AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: નિંદ્રાધિન માતાની બાજુમાં ઉંઘી રહેલું 40 દિવસનું બાળક કચડાયુ, સારવાર પહેલા જ બાળકનું મોત

રાજકોટના કોઠારિયા રોડ પરના નીલકંઠ પાર્કમાં રવિભાઇ જાનિયાણીનો પરિવાર રહે છે. જ્યાં આ ગોઝારી ઘટના બની છે. પરિવારમાં ઘરે 40 દિવસ પહેલા જ દીકરાનો જન્મ થયો હોવાના ખુશીના સમાચાર મળ્યા હતા.

Rajkot: નિંદ્રાધિન માતાની બાજુમાં ઉંઘી રહેલું  40 દિવસનું બાળક કચડાયુ, સારવાર પહેલા જ બાળકનું મોત
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 12:25 PM
Share

રાજકોટ (Rajkot )શહેરમાં એક હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. એક માતાની (Mother) નીચે દબાઇ જતા તેના 40 દિવસના બાળકનું (Child) મોત થયુ છે. પરિવાર જ્યારે વહેલી સવારે ઉઠીને જુએ છે ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી જાય છે. 40 દિવસ પહેલા પરિવારમાં થયેલા દીકરાના જન્મનો આનંદ અચાનક જ શોકમાં પરિવર્તિત થઇ ગયો છે. રાજકોટ (Rajkot )માં આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરનાના નિલકંઠ પાર્કમાં એક નિંદ્રાધિન માતાની બાજુમાં ઉંઘી રહેલું 40 દિવસનું બાળક કચડાઇ જવાથી મૃત્યુ પામ્યુ છે.

માતાને શરદી (Cold)થતા બાળકને ચેપ ન લાગે તે માટે પોતાના પગ પાસે સુવડાવ્યો હતો અન પોતે શરદીની દવા પીને સુઇ ગઇ હતી. બાળક પર માતાનું વજન આવી જતાં બાળકે જીવ ગુમાવ્યો છે. માતાના પગ નીચે ગુંગળાઇને જ વ્હાલસોયા બાળકનનું મોત થયું છે. જોકે, આ વાતની જાણ થતા માતા સહિત પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

રાજકોટના કોઠારિયા રોડ પરના નીલકંઠ પાર્કમાં રવિભાઇ જાનિયાણીનો પરિવાર રહે છે. જ્યાં આ ગોઝારી ઘટના બની છે. પરિવારમાં ઘરે 40 દિવસ પહેલા જ દીકરાનો જન્મ થયો હોવાના ખુશીના સમાચાર મળ્યા હતા. થોડા દિવસથી માતાને શરદી થઇ હતી. જેથી તેનો ચેપ દીકરાને ન લાગી જાય તેથી તેણે પોતાના વ્હાલસોયાને કમરથી થોડો નીચે પગ પાસે સુવડાવ્યો હતો. રાતે ચાર વાગ્યાની આસપાસ પિતા રવિભાઇ જાગ્યા હતા. ત્યારે પત્ની પાસે સૂતેલા દીકરા પર ધ્યાન ગયુ હતુ. તે જોતાની સાથે જ તેમણે પત્નીને ઉઠાડી હતી. 40 દિવસનો દીકરો માતા કાજલબેનના પગ નીચે દબાઇ ગયો હતો. તેને બહાર કાઠ્યો પરંતુ તે બેભાન થઇ ગયો હતો.

જે બાદ તરત જ દીકરાને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ તેનું મૃત્યું નીપજ્યું હતુ. અચાનક આવી પડેલી આ આફતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. નોંધનીય છે કે, રવિભાઇ પૂઠા બનાવવાનું કારખાનું ધરાવે છે.

આ પણ વાંચો-

Banaskantha: ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની જનતા રેડ બાદ પોલીસ એક્શનમાં, પ્રોહીબિશનના 184 ગુના દાખલ કર્યા

આ પણ વાંચો-

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, 52 લાખ બાળકો મધ્યાહન ભોજનથી વંચિત રહ્યા

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">