Rajkot: ડૉ અતુલ ચગ આત્મહત્યા કેસની ન્યાયિક તપાસની લોહાણા સમાજે કરી માગ, જિલ્લા કલેક્ટરને પાઠવ્યુ આવેદનપત્ર

Rajkot: વેરાવળના તબીબ અતુલ ચગની આત્મહત્યાના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. જેમા રાજકોટના લોહાણા સમાજે પણ જિલ્લા કલેક્ટરને આવેદન આપી ન્યાયની માગ કરી છે. લલિતાકુમારીના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને ટાંકીને લોહાણા સમાજે આ કેસમાં પણ તાત્કાલિક FIR નોંધી ન્યાયિક તપાસ કરવાની માગ કરી છે.

Rajkot: ડૉ અતુલ ચગ આત્મહત્યા કેસની ન્યાયિક તપાસની લોહાણા સમાજે  કરી માગ, જિલ્લા કલેક્ટરને પાઠવ્યુ આવેદનપત્ર
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 21, 2023 | 5:05 PM

વેરાવળના પ્રતિષ્ઠિત તબીબ ડૉ અતુલ ચગના આત્મહત્યા કેસમાં પરિવારજનોએ ફરિયાદ આપ્યા બાદ પણ હજુ સુધી પોલીસ ફરિયાદ રજીસ્ટ્રર થઇ નથી. આ ઘટનાના રાજ્યભરમાં ધેરા પ્રત્યાધાતો પડ્યા છે.આજે રાજકોટ શહેર લોહાણા સમાજ દ્રારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. લોહાણા સમાજના પ્રમુખ રાજુ પોબારૂની અધ્યક્ષતામાં સમાજના આગેવાનો સહિત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ડો.અતુલ ચગના કેસમાં ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના ચુકાદો છે છતા કેમ ફરિયાદ નોંધાતી નથી

આ અંગે લોહાણા સમાજના પ્રમુખ રાજુ પોબારુએ કહ્યું હતું કે ડૉ. અતુલ ચગ વેરાવળના પ્રતિષ્ઠિત તબીબ છે. સેવાભાવી વ્યક્તિને આ પ્રકારનું કૃત્ય કરવું પડે તે કેટલું વ્યાજબી અને આ થયા બાદ પોલીસ ફરિયાદ લેતી નથી. જો ડોક્ટર કક્ષાની વ્યક્તિ સાથે આવું થાય તો સામાન્ય વ્યક્તિ સાથે શું થઇ શકે તે વિચારવું જોઇએ. સરકારે આ કિસ્સામાં તાત્કાલિક પગલાં લઇને પરિવારને ન્યાય અપાવે.

અગ્રણી તબીબ ડૉ નિશાંત ચોટાઇએ કહ્યું હતું કે ડૉઅતુલ ચગના આત્મહત્યાને 10-10 દિવસ વિતી ગયા છે.આવા કિસ્સામાં પોલીસ ફરિયાદી બનવી જોઇએ પરંતુ ફરિયાદ નોંધાઇ રહી નથી. પરિવારે ચાર દિવસમાં લેખિત ફરિયાદ આપી દીધી છે છતા પણ ફરિયાદ દાખલ નથી થઈ.  જે ગંભીર બાબત કહેવાય છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. લલીતાકુમારીના કેસમાં કોર્ટે જે રીતે અવલોકન કરીને ચુકાદો આપ્યો હતો તેને ટાંકીને આ કેસમાં પણ સુસાઈડ નોટના આધારે એકક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોલીસે એફઆરઆઇ દાખલ કરવી જોઇએ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રાજકીય દબાણ દુર કરીને ફરિયાદ દાખલ કરો-લોહાણા સમાજ

આ કિસ્સામાં ડૉ.અતુલ ચગના પરિવારજનો દ્રારા સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા સામે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે. લોહાણા સમાજે માંગ કરી છે કે આ કિસ્સામાં પોલીસ પર સત્તાધારી પક્ષનું દબાણ હોય છે અને સાંસદ પોતે સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા છે ત્યારે આ રાજકીય દબાણ દુર કરવું જોઇએ અને સામાન્ય લોકોના કેસમાં જે રીતે પોલીસ તાત્કાલિક અસરથી કામગીરી કરે છે તે રીતે આ કિસ્સામાં પણ કરે તેવી માંગ કરી હતી.

આ પણ વાંચો: Gujarati Video: ડૉ. અતુલ ચગ આત્મહત્યા કેસના સુરતમાં પડઘા, લોહાણા સમાજના વિવિધ સંગઠનોએ રેલી યોજી કડક કાર્યવાહીની કરી માગ

બુધવારે વેરાવળમાં સર્વ સમાજ પ્રાર્થના સભા

ડૉ.અતુલ ચગ એક સેવાભાવી તબીબ તરીકે જાણીતા હતા. કોરોના કાળમાં દરેક વ્યક્તિને તેઓ મદદરૂપ થયા છે અને અનેક વ્યક્તિઓને જીવતદાન પણ આપ્યું છે. આજે જ્યારે તેઓ આ દુનિયામાં નથી ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને સર્વ સમાજ સંગઠન દ્રારા 22 ફેબ્રુઆરી બુધવારે સર્વ સમાજ પ્રાર્થનાસભાનું આયોજન કરાયું છે જેમાં દરેક સમાજને જોડાવાની માંગ કરાઇ છે. આ પ્રાર્થનાસભા સાંજે 5-30 વાગ્યે લોહાણા મહાજન વાડી ખાતે યોજાશે જેમાં દરેક સમાજના લોકો જોડાશે.

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">