RAJKOT : સરકાર ફેબ્રુઆરીના અંત સુધીમાં રાજકોટને નર્મદાનું પાણી અપાશે, રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીએ આપી ખાતરી
નર્મદાના નીરની માંગણી મુકતાની સાથે જ સિંચાઇ વિભાગ દ્રારા 90 લાખ રૂપિયાના બિલની ઉધરાણી કરવામાં આવી છે.કેનાલ મારફતે પહોંચાડવામાં આવતા પાણીનો ચાર્જ અને તેના વ્યાજની રકમ મળીને કુલ 90 લાખ રૂપિયા થાય છે.
રાજકોટમાં (Rajkot) 10 માર્ચ સુધી ચાલે તેટલું જ પાણી છે.પાણી વિતરણનો (Water distribution)આધાર નર્મદા (Naramada) પર છે,રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા પાણી માટે રાજ્ય સરકારને પત્ર લખીને પાણીની માંગ કરવામાં આવી છે. ત્યારે રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીએ સરકાર દ્વારા ફેબ્રુઆરીના અંત સુધીમાં પાણી આપવામાં આવશે તેવો દાવો કર્યો હતો.જો માર્ચ મહિનાની શરૂઆતમાં પાણીનો જથ્થો ન મળે તો શહેરમાં જળસંકટ ઉભુ થાય તેવી સ્થિતિ છે.
રાજકોટમાં પાણી પહોંચાડવા માટે સીએમ ચિંતિત-રૈયાણી
આ અંગે ટીવીનાઇન સાથેની વાતચીતમાં અરવિંદ રૈયાણીએ કહ્યું હતું કે રાજકોટમાં દર વર્ષે ફેબ્રુઆરી અંત સુધીમાં નર્મદાનું પાણી પહોંચાડવું પડે છે ત્યારે રાજકોટના મેયર પ્રદિપ ડવ સાથે મળીને મેં સીએમને રજૂઆત કરી છે અને સીએમ ભુપેન્દ્ર પટેલ દ્રારા પણ સકારાત્મક પ્રત્યુતર આપવામાં આવ્યો છે જેથી રાજકોટને ફેબ્રુઆરીના અંત સુધીમાં નર્મદાનું પાણી મળવાની શરૂઆત થઇ જશે જેથી રાજકોટવાસીઓને પાણીકાંપનો સામનો નહિ કરવો પડે.
90 લાખના બિલની સિંચાઇ વિભાગે ઉઘરાણી કરી
નર્મદાના નીરની માંગણી મુકતાની સાથે જ સિંચાઇ વિભાગ દ્રારા 90 લાખ રૂપિયાના બિલની ઉધરાણી કરવામાં આવી છે.કેનાલ મારફતે પહોંચાડવામાં આવતા પાણીનો ચાર્જ અને તેના વ્યાજની રકમ મળીને કુલ 90 લાખ રૂપિયા થાય છે.સૂત્રોના કહેવા પ્રમાણે આ વર્ષે પાણી મળે તે પહેલા ભુતકાળનું બિલ ચુકતે કરવા કહેવામાં આવ્યું છે.જો કે અરવિંદ રૈયાણીએ પાણીનું બિલ વહિવટી પ્રક્રિયા હોવાનું જણાવ્યું છે.
આજીમાં 10 માર્ચ સુધી ચાલે તેટલું જ પાણી,1050 એમસીએફટી પાણીની માગ
રાજકોટને પાણી પુરૂ પાડતા આજી 1 ડેમમાં 355 એમસીએફટી પાણીનો જથ્થો છે જે 10 માર્ચ સુધી ચાલશે.ન્યારી 1 ડેમમાં 845 એમસીએફટી પાણીનો જથ્થો છે જે 30 જૂન સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે જ્યારે ભાદર 1 ડેમમાં 31 જુલાઇ સુધી ચાલે તેટલું પાણી છે.રાજ્ય સરકાર પાસેથી મનપાએ 1050 એમસીએફટી પાણીનો જથ્થાની માંગ છે જેમાં 700 એમસીએફટી પાણી આજી 1 ડેમમાં અને 350 એમસીએફટી પાણી ન્યારી 1 ડેમમાં ઢાલવવાની માંગ કરી છે.
આ પણ વાંચો : કચ્છ : સરકારની ખનીજ નિતીથી નારાજ બેન્ટોનાઇટ ઉદ્યોગકારો હવે વિજ સમસ્યાથી પરેશાન
આ પણ વાંચો : કિશન ભરવાડ હત્યા કેસના આરોપી મૌલવી કમરગની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો