Surat: કોરોનાની સ્થિતિને લઈ ચેમ્બર ઓફ કોર્મસ આવ્યું સામે, શનિવાર અને રવિવાર બે દિવસ સ્વયંભૂ બંધ રાખવા જનતાને અપીલ

રાજ્યમાં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસ કુદકેને ભૂસકે વધી રહ્યા છે અને રાજ્યની સ્થિતિ વણસી રહી છે. ત્યારે સુરત (Surat)માં કોરોનાની ચેઈન તોડવા માટે સુરત ચેમ્બર ઓફ કોર્મસ (Surat chamber of Commerce) આગળ આવ્યું છે.

| Updated on: Apr 16, 2021 | 7:10 PM

રાજ્યમાં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસ કુદકેને ભૂસકે વધી રહ્યા છે અને રાજ્યની સ્થિતિ વણસી રહી છે. ત્યારે સુરત (Surat)માં કોરોનાની ચેઈન તોડવા માટે સુરત ચેમ્બર ઓફ કોર્મસ (Surat chamber of Commerce) આગળ આવ્યું છે. કોરોના વાઈરસની સ્થિતિને લઈને ચેમ્બર ઓફ કોર્મસ સામે આવ્યું છે અને શનિવાર અને રવિવારે સ્વયંભૂ બંધ રાખવા જનતાને અપીલ કરી છે. શહેરમાં બે દિવસ જનહિત માટે સ્વયંભૂ બંધ માટેનું આહ્વાન કરવામાં આવ્યું છે.

 

 

સુરત શહેરમાં વધી રહેલા કોરોના વાઈરસના કેસોને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો બે દિવસ બજારો બંધ રહેશે તો કોરોનાની ચેઈન તોડી શકાશે. ડાયમંડ બ્રોકર એસોસિએશનનો આ પ્રકારનો નિર્ણય છે, એસોસિએશનના સભ્યો સ્વૈચ્છિક લોકડાઉન રાખશે. જેથી, 17 અને 18 એપ્રિલના રોજ સ્વૈચ્છિક લોકડાઉન રાખવામાં આવશે. ટેક્સટાઈલ માર્કેટ પણ બંધ રાખવામાં આવશે.

 

Gujarat High Courtનો રાજ્ય સરકારને મહત્વનો નિર્દેશ

રાજ્યમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ પર સુઓમોટો કરીને ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી.15 એપ્રિલે ગુરુવારે હાઈકોર્ટે કોરોનાના આંકડાઓ અંગે રાજ્ય સરકારને વેધક સવાલ પૂછ્યા હતા તો હવે આજે 16 એપ્રિલને શુક્રવારે રાજ્યમાં કોરોના સંક્રમણના આંકડાઓ અંગે હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે.

 

સુઓમોટો પરની બીજી વખતની સુનાવણીમાં 15 એપ્રિલને ગુરુવારે હાઈકોર્ટે (Gujarat High Court) સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા કોરોનાના આંકડાઓ અંગે વેધક સવાલો કર્યા હતા. હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે શું આ આંકડાઓ સાચા છે? હાઈકોર્ટે પણ કહ્યું કે આ આંકડાઓ સાચા નથી લાગતા.

 

કારણ કે રાજ્યમાં સર્જાયેલી અને વિકરાળ બનેલી કોરોનાની પરિસ્થિતિથી આ આંકડાઓ વિપરિત છે. હવે આજે 16 એપ્રિલે ત્રીજી વખતની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે કે સરકાર કોરોનાના સાચા આંકડાઓ જાહેર કરે, જેથી કરીને જનતામાં વિશ્વાસ બેસે. હાઈકોર્ટે રાજ્ય સરકારને કોરોનાના સાચા આંકડાઓ જાહેર કરવાની સાથે રિયલ ટાઈમ પોર્ટલ બનવાનો પણ આદેશ આપ્યો છે.

 

આ પણ વાંચો: લોકડાઉનનો ભય ઉભો કરી પરપ્રાંતીયોને સલામત ઘરે પહોંચડવાના નામે પૈસા પડાવતા ટ્રાવેલ્સ સંચાલકની ધરપકડ કરાઈ

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">