રાજકોટમાં જીવલેણ બનતા વીજ કરંટ, છેલ્લા સાત મહિનામાં 40 લોકોના થયા મોત

રાજકોટમાં ખુલ્લા વીજવાયરોને કારણે કરંટ લાગવાના અનેક બનાવો સામે આવતા રહે છે. જેમા વીજ કરંટ લાગવાથી છેલ્લા સાત મહિનામાં 40 લોકોના મોત થયા છે. તંત્રની બેદરકારીને ક્યારેક ખુલ્લા વાયરો લોકો માટે જીવલેણ બની રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે 150 લોકો વીજ કરંટને કારણે મોતને ભેટ્યા છે.

રાજકોટમાં જીવલેણ બનતા વીજ કરંટ, છેલ્લા સાત મહિનામાં 40 લોકોના થયા મોત
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Nov 17, 2023 | 7:41 PM

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વીજવાયરના કરંટને કારણે અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે અને વીજ કરંટને કારણે મોતની સંખ્યા પણ વધી રહી છે જે ચિંતાજનક છે. રાજકોટમાં છેલ્લા સાત મહિનામાં વીજ કરંટને કારણે 40 લોકોના મોત નિપજ્યા છે. રાજકોટની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ આ સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. વધતા જતા વીજકરંટના બનાવોને અટકાવવા માટે પીજીવીસીએલ દ્રારા સમયાંતરે પગલાં લેવામાં આવી રહ્યા છે અને ગ્રાહકોને તકેદારી રાખવા માટેની સૂચના આપવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે 115 જેટલા લોકોના મોત

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વીજકરંટને કારણે મોતના આંકડાઓ વધી રહ્યા છે, ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં 40 જેટલા લોકોના મોત થયા છે. ગત વર્ષે આ આંકડો 69 હતો. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સાત મહિનામાં સૌરાષ્ટ્રમાં વીજ કરંટને કારણે 115 જેટલા લોકોના મોત થયા છે જ્યારે ગત વર્ષે આ આંકડો 165 પર પહોંચ્યો હતો.દિવાળીના દિવસે જ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વીજશોકને કારણે 55 વર્ષીય પ્રોઢનું મોત નીપજ્યું હતું.

જિલ્લા પ્રમાણે આંકડા

જિલ્લો 2022 2023
રાજકોટ 69 40
જામનગર 22 15
જુનાગઢ 13 26
દ્વારકા 3 13
મોરબી 31 11
પોરબંદર 9 3
સોમનાથ 1 7

આ પણ વાંચો: રાજકોટ ST વિભાગને ફળી દિવાળી, સપ્તાહમાં 5.60 કરોડ રૂપિયાની થઈ આવક

વીજકરંટને લગતા નિયમોનું પણ નથી થતું પાલન

પશ્વિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્રારા વીજકરંટના બનાવોને અટકાવવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ તેનું પાલન થતું નથી. રહેણાંક મકાનોમાં 2 લોડથી વધારે વીજલોડ ધરાવતા ગ્રાહકો માટે ઇએલસીબી એટલે કે વીજકરંટ નિયંત્રણ કરતું ઉપકરણ ફરજીયાત બનાવાયું છે. પરંતુ ઝુંપડપટ્ટી અને સ્લમ વિસ્તારોમાં પાલન થતું નથી. આ ઉપરાંત ઘણી ખાનગી બિલ્ડિંગોમાં અર્થ પોલ પ્રોટેક્શન વિશે કાળજી લેવાતી નથી. જેના કારણે વીજશોકના બનાવો બની રહ્યા છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">