી દેવાયું છે અને આગામી 1 લી માર્ચથી હેલ્થ સેન્ટરોમાં કોવિડ ટેસ્ટિંગ સિવાયની તમામ પ્રકારની પ્રવૃત્તિ બંધ કરી દેવામાં આવશે.

હાલ પણ સુરત મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી રથ મારફતે શહેરમાં ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવે છે. પ્રતિદિન અંદાજે 7 હજાર જેટલાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે , પરંતુ પહેલી માર્ચથી સંજીવની રથ , ધન્વંતરી રથની સુવિધા બંધ કરવામાં આવશે.

એટલું જ નહીં ત્રીજી લહેર દરમિયાન તાત્કાલિક અસ૨ થી કોન્ટ્રાક્ટ ધોરણે ઊભી કરાયેલ મેનપાવર , મશીનરી પણ છૂટી કરવામાં આવશે . ફક્ત હેલ્થ સેન્ટરો પર કાર્યરત કોવિડ ટેસ્ટ યથાવત રાખવામાં આવશે . ઝોનોમાં સ્થિત કોરોનાના કંટ્રોલરૂમો પણ પહેલી માર્ચથી બંધ કરાશે. જ્યારે વેસુ ખાતે સ્થિત સેન્ટ્રલ કંટ્રોલરૂમ 15 માર્ચ સુધી કાર્યરત રાખવામાં આવશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મનપા દ્વારા કોરોના મહામારી દરમ્યાન કોન્ટ્રાક્ટ પર લેવાયેલા સ્ટાફને પણ તબક્કાવાર છૂટો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલ મનપામાં વિવિધ કેડરમાં અલગ અલગ સ્થળે 1200 જેટલો સ્ટાફ કોન્ટ્રાક્ટ ૫૨ કાર્યરત છે. જેઓને તબક્કાવાર રજા આપવામાં આવશે.

મનપાએ મહામારી દરમ્યાન કરારબદ્ધ કરેલ મેન એન્ડ વોર્ડબોય , આયા , સહીત 444 લોકો કરાર હેઠળ છે , જયારે ફાયર વિભાગમાં 43 જેટલા ડ્રાઈવરો કરાર હેઠળ કાર્યરત છે. કોરોના મહામારી દરમ્યાન કોન્ટ્રાક્ટ હેઠળ થયેલ આ ભરતીમાંથી તબક્કાવાર સ્ટાફ છૂટો કરી કોન્ટ્રાક્ટ પૂર્ણ કરાશે.

શહેરમાં કોરોનાના 7 , ગ્રામ્યમાં 10 કેસ શહેરમાં કોરોનાના કેસોમાં આંશિક વધારો થયો છે . છેલ્લા 24 કલાકમાં શહેરમાં 7 કેસ સામે આવ્યા છે. જે પૈકી માત્ર ત્રણ ઝોનમાં કેસો આવ્યા છે. અન્ય છ ઝોનમાં કેસો આવ્યા ન હતા . રાંદેર ઝોનમાં 03 , અઠવા ઝોનમાં 03 અને વરાછા એમાં 01 કેસ સામે આવ્યા છે. શહેરમાં 27 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. ગ્રામ્યમાં કોરોનાના નવા 10 કેસ સામે આવ્યા છે.

આજે ત્રણ દિવસ બાદ ફરી એક દરદીનું કોરોનાની સારવાર હેઠળ મોત થયું હતું. મહુવામાં 47 વર્ષીય મહિલાનું કોરોનાની બીમારીમાં મોત નીપજ્યું છે. ગ્રામ્યમાં બારડોલી અને માંડવીમાં 03-03 કેસો જાહેર થયા છે . ઓલપાડમાં 02 , માંગરોળ અને ચોર્યાસીમાં 01-01 કેસ બહાર આવ્યા છે. જ્યારે અન્ય ચાર તાલુકામાં એક પણ નવા કેસ સામે આવ્યા નથી . ગ્રામ્યમાં 15 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે .

આ પણ વાંચો :

Surat : નવસારી બજારથી સગરામપુરા સુધીના રસ્તા પર ટ્રાફિક જામનો રસ્તો શોધવા પ્રયાસ

સુરત : એક યુવક અચાનક ગટરમાં પડી ગયો, 12 કલાક સુધી જીવ બચાવવા ગટરમાં મથામણ કરી, જાણો પછી શું થયું ?

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">