સુરતમાં આગના કારણે બાળકોએ મોતની છલાંગ લગાવી, 19 લોકોના મોતની ઘટના પર PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
સુરતના સરથાણા જકાતનાકા પાસેની તક્ષશિલા આર્કેડમાં આગની ઘટનામાં 19 લોકોના મોત થયા છે. જ્યારે 16થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. તક્ષશિલા ઓર્કેટમાં ટયુશન ક્લાસ ચાલે છે અને અંહી જ બપોર બાદ ભિષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગી તે સમયે ટ્યુશન ક્લાસમાં 40થી વધુ વિદ્યાર્થીઓ હતાં. આગ એટલી ભયાનક હતી કે ફસાયેલા વિદ્યાર્થીઓએ બચવા માટે […]
સુરતના સરથાણા જકાતનાકા પાસેની તક્ષશિલા આર્કેડમાં આગની ઘટનામાં 19 લોકોના મોત થયા છે. જ્યારે 16થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. તક્ષશિલા ઓર્કેટમાં ટયુશન ક્લાસ ચાલે છે અને અંહી જ બપોર બાદ ભિષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગી તે સમયે ટ્યુશન ક્લાસમાં 40થી વધુ વિદ્યાર્થીઓ હતાં. આગ એટલી ભયાનક હતી કે ફસાયેલા વિદ્યાર્થીઓએ બચવા માટે ઉપરથી છલાંગ લગાવી હતી. છલાંગ લગાવવાને કારણે જ ચાર વિદ્યાર્થીઓના મોત નીપજ્યાં હતાં. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તક્ષશિલા આર્કેડમાં ઉપરના માળે ક્રિએટર ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનર ક્લાસીસ ચાલતાં હતાં. આગ લાગ્યા બાદ ઘણા બાળકોને રસ્તો ન મળતાં અથવા તો મૂંજવણ ભરી સ્થિતીમાં મૂકાઈ જતાં બાળકોએ ઉપરથી નીચે કુદકા લગાવી દીધા હતાં.
તો આગ મામલે પીએમ મોદીએ પણ ટ્વીટ કર્યુ છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યુ છે કે સુરતમાં આગની ટ્રેજેડીથી વ્યથિત છું. મારી સંવેદના પીડિત પરિવારની સાથે છે. જે પણ ઘવાયા છે તે જલ્દીથી રિકવર થાય તેવી આશા રાખુ છું. ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્રને તમામ બનતી મદદ અને સહાય કરવા જણાવી દીધું છે.
Extremely anguished by the fire tragedy in Surat. My thoughts are with bereaved families. May the injured recover quickly. Have asked the Gujarat Government and local authorities to provide all possible assistance to those affected.
— Narendra Modi (@narendramodi) May 24, 2019
ઉપરથી કુદનારાઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે સ્મિમેર અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યારે આગના કારણે અંદર 15થી વધુ વિદ્યાર્થીઓ ભડથું થઈ ગયાં હતાં. છેલ્લે મળતી માહિતી મુજબ કુલ 19 વિદ્યાર્થીના મોત થયા છે. આ ઘટનામાં ઘાયલ વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. બીજા માળે આવેલા ક્લાસીસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવવામાં આવી રહ્યું છે. આગ લાગ્યા બાદ આગ થોડી જ ક્ષણોમાં પ્રચંડ બની ગઈ હતી.જેથી ડરના માર્યા બાળકોમાં નાસભાગ મચી ગઈ હતી.આગ બેકાબુ રીતે ભીષણ બનતાં મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેથી આસપાસના અન્ય ફાયર સ્ટેશનના ટેન્કર સહિતની ગાડીઓને બોલાવી લેવામાં આવી હતી. ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો. આગ પર કાબુ મેળવવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી આવી હતી. જો કે સ્થાનિકોનો આક્ષેપ છે કે ફોન કર્યાના અડધો કલાક બાદ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
<div class=”fb-page” data-href=”https://www.facebook.com/tv9gujarati/” data-tabs=”timeline” data-small-header=”false” data-adapt-container-width=”true” data-hide-cover=”false” data-show-facepile=”true”><blockquote cite=”https://www.facebook.com/tv9gujarati/” class=”fb-xfbml-parse-ignore”><a href=”https://www.facebook.com/tv9gujarati/”>TV9 Gujarati</a></blockquote></div>
ફાયરબ્રિગેડ પહોંચ્યુ ત્યારે તેની પાસે પુરતુ પાણી પણ ન હતુ..જેને કારણે પણ જાનહાની વધી હતી. ફાયરબ્રિગેડની કામગીરી સામે પણ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તંત્ર પાસે પુરતા સાધનો ન હોવાના કારણે આગ પર કાબુ મેળવવામાં કલાકો બાદ પણ સફળતા મળી હતી..સરથાણા પ્રાણી સંગ્રહાલય સામે આવેલા ઓવરબ્રીજ પરથી પસાર થતાં લોકોએ રસ્તા પર વાહનો થંભાવી દઈને આગની ઘટના જોવાની સાથે કેમેરામાં કેદ કરવા લાગ્યા હતાં. સોશિયલ મીડિયામાં આગની સમગ્ર ઘટનાને પગલે હાહાકાર મચી ગયો હતો.તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગના કારણે ફસાયેલા બાળકોના માતા-પિતા ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ઘટના સ્થળે પહોંચેલા માતા પિતાએ પોતાનું સંતાન અંદર આગમાં ફસાયું હોવાથી ભારે આક્રંદ કર્યું હતું.