AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી દ્વારા કમિશનરને રજુઆત, માર્શલની પરીક્ષામાં દલાલોનો એકડો કાઢવા ટોલ ફ્રી નંબર જાહેર કરો

પાલિકાના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં છાશવારે પરીક્ષા માટે રાત - દિવસ મહેનત કરતા ઉમેદવારો સાથે અન્યાયની ફરિયાદો ઉઠવા પામે છે, ત્યારે હવે માર્શલમાં નોકરી અપાવવા નામે પણ કેટલાક દલાલો સક્રિય થઈ ચુક્યા છે.

Surat : વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી દ્વારા કમિશનરને રજુઆત, માર્શલની પરીક્ષામાં દલાલોનો એકડો કાઢવા ટોલ ફ્રી નંબર જાહેર કરો
SMC Opposition leader Dharmesh Bhanderi ( File Image )
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 09, 2022 | 5:26 PM
Share

સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) દ્વારા માર્શલની ભરતી (Recruitment ) પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોને દલાલોથી છેતરાતા બચાવવા માટે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) દ્વારા ટોલ ફ્રી નંબરની જાહેરાત કરવા મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરવામાં આવી છે. હાલમાં જ માર્શલ માટેની પરીક્ષા દરમિયાન એક ઉમેદવારની છાતીનું ખોટી પદ્ધતિથી માપ લેવામાં આવ્યું હોવાના આક્ષેપને પગલે ભારે હોબાળો થયો હતો. જેને પગલે મ્યુનિસિપલ કમિશનરને આ રજુઆત કરવામાં આવી છે.

હાલમાં જ સુરત મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી માર્શલની ભરતી પ્રક્રિયા દરમિયાન વિવાદ ઉભો થયો હતો. પીએસઆઈની પરીક્ષામાં ફીઝીકલ રીતે પાસ થયેલા ઉમેદવારને પ્રાથમિક કક્ષાએ જ રિજેક્ટ કરી દેવામાં આવતાં ભારે હોબાળો મચી ગયો હતો. જેમાં ઉમેદવારની છાતીનું ખોટી પદ્ધતિથી માપ લેવાયુ હોવાનો આક્ષેપ થયો હતો. ત્યારે ફરીથી આવી કોઇ ક્ષતિના કારણે ઉમેદવારને ભોગવવાનું ન આવે તે માટે રજુઆત કરવામાં આવી છે.

તો બીજી તરફ પરીક્ષા સ્થળે ચોક્કસ કોર્પોરેટરોની હાજરીને પગલે પણ વિવાદ ઉભો થયો હતો. આ સંદર્ભે હવે વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી દ્વારા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને રજુઆત કરવા સાથે ઉમેદવારો માટે એક ટોલ ફ્રી નંબર જાહેર કરવાની રજુઆત કરવામાં આવી છે.

આ સંદર્ભે પાલિકાના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં છાશવારે પરીક્ષા માટે રાત – દિવસ મહેનત કરતા ઉમેદવારો સાથે અન્યાયની ફરિયાદો ઉઠવા પામે છે, ત્યારે હવે માર્શલમાં નોકરી અપાવવા નામે પણ કેટલાક દલાલો સક્રિય થઈ ચુક્યા છે.

આ સ્થિતિમાં જો મહાનગરપાલિકા ખરેખર નિષ્પક્ષ અને પારદર્શી પરીક્ષા યોજવા ઈચ્છતુ હોય તો વહીવટી તંત્ર દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરવો જોઈએ. જેના થકી કોઈપણ ઉમેદવારને જો પરીક્ષા દરમિયાન ગેરરીતિ જોવા મળે તો તે ફરિયાદ કરી શકે છે. આ સિવાય નોકરી અપાવવાના નામે સક્રિય થયેલા દલાલોથી બચવા માટે પણ આ ટોલ ફ્રી નંબર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો-SURAT : NGO દ્વારા તારીખ 9 અને 10 એપ્રિલના રોજ અનોખો ગીનીસ બુક ઓફ રેકોર્ડ બનાવવાની તૈયારી

આ પણ વાંચો-ડર્ટી પોલિટીક્સઃ રાદડિયા સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે સરકાર હરીફ જૂથને પ્રોત્સાહન પણ આપી રહી છે અને કાર્યવાહી પણ નથી કરતી!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">