Surat : નવસારી બજારથી સગરામપુરા સુધીના રસ્તા પર ટ્રાફિક જામનો રસ્તો શોધવા પ્રયાસ

ભાગળ અને નવસારી બજાર એ ઓલ્ડ સુરતના એવા મુખ્ય માર્ગો છે. જ્યાં પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત છે. અહીં રસ્તાઓ સાંકડા હોવાને કારણે બ્રિજ બનવા કે રસ્તો પહોળો કરવાની કોઈ સંભાવના દેખાતી નથી. ત્યારે જોવાનું એ રહેશે કે શાસકો તેનું નિરાકરણ કેવી રીતે લાવે છે.

Surat : નવસારી બજારથી સગરામપુરા સુધીના રસ્તા પર ટ્રાફિક જામનો રસ્તો શોધવા પ્રયાસ
નવસારી બજારથી સગરમપુરા વિસ્તારમાં ટ્રાફિક જામની કાયમી સમસ્યા (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 10:09 AM

સુરતના (Surat ) નવસારી બજાર ચાર રસ્તાથી સગરામપુરા પુતળી સુધીના રસ્તા પર ટ્રાફિક(Traffic ) જામની વિકટ સમસ્યાને કારણે કાયમી ઉકેલ (Solution ) શોધવાના પ્રયાસરૂપે મેયર , મનપા કમિશનર સહિત અધિકારીઓની ટીમ અને ધારાસભ્ય અરવિંદ રાણાએ સ્થળ વિઝિટ કરી વિવિધ વિકલ્પોની ચકાસણી કરી હતી . જોકે , આ રોડ પર હવે લાઇનદોરી મૂકવાનું સંભવ નથી . કારણ કે , અગાઉ રોડની બન્ને બાજુ લાઇનદોરીનો અમલ થઇ ગયો છે .હવે આ રોડ લાઇનદોરી મૂકીને પહોળો કરવાનું સંભવ જણાતું નથી .

ધારાસભ્ય બન્યા બાદ અરવિંદ રાણા દ્વારા સતત આ રોડનું ટ્રાફિક ઘટાડવાના હેતુથી કાયમી નિરાકરણ માટેની માગણી કરી વિવિધ વિકલ્પો રજૂ થતાં આવ્યા છે . બુધવારે  મેયર , કમિશનર સહિતની ટીમે ધારાસભ્ય અરવિંદ રાણાની સાથે જ સ્થળ વિઝિટો કરી હતી . અંદાજે એકાદ કલાકની મથામણ બાદ પણ નવસારી બજાર ચારરસ્તા સગરામપુરા પૂતળી સુધીના રસ્તા પર ટ્રાફિક જામની વિકટ સમસ્યાનું કાયમી નિરાકરણ આવવાનું કોઇ વિકલ્પ સામે આવ્યો નથી .

ધારાસભ્ય રાણા દ્વારા ટ્રાફિક સમસ્યાના હલ માટે બ્રિજની શક્યતા ચકાસવા પણ રજૂઆત કરી હતી . આ રૂટ પર બ્રિજ શક્ય ન હોવાનો સ્પષ્ટ અભિપ્રાય બ્રિજ સેલ વિભાગે આપ્યો હતો . મેયર સહિતની ટીમે વિવિધ વિકલ્પો ચકાસણીના હેતુ એક બિલ્ડિંગની ટેરેસ પરથી આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ પણ કર્યુ હતું . તે દરમિયાન ગોપીતળાવના પાછળના ભાગે રાવણતાડ વિસ્તારને જોડતો એક રોડ ડેવલપ થઇ શકે તેવી શક્યતા નજરે પડી છે .

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

જેની ફિઝિબિલિટી તપાસવા તંત્રને સૂચના આપવામાં આવી છે . ગોપીતળાવની બાજુમાં સ્થિત અન્ય બે ખુલ્લા પ્લોટો પણ પે એન્ડ પાર્ક માટે અપાશે ગોપીતળાવની બાજુમાં સ્થિત પે એન્ડ પાર્ક સિવાયના અન્ય બે ખૂલ્લા પ્લોટ પણ ગેરકાયદેસર દબાણોને દૂર રાખવાના હેતુથી પે એન્ડ પાર્ક માટે આપવાનું નક્કી કરાયું છે . હાલ ગોપીતળાવની બહાર મલ્ટિલેવલ પાર્કિંગ અને અન્ય એક ખૂલ્લો પ્લોટ ઇજારદારને સોંપવામાં આવ્યો છે . હવે તેની બાજુના અન્ય બે પ્લોટો પર પણ દબાણની સમસ્યા ઊભી થતાં પે એન્ડ પાર્ક માટે આપવાનું નક્કી કરાયું છે .

નોંધનીય છે કે ભાગળ અને નવસારી બજાર એ ઓલ્ડ સુરતના એવા મુખ્ય માર્ગો છે. જ્યાં પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત છે. અહીં રસ્તાઓ સાંકડા હોવાને કારણે બ્રિજ બનવા કે રસ્તો પહોળો કરવાની કોઈ સંભાવના દેખાતી નથી. ત્યારે જોવાનું એ રહેશે કે શાસકો તેનું નિરાકરણ કેવી રીતે લાવે છે.

આ પણ વાંચો :

Surat : ડાયમંડ એસોસિએશનને હોસ્પિટલ, કોલેજ અને હોસ્ટેલ બનાવવા જગ્યાની ફાળવણી કરાશે

સુરત : ગ્રીષ્મા મર્ડર કેસના આરોપી ફેનીલે ગુનો કબૂલવાનો ઇનકાર કર્યો, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">