Rajkot : આખરે, સવા વર્ષ બાદ ‘અંબા’ને મળશે માતૃપ્રેમ, ‘અંબા’ બનશે ઇટલીની નાગરિક

Rajkot : સમાજના ડરથી કાળજાના કટકાને ત્યજી દેવા સિવાય કંઈ રસ્તો હોતો નથી. પરંતુ રામ રાખે તેને કોણ ચાખે. આવું જ કંઈક રાજકોટની 'અંબા' (amba) સાથે થયું હતું.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 10, 2021 | 9:31 AM

Rajkot :  મીઠા મધુરે મીઠા મેહુલા રે લોલ.. એક માતા પોતાના સંતાન માટે જીવ આપવા માટે પણ તૈયાર હોય છે.આપણે ઘણીવાર જોયું હોય છે કે, માતા કાળજું કઠણ કરીને નવજાત બાળકને તરછોડતી હોય છે. કોઈપણ કારણોસર ભલે માતા બાળકનો ત્યાગ કર્યો હોય પરંતુ તેને દુઃખ તો થયું હોય છે.

નવજાત બાળકને ત્યજી દેવાના બનાવમાં સમાજમાં વાતો કરવામાં આવે છે કે, આખરે એવું તે શું કારણ હશે બાળકે આ દુનિયા જોતા પહેલા જ તેને તરછોડવામાં આવ્યું હોય. કયારેક પરિસ્થિતિ એવી પણ હોય છે કે, સમાજના ડરથી કાળજાના કટકાને ત્યજી દેવા સિવાય કંઈ રસ્તો હોતો નથી. પરંતુ રામ રાખે તેને કોણ ચાખે. આવું જ કંઈક રાજકોટની ‘અંબા’ (amba) સાથે થયું હતું.

આશરે દોઢ વર્ષ પહેલા રાજકોટની ભાગોળે મહિકા અને ઠેબચડા ગામ વચ્ચે તરછોડાયેલ અને લોહી લુહાણ હાલતમાં ‘અંબા’ મળી હતી. અંબાએ 2થી અઢી મહિના સુધી હોસ્પિટલમાં મોટ સામે લડીને જંગ જીતી લીધો હતો. જે તે સમયે કલેકટર,કમિશનરથી લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંબાને નવજીવન મળે તે માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી. દોઢ વર્ષ બાદ આખરે હવે ‘અંબા’ને આશરો મળ્યો છે. છેલ્લા એક વર્ષથી કાઠિયાવાડ બાલાશ્રમમાં (Shri Kathiawar Nirashrit Balashram) રહેતી અંબા હવે સંપૂર્ણ સ્વસ્થ છે. હવે અંબાને માતા-પિતાનો પ્રેમ મળશે.

અંબાને ઇટલીના દંપતીએ દત્તક લીધી છે. ઈટાલીના ગુંથર દંપતીએ અંબાને દતક લેવા માટેની કાર્યવાહી પૂરી કરી લીધી છે. હવે ત્રણ મહિના બાદ અંબા ઈટલીની નાગરિક બનશે. અંબાને સ્પેશિયલ કેટેગરીમાં મુકવામાં આવી હતી. ઇટલીની એક હોસ્પિટલમાં વર્ષેાથી નર્સ તરીકે ફરજ બજાવતા પ્લેન્ક કેટરિન અને ગુંથર નામના દંપતીની ‘અંબા’ દીકરી બનશે.

નોંધનીય છે કે, આ બાળકીનું નામ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રાખ્યું છે. ‘અંબા’ નામ આપનાર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અવાર નવાર હોસ્પિલની મુલાકાત લેતા હતા.

કાઠિયાવાડ બાલાશ્રમમાં 150થી વધારે બાળકો છે. જેમાં 70 બાળકો હાલ સંસ્થામાં છે.  કાઠિયાવાડ બાલાશ્રમમાંથી અત્યાર સુધીમાં  350 જેટલા બાળકો વિદેશ પહોંચ્યા છે.

 

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">