AMC નો વિચીત્ર નિર્ણય, હવે ચોમાસામાં પાણી ભરાય તો શહેરીજનોએ ગટરના ઢાંકણા જાતે ખોલવા પડશે !- Video

અમદાવાદ મહાનગરપાલિકાએ એક તઘલખી અને વિચીત્ર નિર્ણય કર્યો છે. ગુરુવારે મળેલી મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં ચોમાસામાં ઠેર ઠેર ભરાતા પાણી અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. જેમા જે વિસ્તારમાં પાણી ભરાયા હોય ત્યાંના રહીશોએ કોર્પોરેશનના કર્મચારીઓની રાહ જોયા વિના જાતે જ ગટરના ઢાંકણા ખોલી દેવાના રહેશે.

Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: May 17, 2024 | 7:10 PM

જો તમારા વિસ્તારમાં પાણી ભરાય છે તો પાણીના નિકાલની જવાબદારી પણ તમારી,, સાંભળીને આશ્ચર્ય થયુ ને….પણ આવોજ કંઈક વિચિત્ર નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. અમદાવાદમાં વર્ષો વરસથી પાણી ભરાવવાની સમસ્યા જેમની તેમ છે. દર વર્ષે ચોમાસા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકશન પ્લાન તો બનાવે છે પરંતુ તેનો યોગ્ય અમલ થતો નથી. પરિણામે સ્થિતિ ઠેરની ઠેર રહે છે અને ચોમાસામાં અમદાવાદીઓ પાણીની સમસ્યાથી હર હંમેશ પરેશાન રહે છે.

“શહેરીજનોએ પાણી ભરાય તો જાતે ગટરના ઢાંકણા ખોલી નાખવા”

આ વખતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી વિચિત્ર નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં જે વિસ્તારમાં પાણી ભરાય છે તેવા વિસ્તારમાં સ્થાનિક વોલેન્ટિયર્સ નિમવાની જાહેરાત કરવામાં આવી છે. સરળ ભાષામાં જો કહેવામાં આવે તો ચોમાસામાં હવે જો પાણી ભરાશે તો ગટરના ઢાંકણા સ્થાનિકોએ પોતે જ ખોલવાના રહેશે. AMC આ વખતે જે તે વિસ્તારના અમુક સ્થાનિકોને વોલેન્ટિયર્સ તરીકે નિમશે અને તેમણે ત્રિકમ, ક્રોસ જેવા સાધનો આપી પાણીનો નિકાલ કરાવશે.

જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024
Sofa Cleaning Tips: સોફા સાફ કરવાની સૌથી સહેલી ટ્રિક તમે જાણો છો ?

“પાણીના નિકાલની જવાબદારી શહેરજનોની કે કોર્પોરેશનની?”

એનો સીધો મતલબ એમ કે જો હવે તમારા વિસ્તારમાં પાણી ભરાય છે તો પાણી નિકાલની જવાબદારી તમારી રહેશે. ત્યારે સવાલ એ પણ ઉભો થાય છે કે જો આવી સ્થિતિમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે. શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાણીનો નિકાલ કરવામાં ઉણું ઉતરી રહ્યું છે? શું આટલા વર્ષના અનુભવ બાદ પણ કોર્પોરેશન ગણતરીની મિનિટોમાં પાણીનો નિકાલ કરવામાં સક્ષમ નથી. જે શહેરીજનો કર ભરે. એજ શહેરીજનોએ જો જીવના જોખમે ગટરના ઢાંકણા ખોલી પાણીનો નિકાલ કરવાનો હોય તો પછી કોર્પોરેશનના કર્મચારી અને અધિકારી શું કરશે. શું અધિકારી વરસાદી માહોલમાં કંટ્રોલ રૂમમાં જઈ સ્થિતિની સમીક્ષા જ કરશે? અને સલાહ સૂચનો જ આપશે? જનતાને તેમના ભરોસે છોડી દેશે કે પછી મુશ્કેલીના સમયમાં જનતા વચ્ચે જઈ પાણીની સમસ્યાથી છૂટકારો પણ અપાવશે?

આ પણ વાંચો: અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં આગામી 5 દિવસ રહેશે ઓરેન્જ ઍલર્ટ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હિટવેવની શક્યતા

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">