‘હું અણવર છુ ઉમેદવાર નહીં’ એવુ કહેનારા પરેશ ધાનાણી આખરે રાજકોટથી ચૂંટણી લડવા માટે કેમ થઈ ગયા તૈયાર, વાંચો ધાનાણીની રાજકીય સફર

રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસે ભાજપના પરશોત્તમ રૂપાલા સામે ટક્કર આપવા માટે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે. લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા પરેશ ધાનાણીને અગાઉ પણ કોંગ્રેસે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવા માટે આગળ કર્યા હતા. જો કે ત્યારે તેમણે એવુ કહીને વાત ટાળી દીધી હતી કે હું અણવર છુ ઉમેદવાર નહીં અને રાજકોટ ચૂંટણી લડવા માટે અસંમતિ દર્શાવી હતી.

'હું અણવર છુ ઉમેદવાર નહીં' એવુ કહેનારા પરેશ ધાનાણી આખરે રાજકોટથી ચૂંટણી લડવા માટે કેમ થઈ ગયા તૈયાર, વાંચો ધાનાણીની રાજકીય સફર
Follow Us:
| Updated on: Apr 16, 2024 | 3:59 PM

લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપ- કોંગ્રેસે તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ વખતે સૌથી વધુ હાઈવોલ્ટેજ બનેલી જો કોઈ બેઠક હોય તો તે રાજકોટ લોકસભા બેઠક છે. આ ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પૈકી આ બેઠક પર સહુ કોઈની નજરો રહેશે તે વાતમાં બે મત નથી. ભાજપે અહીંથી મૂળ અમરેલીના અને કડવા પાટીદાર સમાજમાંથી આવતા પરશોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે. જેની સામે કોંગ્રેસે લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા અને ત્રણ વાર ધારાસભ્ય રહેલા પરેશ ધાનાણીને ટિકિટ આપી છે.

કોણ છે પરેશ ધાનાણી ?

લેઉવા પાટીદાર પરિવારમાંથી આવતા પરેશ ધાનાણી હાલ 47 વર્ષના યુવા નેતા છે. તેજ, તૌખાર અને જુજારુ નેતા તરીકેની તેમની છાપ છે. સંતાનમાં તેમને બે દીકરીઓ છે અને અમરેલી જિલ્લામાંથી તેઓ આવે છે. કવિતાઓ કરવાના શોખીન પરેશ ધાનાણી લોકભોગ્ય અને સરળ વ્યક્તિત્વ છે.

રાજકીય સફર

પરેશ ધાનાણીએ વર્ષ 2002માં સૌપ્રથમ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને તેમણે અમરેલીથી ભાજપના પરશોત્તમ રૂપાલાને માત આપી હતી. જે બાદ વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીને હરાવ્યા હતા. વર્ષ 2017માં તેમણે ભાજપના બાવકુ ઉંધાડને હરાવી ત્રીજીવાર ધારાસભ્ય બન્યા હતા. વિધાનસભામાં તેઓ 6 જાન્યુઆરી 2018 થી 21 જાન્યુઆરી 2019 સુધી કોંગ્રેસ પક્ષ તરફથી નેતા વિપક્ષની જવાબદારી પણ બજાવી ચુક્યા છે. જો કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપના કૌશિક વેકરીયા સામે હારી ગયા હતા. અમરેલી વિધાનસભામાં બે દાયકા પહેલા પરશોત્તમ રૂપાલાને હરાવી રાજકારણમાં એન્ટ્રી કરનારા પરેશ ધાનાણીની ફરી રાજકોટથી પરશોત્તમ રૂપાલા સામે ટક્કર થવાની છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ભાજપ માટે સૌથી સેફ ગણાતી રાજકોટ લોકસભા બેઠક પર આ વખતે તેના માટે ગળાની ફાંસ બની છે. પરશોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિયો વિશે આપેલા રોટી બેટીના નિવેદનથી વિવાદનો મધપૂડો છેડાઈ ગયો છે અને ક્ષત્રિયો સતત રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી રહ્યા છે. જો કે ભાજપે હજુ તેમની ટિકિટ રદ કરી નથી ત્યારે જોવુ રહેશે કે ક્ષત્રિયોની નારાજગીનો ધાનાણીને કોઈ ફાયદો થાય છે કે કેમ અને ધાનાણી રૂપાલાને મજબુત ટક્કર આપવામાં સફળ રહે છે કે કેમ !

આ પણ વાંચો: અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિશાળ રેલી યોજી વિજય મુહૂર્તમાં ભર્યુ ઉમેદવારી પત્ર- જુઓ Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">