ઉત્તર ગુજરાતના ડેમ-જળાશયોમાં નવા પાણી નહીં આવતા ચિંતા, ધરોઈ, સીપુ અને દાંતીવાડાની જાણો સ્થિતિ

ધરોઈ જળાશયમાં પાણીની આવક થવાની રાહ જોવાઈ રહી છે. પરંતુ ઉપરવાસના વિસ્તારોમાં વરસાદ ખાસ નહીં વરસવાને લઈ પાણીની આવક નોંધાઈ નથી. ઉપરવાસ રાજસ્થાનમાં વરસાદથી ધરોઈ ડેમમાં નવા પાણીની આવક થઈ શકે છે. સીપુ અને દાંતીવાડા ડેમમાં પણ નથી નોંધાઈ નવી આવક.

ઉત્તર ગુજરાતના ડેમ-જળાશયોમાં નવા પાણી નહીં આવતા ચિંતા, ધરોઈ, સીપુ અને દાંતીવાડાની જાણો સ્થિતિ
ધરોઈમાં નથી નોંધાઈ આવક
Follow Us:
| Updated on: Jul 09, 2024 | 11:47 AM

ઉત્તર ગુજરાતના મુખ્ય ડેમ-જળાશયોમાં જ ચાલુ સાલે હજુ સુધી પાણીની નવી આવક નોંધાઈ નથી. વિસ્તારની જીવાદોરી સમાન સાબરમતી નદી પરનો ધરોઈ ડેમમાં પણ નવી પાણીની આવક નોંધાઈ નથી. જ્યારે બનાસકાંઠાના સીપુ અને દાંતીવાડા ડેમમાં પણ નવી આવકનું ટીંપુ પણ નોંધાયું નથી. આમ સ્થાનિકો અને ખેડૂતો હવે ઉત્તર ગુજરાતના ડેમ-જળાશયમાં પાણીની નવી આવક વિના ચિંતા અનુભવી રહી છે.

જુલાઈ માસનું બીજુ સપ્તાહ પણ પસાર થવા લાગ્યું છે પરંતુ ડેમ-જળાશયોમાં નવા નીરની આવક નહીં થવાને લઈ ચિંતા સતાવી રહી છે. ખેડૂતોને સિંચાઈ અને સ્થાનિકોને પીવાના પાણી માટેનો મુખ્ય સ્ત્રોત ખાલી રહે તો સ્વાભાવિક જ ચિંતા થઈ આવે. ગત વર્ષે જૂન માસમાં જ ધરોઈ સહિતના જળાશયોમાં પાણીની આવક નોંધાઈ હતી. જ્યારે આ વર્ષે હજુ સુધી એક પણ ટીંપુ પાણીની આવક નોંધાઈ નથી.

જીવાદોરી ધરોઈની સ્થિતિ

ચાલુ વર્ષે હજુ સુધી નવા નીર સાબરમતી નદીમાં નોંધાયા નથી. ધરોઈ જળાશયમાં પાણીની આવક થવાની રાહ જોવાઈ રહી છે. પરંતુ ઉપરવાસના વિસ્તારોમાં વરસાદ ખાસ નહીં વરસવાને લઈ પાણીની આવક નોંધાઈ નથી. ઉપરવાસ રાજસ્થાનમાં વરસાદથી ધરોઈ ડેમમાં નવા પાણીની આવક થઈ શકે છે. ઉપરવાસના વિસ્તારમાં પોશીના અને વિજયનગર તાલુકામાં પણ પુરા 4 ઇંચ વરસાદ પણ અત્યાર સુધી નોંધાયો નથી. આમ આ વિસ્તારોમાં પણ વરસાદ વરસે તો, સાબરમતી અને તેને જોડતી નદીઓ પનારી, હરણાવ સહિતમાં પાણીની આવક થતા તે ધરોઈમાં પહોંચે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

ધરોઈ ડેમની હાલની સ્થિતિ જોવામાં આવે તો, મંગળવાર સવારે એટલે કે 9 જુલાઈએ સવારે 7 કલાકે જળજથ્થો 35.46 ટકા નોંધાયો છે. જ્યારે વર્તમાન જળસ્તર 183.01 મીટર નોંધાયેલું છે. એટલે કે જળસપાટી હાલમાં 600.28 ફૂટ જેટલી છે. આમ હજુ 64 ટકા કરતા વધારે ધરોઈ ડેમ ખાલી છે. આ માટે હવે ખેડૂતો ઉપરવાસ વિસ્તારમાં સારો વરસાદ થાય એવી પ્રાર્થના કરી રહ્યા છે.

દાંતીવાડા ડેમની સ્થિતિ

બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ડેમની સ્થિતિ જોવામાં આવે તો અહીં પણ સિઝનમાં હજુ નવા પાણી નોંધાયા નથી. દાંતીવાડા ડેમની વર્તમાન સ્થિતિ પર નજર કરવામાં આવે તો ડેમમાં જળજથ્થો હાલમાં 21.08 ટકા નોંધાયેલો છે. જ્યારે જળસપાટી 172.24 મીટર નોંધાયેલી છે. આ ડેમ ગત વર્ષે અને 2022 ના વર્ષમાં સંપૂર્ણ છલોછલ થઈ ગયો હતો. એટલે કે 100 ટકા પાણી ભરાવાથી રાહત સર્જાઈ હતી.

સીપુ ડેમની સ્થિતિ

આ ડેમની સ્થિતિ પણ ચિંતાજનક છે. દાંતીવાડા બાદ સીપુ ડેમમાં પણ પાણીનો જથ્થો ખૂબ જ ઓછો છે. અહીં માત્ર 10.66 ટકા જ પાણીનો જથ્થો હાલમાં છે. જ્યારે જળસપાટી176.60 મીટર નોંધાયેલી છે. સીપુ ડેમ વર્ષ 2022માં 11 ટકા અને 2023ના વર્ષમાં 32 ટકા ભરાયો હતો.

આ પણ વાંચો: ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન, શામળાજીની સમસ્યા પણ નિવારાશે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">