AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ચોર્યાસી અને કામરેજ ટોલનાકુ 1 એપ્રિલથી નેશનલ હાઇવે ઓથોરિટી હસ્તક લેવાશે, ટોલટેક્સ પેટે 120 રૂપિયા વસુલાશે, કોંગ્રેસ લડતના મૂડમાં

ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું કે આ કોઈ એક સુરત જિલ્લાના લાભનો પ્રશ્ન નથી. મુંબઇ - અમદાવાદ હાઈવેનો ઉપયોગ કરતા હજારો વાહન માલિકો ટ્રાન્સપોર્ટરોને લગતો મામલો છે. 31 માર્ચ સુધી અમે રાહ જોઈશું તે પછી આગળની રણનીતિ નક્કી કરીશું.

Surat : ચોર્યાસી અને કામરેજ ટોલનાકુ 1 એપ્રિલથી નેશનલ હાઇવે ઓથોરિટી હસ્તક લેવાશે, ટોલટેક્સ પેટે 120 રૂપિયા વસુલાશે, કોંગ્રેસ લડતના મૂડમાં
Choryasi, Kamaraj Toll plaza to be taken over by National Highway Authority (File image)
Parul Mahadik
| Edited By: | Updated on: Mar 26, 2022 | 12:58 PM
Share

પૂર્વ કેન્દ્રીય વાહન વ્યવહાર પ્રધાન અને પ્રદેશ કોંગ્રેસના (Congress) આગેવાન ડૉ. તુષાર ચૌધરી (Dr. Tushar Chaudhary)એ કેન્દ્રના વાહન વ્યવહાર પ્રધાન નિતીન ગડકરીને (Nitin Gadkari) પત્ર લખી સુરતના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ચોર્યાસી ટોલ પ્લાઝા- કામરેજ ટોલ નાકા પર ઉઘરાવાતા ટોલ ટેક્સના દરોમાં ઘટાડો કરવાની માગણી કરી હતી. જો કે તે પછી સરકારે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ચોર્યાસી ટોલ પ્લાઝા- કામરેજ ટોલ પ્લાઝાનું સંચાલન કરનાર એજન્સીને 31 માર્ચે મુક્ત કરવાની અને 1 એપ્રિલથી ટોલ પ્લાઝા નેશનલ હાઇવે ઓથોરીટી હસ્તક લઈ લેવાનો તથા 120 રૂપિયા ટોલ ટેક્સ વસુલવાની જાહેરાત કરી છે. જેને લઇને રોષ ફેલાયો છે.

નેશનલ હાઈવે ઓથોરિટીના સુરત રિજયનના અધિકારી સુરાજસિંહે જણાવ્યું હતું કે , એજન્સીના 13 વર્ષ પુરા થતા 1 એપ્રિલથી આ ટોલનાકુ NHAI ચલાવશે અને જરૂર પડશે તો બીજી ખાનગી એજન્સીના માણસો પણ ટોલની વસુલાત માટે જોતરાશે.

કોંગ્રેસનું નિવેદન

તો આ મામલે પૂર્વ કેન્દ્રીય પરિવહન પ્રધાન ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે કરજણ ટોલ પ્લાઝાનો કોન્ટ્રાકટ 17 માર્ચે અને કામરેજનો 31 માર્ચે પૂરો થવા જઈ રહ્યો છે. નિયમ પ્રમાણે ખાનગી વાહનો અને ટ્રાન્સપોર્ટરોને 60 ટેક્સમાં ઘટાડાની રાહત મળવી જોઈતી હતી. પણ NHAI ના નામે કેન્દ્ર સરકાર જ દેશના સૌથી બીઝી હાઇવે પર અવર જવર વાહન માલિકો , વ્યવસાયીઓ અને ટ્રાન્સપોર્ટરોને લૂંટવા માંગે છે. ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું કે આ કોઈ એક સુરત જિલ્લાના લાભનો પ્રશ્ન નથી. મુંબઇ – અમદાવાદ હાઈવેનો ઉપયોગ કરતા હજારો વાહન માલિકો ટ્રાન્સપોર્ટરોને લગતો મામલો છે. 31 માર્ચ સુધી અમે રાહ જોઈશું તે પછી આગળની રણનીતિ નક્કી કરીશું.

હાલમાં પેટ્રોલ – ડીઝલના ભાવોને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે . જેને કારણે દરેક જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ મોંઘી થવા પામી છે. જેની સીધી અસર સામાન્ય માણસના જનજીવન પર પડી છે. ત્યારે જો ટોલના દરોમાં ઘટાડો થાય તો ટ્રાન્સપોર્ટેશન થોડું ઘણું સસ્તુ થાય અને તેનાથી લોકોને ઘણો મોટો ફાયદો મળી રહે તેમ છે.

આ પણ વાંચો-

Amit Shah Gujarat Visit Live : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કલોલમાં,વિવિધ વિકાસ કાર્યોનુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ

આ પણ વાંચો-

ગાંધીનગર પોલીસના સર્વેલન્સ સ્કવોર્ડે બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપ્યુ, આરોપીઓની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">