સાબરડેરીએ પશુપાલકો માટે આપ્યા ખુશખબર, 258 કરોડ ભાવફેર રકમ ચૂકવણી કરાશે, જાણો

સાબરડેરીએ દૂધ ઉત્પાદકોના ભાવફેરને લઈ નિર્ણય કરતા વચગાળાના ધોરણે હાલમાં 9 મહિનાનો ભાવફેર ગત વર્ષના મુજબે ચૂકવી આપવામાં આવશે. જે ગુરુવારથી દૂધ મંડળીઓને ચૂકવી આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સાબરડેરીએ પશુપાલકો માટે આપ્યા ખુશખબર, 258 કરોડ ભાવફેર રકમ ચૂકવણી કરાશે, જાણો
ચૂકવાશે ભાવફેર રકમ
Follow Us:
| Updated on: Jul 10, 2024 | 11:02 AM

સાબરડેરી દ્વારા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ચારેક લાખ જેટલા પશુપાલકોને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સાબરડેરીએ દૂધ ઉત્પાદકોના ભાવફેરને લઈ નિર્ણય કરતા વચગાળાના ધોરણે હાલમાં 9 મહિનાનો ભાવફેર ગત વર્ષના મુજબે ચૂકવી આપવામાં આવશે. જે ગુરુવારથી દૂધ મંડળીઓને ચૂકવી આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

દૂધ ઉત્પાદકો ભાવફેર અંગે રાહ જોઈ રહ્યા હતા. એક તરફ શૈક્ષણિક સત્ર જૂન માસથી શરુ થયુ છે અને બીજી તરફ ચોમાસુ વાવણીની શરુઆત થઈ છે. આવી સ્થિતિમાં ખેડૂતો અને પશુપાલકોને માટે આર્થિક સંકડામણ અનુભવાતી હોય છે. જેને લઈ હવે સાબરડેરીએ આ અંગે દૂધ ઉત્પાદકોના હિતમાં વચગાળાનો રસ્તો નિકળતા ભાવફેર 9 માસના ધોરણે ચૂકવી આપવામાં આવશે.

258 કરોડ રુપિયા ચૂકવાશે

ભાવફેર અંગે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, આ દરમિયાન જ હવે સાબરડેરીએ મહત્વનો નિર્ણય કર્યો છે. સાબરડેરીના મેનેજિંગ ડિરેક્ટરને આપવામાં આવેલી સત્તાની રુએ આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાબરડેરીના એમડી દ્વારા જાહેર કરવામાં આવેલ પરીપત્ર મુજબ સાબરડેરી દ્વારા 258 કરોડ રુપિયા ભાવફેર રુપે પશુપાલકોને ચૂકવવામાં આવશે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

જૂના નિયામક મંડળ દ્વારા મંજૂર કરવામાં આવેલ એપ્રિલ 2023 થી ડિસેમ્બર 2023 સુધીના 9 માસના રીટેઈન મની ચૂકવવામાં આવનાર છે. જ્યારે જાન્યુઆરી 2024 થી માર્ચ અંત સુધીના ત્રણ માસના રીટેન્શન મનીની રકમ અને આખા વર્ષની વાર્ષિક ચૂકવણીની રકમ પણ આવનારા સમયમાં ચૂકવવામાં આવશે.

ચેરમેન નિમણૂંક બાદ તમામ રકમ ચૂકવાશે

ગત માર્ચ માસમાં સાબરડેરીની સામાન્ય ચૂંટણી યોજવામાં આવી હતી. દરમિયાન ડેરીના નિયામક મંડળના 16 પૈકી 15 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે એક ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી. આમ સામાન્ય ચૂંટણી બાદ નવુ નિયામક મંડળ ચૂંટાઈ આવ્યું છે.

હવે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી માટે રાહ જોવામાં આવી રહી છે. હવે નવા ચેરમેનની નિમણૂંક થવા બાદ ભાવફેર અંગે આખા વર્ષની ચૂકવવાપાત્ર રકમની ચૂકવણી કરવામાં આવશે. જેમાં બાકીના ત્રણ માસની રકમ અને સંપૂર્ણ વર્ષની વાર્ષિક ચૂકવણીની રકમ ચૂકવાશે. આમ હવે ચેરમેન પદની ચૂંટણી યોજાવાની રાહ જોવાઈ રહી છે. જે બાદ પશુપાલકોને બાકીની વધુ રકમ મળશે.

આ પણ વાંચો:  ઉત્તર ગુજરાતના ડેમ-જળાશયોમાં નવા પાણી નહીં આવતા ચિંતા, ધરોઈ, સીપુ અને દાંતીવાડાની જાણો સ્થિતિ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">