AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : હરિભક્તે પ્રમુખસ્વામી બાપાની શતાબ્દી ઉજવણીને લઇને બનાવ્યું 108 ફૂટનું કાર્ડ,13 ભાષાનો કાર્ડમાં ઉલ્લેખ

અમદાવાદ ખાતે બીએપીએસ સ્વામીનારાયણ સંપ્રદાય દ્રારા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વિશ્વભરના હરિભક્તોમાં આ શતાબ્દિ મહોત્સવને લઇને ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.સ્વામીજીના મહોત્સવને લઇને રાજકોટવા એક હરિભક્તે 108 ફૂટનું કાર્ડ તૈયાર કર્યું છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Rajkot : હરિભક્તે પ્રમુખસ્વામી બાપાની શતાબ્દી ઉજવણીને લઇને બનાવ્યું 108 ફૂટનું કાર્ડ,13 ભાષાનો કાર્ડમાં ઉલ્લેખ
Rajkot Pramuksh Swami Shatabdi Utsav Card
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2022 | 6:00 PM
Share

અમદાવાદ ખાતે બીએપીએસ સ્વામીનારાયણ સંપ્રદાય દ્રારા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વિશ્વભરના હરિભક્તોમાં આ શતાબ્દિ મહોત્સવને લઇને ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.સ્વામીજીના મહોત્સવને લઇને રાજકોટવા એક હરિભક્તે 108 ફૂટનું કાર્ડ તૈયાર કર્યું છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.આ કાર્ડમાં અલગ અલગ 13 ભાષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કાર્ડની લંબાઇ 108 ફૂચ,205 ફોટા અને 13 ભાષાનો ઉલ્લેખ છે કાર્ડનું આકર્ષણનું કેન્દ્ર

રાજકોટમાં રહેતા સુરેશભાઇ રતનેશ્વરે આ કાર્ડ તૈયાર કર્યું છે.સુરેશભાઇએ કહ્યું હતું કે પ્રમુખસ્વામી જેવા સંતનું કાર્ડ તૈયાર કરવું એક ગર્વની વાત છે.પ્રમુખ સ્વામી મહારાજના જીવન આધારીત તૈયાર કરવામાં આવેલા કાર્ડની કુલ લંબાઇ 108 ફૂટની છે.આ કાર્ડમાં કુલ 205 જેટલા ફોટો રાખવામાં આવ્યા છે જે ફોટામાં પ્રમુખસ્વામી મહારાજના જન્મથી લઇને તેના સેવાકીય પ્રવૃતિઓ સુધીના તમામ ફોટોનો સમાવેશ કરાયો છે.આ કાર્ડમાં ૧૩ અલગ અલગ ભાષાનો ઉપયોગ કરાયો છે જેમાં સ્વામીજીના વિચારો રજૂ કરવામાં આવ્યા છે.આ કાર્ડ તૈયાર કરવામાં ૪૫ દિવસનો સમય લાગ્યો છે.

આ કાર્ડ મહોત્સવમાં સમર્પિત કરાશે

સુરેશભાઇએ તૈયાર કરેલા આ આકર્ષક કાર્ડને અમદાવાદ ખાતે ચાલી રહેલા પ્રમુખ સ્વામી શાતબ્દિ મહોત્સવમાં સમર્પિત કરાશે.સુરેશભાઇ આ મહોત્સવમાં સેવા આપવા જવાના છે ત્યારે આ કાર્ડ સોંપવામાં આવશે.પ્રમુખ સ્વામી મહારાજ અનેક લોકોના જીવનના પ્રેરણા સ્રોત બન્યા છે.અનેક લોકોના જીવનમાં તેમના વિચારોથી પરિવર્તન આવ્યું છે અને એટલા માટે જ આજે જયારે શતાબ્દિ મહોત્સવ ચાલી રહ્યો હોય ત્યારે દરેક હરિભક્તના હ્રદયમાં ઉમળકો જોવા મળી રહ્યો છે.પ્રમુખસ્વામી બાપા પ્રત્યેની અપાર શ્રધ્ધા જોવા મળી રહી છે.

અમદાવાદમાં 14  ડિસેમ્બરના રોજ બીએપીએસના  છઠ્ઠા આધ્યાત્મિક ગુરૂ મહંત સ્વામી તેમજ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ આ મહોત્સવનું ઉદ્ધાટન કર્યું હતું. એક મહિના સુધી 15 ડિસેમ્બરથી શરૂ થઈ 15 જાન્યુઆરી સુધી આ મહોત્સવ ચાલશે. અહીં વિશાળ સંખ્યામાં BAPSના સ્વયંસેવકો સેવારત છે. 600 એકરમાં ફેલાયેલુ પ્રમુખ સ્વામી નગરને 80 હજારથી વધુ સ્વયંસેવકોએ તૈયાર કર્યુ છે.

અમદાવાદના વિવિધ સ્થળેથી ત્યાં કેવી રીતે પહોંચી શકાશે તેની વિગતો બીએપીએસ સંસ્થા દ્વારા પણ આપવામાં આવી છે. જેમાં પ્રાઇવેટ વાહનો દ્વારા આવતા દર્શનાર્થીઓ અને મુલાકાતીઓ માટે પાર્કિંગ અને પ્રવેશ તેમજ સિટી બસ દ્વારા આવતા વાહનો માટેની પણ જાણકારી આપવામાં આવી છે. સાથે સંસ્થા દ્વારા એક વિશેષ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે  સાથે જ psm100  Nagar નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ  એપ્લિકેશનના  માર્ગદર્શન દ્વારા દર્શનાર્થીઓ તેમજ  મુલાકાતીઓ મહોત્સવ સ્થળ સુધી સીધા જ પહોંચી શકશે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">