AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan : કાબુલ મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ, આશરે 200 લોકોના મોતના સમાચાર

કાબુલ (Kabul Blast)ના અલ્લાહુદ્દીન વિસ્તારમાં આવેલી એક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટને કારણે મસ્જિદની છત પડી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટનામાં ઓછામાં ઓછા 200 લોકોના મોત થયા છે.

Afghanistan  : કાબુલ મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ, આશરે 200 લોકોના મોતના સમાચાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 8:14 PM
Share

Kabul Blast News : અફઘાનિસ્તાન (Afghanistan) ફરી એકવાર બોમ્બ વિસ્ફોટોથી હચમચી ગયું છે.કાબુલ (Kabul Blast)ના અલ્લાહુદ્દીન (Serahi Alauddin Area) વિસ્તારમાં આવેલી એક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટ (Blast)ને કારણે મસ્જિદની છત પડી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટનામાં ઓછામાં ઓછા 200 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ જે સમયે મસ્જિદમાં આ બ્લાસ્ટ થયો તે સમયે મોટી સંખ્યામાં લોકો નમાજ માટે એકઠા થયા હતા.કેટલાક પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે.

દેશના ત્રણ અલગ-અલગ ભાગોમાં એક પછી એક ત્રણ બ્લાસ્ટ થયા

નોંધનીય છે કે 21 એપ્રિલે અફઘાનિસ્તાનથી પણ આવા જ સમાચાર સામે આવ્યા હતા. જ્યારે દેશના ત્રણ અલગ-અલગ ભાગોમાં એક પછી એક ત્રણ બ્લાસ્ટ થયા હતા. આ ત્રણ બ્લાસ્ટ કાબુલ, મઝાર શરીફ અને કુન્દુઝમાં થયા હતા. મઝાર શરીફમાં એક શિયા મસ્જિદની અંદર વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી છે.  જેમાં બે બાળકો ઘાયલ થયા હતા. આ પહેલા 20 એપ્રિલે કાબુલમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓને બોમ્બ વિસ્ફોટ દ્વારા નિશાન બનાવવામાં આવી હતી.

ગુરુવારે સાંજે થયેલા બે વિસ્ફોટોમાં 9 લોકો માર્યા ગયા હતા અને 13 ઘાયલ થયા હતા. સ્થાનિક મીડિયાએ સુરક્ષા અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. બ્લાસ્ટ બલ્ખ પ્રાંતના મઝાર-એ-શરીફ (Mazar-e-Sharif) વિસ્તારમાં થયો હતો. તે જ સમયે, ટોલો ન્યૂઝ અનુસાર બંને વિસ્ફોટોમાં જાહેર પરિવહનને નિશાન બનાવવામાં આવ્યા હતા. બ્લાસ્ટ બાદ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી.

પ્રાંતીય આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. નોંધનીય છે કે આ વિસ્ફોટોની જવાબદારી હજુ સુધી કોઈ જૂથે લીધી નથી. નોંધનીય છે કે ગત ગુરુવારે મઝાર-એ-શરીફમાં થયેલા વિસ્ફોટમાં 30 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો :

રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ મૃત:પાય થવાની સ્થિતિમાં, 10 વર્ષમાં 1400 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ, ચાલુ વર્ષે 80 શાળાઓએ બંધ કરવા DEOને અરજી

આ પણ વાંચો :

ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચતા કાળઝાળ ગરમીનો અનુભવ, અમદાવાદમાં અપાયું રેડ એલર્ટ

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">