AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં પ્રોહિબીશનની કાર્યવાહી બનશે કડક ! FIRમાં 13 મુદ્દાઓ સામેલ કરવાની DCPની સૂચના

રાજકોટ (Rajkot)ક્રાઇમ બ્રાંચમાં સામેલ થવા ઇચ્છતા કોઈપણ પોલીસકર્મી માટે ડીસીપી દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં જે પોલીસકર્મીઓએ સામેલ થવું હોય તેવા કર્મીઓએ ત્રણ વર્ષની કામગીરી દર્શાવતું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.

રાજકોટમાં પ્રોહિબીશનની કાર્યવાહી બનશે કડક ! FIRમાં 13 મુદ્દાઓ સામેલ કરવાની DCPની સૂચના
Prohibition proceedings in Rajkot will be strict, DCP's instruction to include 13 issues in FRI
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 29, 2022 | 8:36 PM
Share

સાયલા દારૂકાંડ બાદ રાજકોટ (Rajkot) પોલીસ પોતાની ખરડાયેલી છાપ સુધારવા મચી રહી છે. ખાસ કરીને નવનિયુક્ત ક્રાઈમ બ્રાન્ચના (Crime Branch) ડીસીપી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને સુદ્રઢ કરવા અનેક નવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. પહેલાં ક્રાઈમ બ્રાંચમાં જોડાવા ઇચ્છુક પોલીસકર્મીઓએ કામગીરીના પ્રમાણપત્ર ફરજિયાત કર્યા બાદ હવે પ્રોહિબિશનના કેસો માટે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બુટલેગરથી સપ્લાયર સુધી 13 મુદ્દાનો ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. જે 13 મુદ્દાનો હવે ફરજિયાત FIRમાં ઉલ્લેખ કરવો પડશે.

આ છે 13 મુદ્દાઓ જેનો ઉલ્લેખ કરવો ફરજીયાત

રાજકોટના ડી.સી.પી ગોહિલ દ્વારા કરવામાં આવેલા આદેશ અનુસાર પ્રોહિબિશનના કેસમાં કેટલીક બાબતોની વિશેષ નોંધ રાખવી પડશે જેમાં, દારૂ કયા રૂટ પરથી આવ્યો ? વાહન કોની માલિકીનું છે જેના આધાર પુરાવા, મોબાઇલ મળ્યો હોય તો તેની કોલ ડીટેલ, દારૂના જથ્થાની વિગત, દારૂનો જથ્થો મોકલનાર કોણ અને ક્યાંથી આવ્યો, દારૂનો જથ્થો ક્યા સ્થાનિક બુટલેગરે મંગાવ્યો ? આ ઉપરાંત બુટલેગર થી સપ્લાય સુધીની તમામ ગાડીઓની તપાસ કરીને તેનો એફઆરઆઇમાં ઉલ્લેખ કરવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો

અગાઉ તપાસ આગળ વધતી ન હતી

અગાઉ જ્યારે પણ ક્રાઇમ બ્રાંચમાં દારૂ પકડાયો હતો. ત્યારે તપાસ સ્થાનિક પૂરતી મર્યાદિત રહેતી હતી. પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો તો પકડવામાં આવતો હતો. પરંતુ સપ્લાય ચેઇન સુધી પોલીસ પહોંચી ન હતી. જેના કારણે તપાસ અધૂરી રહેતી હતી. જેને લઇને પોલીસ દ્વારા ખાસ આદેશ આપવામાં આવ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચમાં સામેલ થવા ખાસ પ્રમાણપત્ર

રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં સામેલ થવા ઇચ્છતા કોઈપણ પોલીસકર્મી માટે ડીસીપી દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં જે પોલીસકર્મીઓએ સામેલ થવું હોય તેવા કર્મીઓએ ત્રણ વર્ષની કામગીરી દર્શાવતું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.આને કારણે હવે માનીતાઓને નહિ પરંતુ કાબીલ પોલીસકર્મીઓને સ્થાન આપવામાં આવશે.

આ પણ વાંચો :ભાજપના ધારાસભ્યનો શિવસેના પર ઈલેક્ટ્રિક બસ ટેન્ડરમાં ગોટાળાનો આરોપ, કહ્યું- વિદેશી કંપનીને ફાયદો કરાવવાનો પ્રયાસ

આ પણ વાંચો :Ahmedabad: રેશન દુકાનદારો પરેશાન, બેંકનું સર્વર બંધ થતાં ચલણના નાણાં ભરવામાં મુશ્કેલી

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">