AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઓરિસ્સાથી ઝડપ્યો

સુરતના કતારગામ વિસ્તારમાં વર્ષ 2017માં ટ્રેન ઉથલાવી પાડવાનો પ્રયાસ કરવાના ગુનામાં ભાગતા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઓરિસ્સાના ગંજામ જિલ્લા ખાતેથી પકડી પાડ્યો છે. આ આરોપી સામે વરાછા પોલીસ સ્ટેશનમાં NDPSના બે ગુનાઓ પણ નોંધાયા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા બાતમીના આધારે ઓરિસ્સાના ગંજામ ખાતેથી આરોપી સચિન ઉર્ફે દિલીપ પાંડી નામના ઇસમની ધરપકડ કરી છે.

Surat: ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઓરિસ્સાથી ઝડપ્યો
Surat Crime Branch Arrest Wanted Accused
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 02, 2023 | 5:40 PM
Share

સુરતના કતારગામ વિસ્તારમાં વર્ષ 2017માં ટ્રેન ઉથલાવી પાડવાનો પ્રયાસ કરવાના ગુનામાં ભાગતા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઓરિસ્સાના ગંજામ જિલ્લા ખાતેથી પકડી પાડ્યો છે. આ આરોપી સામે વરાછા પોલીસ સ્ટેશનમાં NDPSના બે ગુનાઓ પણ નોંધાયા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા બાતમીના આધારે ઓરિસ્સાના ગંજામ ખાતેથી આરોપી સચિન ઉર્ફે દિલીપ પાંડી નામના ઇસમની ધરપકડ કરી છે. આ આરોપી સામે નવેમ્બર 2017માં ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો અને આરોપી 2017થી પોલીસથી બચવા ભાગતો ફરતો હતો.

રેલ્વે લાઈનના પાટા પર મૂકી દીધો હતો અને ટ્રેનને ઉથલાવાનો પ્રયાસ કર્યો હતો

જેમાં  પોલીસે આરોપી દિલીપ પાંડીની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તેને કબુલાત કરી હતી કે, સુરતના અશ્વિનીકુમાર રોડ રેલવે પટરી પાસે ઝૂંપડપટ્ટી આવી છે અને આ ઝુપડપટ્ટીમાં ઓરિસ્સાવાસીઓ રહે છે. આ ઝૂંપડપટ્ટીમાં છૂટકમાં દારૂ અને ગાંજાનું વેચાણ થતું હોવાના કારણે પોલીસ દ્વારા અવાર નવાર ઝુંપડપટ્ટીમાં રેડ કરવામાં આવી આવે છે.ત્યારે આરોપી સચિન પાંડીએ પોતાની ધાક બેસાડવા માટે નવેમ્બર 2017માં રાત્રિના સમયે પોતાના મિત્રો તથા અન્ય રહીશો સાથે મળીને રેલવેના પાટા પર આવેલ લોખંડનો બાંકડો સુરતથી ઉતરાણ તરફ જતા રેલ્વે લાઈનના પાટા પર મૂકી દીધો હતો અને ટ્રેનને ઉથલાવાનો પ્રયાસ કર્યો હતો.

અશોકનગર ઝુપડપટ્ટીમાં ન્યુ રબી ટેલર્સ ની બાજુમાં રૂમ નંબર 58માં ગાંજાનો મુદ્દામાલ સંતાડ્યો

જેમા આરોપીની પૂછપરછ કરતા પોલીસને વધુ માહિતી મળી હતી કે, આરોપીએ પોતાના મિત્રો સાથે મળીને ઓક્ટોબર 2016માં 100 કિલો ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો અને તેને વરાછા અશ્વિનીકુમાર રોડ અશોકનગર ઝૂંપડપટ્ટીના રૂમ નંબર 111માં મુક્યો હતો. વરાછા પોલીસે આ જગ્યા પર રેડ કરીને ગાંજાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારબાદ નવેમ્બર 2016માં આરોપીએ 150 કિલો ગાંજાનો મુદ્દામાલ ગેરકાયદેસર રીતે મંગાવ્યો હતો અને અશોકનગર ઝુપડપટ્ટીમાં ન્યુ રબી ટેલર્સ ની બાજુમાં રૂમ નંબર 58માં ગાંજાનો મુદ્દામાલ સંતાડ્યો હતો.

પરંતુ વરાછા પોલીસે રેડ કરીને ગાંજાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી સામે NDPSનો ગુનો ફરી દાખલ થયો હતો. આમ આરોપી સામે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટના બે ગુના નોંધાયા છે અને કતારગામ પોલીસ સ્ટેશનમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચો : Gandhinagar : આ બજેટ ભારતને આત્મનિર્ભર તરફ આગળ લઇ જનારું, મોદી સરકારના અંતિમ પૂર્ણ બજેટને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">