RAJKOT : રાજવી પરિવાર મિલકત વિવાદ, બહેન બાદ હવે ભત્રીજાએ વારસાઈ મિલકતમાં હક માગ્યો

રાજવી પરિવારના બહેને વડીલોપાર્જિત સંપત્તિમાં કરેલા દાવાનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં હવે રાજવી પરિવારની વડીલોપાર્જિત કરોડોની મિલકતમાં ભાગ માટે વધુ એક દાવો કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 5:51 PM

RAJKOT :રાજકોટના રાજવી પરિવારની વડીલોપાર્જિત કરોડોની મિલકતનો વિવાદ વધુ ચર્ચાસ્પદ બન્યો છે. રાજવી માંધાતાસિંહ જાડેજાના બહેને વડીલોપાર્જિત સંપત્તિમાં કરેલા દાવાનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં હવે રાજવી પરિવારની વડીલોપાર્જિત કરોડોની મિલકતમાં ભાગ માટે વધુ એક દાવો કરવામાં આવ્યો છે.

રાજકોટના રાજવી માંધાતાસિંહ પાસે રાજવી પરિવારના પ્રદ્યુમનસિંહ જાડેજાના પૌત્ર રણસુરવીરસિંહ જાડેજાએ વારસાઈ મિલકતમાં હક માગ્યો છે. રણસુરવીરસિંહ જાડેજાએ પિતાએ ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પર જતો કરેલો હક માન્ય ન હોવાનો દાવો કર્યો અને માધાપરની કરોડોની જમીનમાં પોતાનો હિસ્સો માંગ્યો છે. ભત્રીજા પૂર્વે બહેને પણ રાજવી પરિવારની વારસાઈ જમીનમાં હક માગ્યો હતો.

રાજકોટના રાજવી પરિવાર પાસે 20 હજાર કરોડ રૂપિયાની મિલકતો છે.જેમાં 500 કરોડનો રણજીત વિલાસ પેલેસ અને 400 કરોડની લાખાજીરાજ જિનિંગ એન્ડ પ્રેસિંગ ફેક્ટરી છે.આ ઉપરાંત જ્યુબિલી ચોકનું દેના બેંક હાઉસ, સરધારનો દરબારગઢ, બગીચો, જૂનો દરબારગઢ, રાંદરડા લેક ફાર્મ છે.તો પિંજારાવાડીની 6 એકર જમીન, કુવાડવા રોડ પરની 1214 ચોરસ મીટર જમીન અને 3 હજાર કરોડની માધાપર વીડીની 658 એકર જમીન સામેલ છે.

મુંબઈમાં નરેન્દ્ર ભુવનમાં 11 ફ્લેટ અને જામનગર રોડ પરનું રેલવે ગોડાઉન સામેલ છે..તો ભોમેશ્વર મહાદેવ મંદિર અને આસપાસની 12 એકર જમીન, શ્રી આશાપુરા મંદિર અને ટ્રસ્ટ અને જમીન સામેલ છે..આ ઉપરાંત શ્રી લાખાજીરાજ ડેરી ફાર્મની 9.26 ગુંઠા જમીન, વડીલોપાર્જિત હીરા, ઝવેરાત અને આભૂષણો, ચાંદીની બગીઓ, 10 વિન્ટેજ કાર, એન્ટિક ફર્નિચર અને હથિયારો સામેલ છે.

આ પણ વાંચો : Rajkot : રાજવી પરિવારમાં વારસાઇ મિલકતનો વિવાદ, રાજવી પરિવારની મિલકત જાણીને તમે ચોંકી જશો

Follow Us:
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">