AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો ફરાર, સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ, જુઓ Video

રાજકોટના ગોંડલ રોડ પર આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો ફરાર થઈ જતાં ચકચાર મચી છે. એક બાળક પરત ફર્યો છે, જ્યારે અન્ય 10 બાળકોની શોધખોળ માટે પોલીસનો મોટો કાફલો કામે લાગ્યો છે.

Breaking News : રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો ફરાર, સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ, જુઓ Video
| Updated on: Jun 14, 2026 | 4:23 PM
Share

રાજકોટના ગોંડલ રોડ પર આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં કાયદાના સંઘર્ષમાં આવેલા 11 બાળકો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાએ શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે અને તંત્ર તેમજ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.

હજુ પણ 10 બાળકો લાપતા

પ્રાથમિક માહિતી અનુસાર, કુલ 11 બાળકો ભાગી છૂટ્યા હતા, જેમાંથી એક બાળક પરત ફર્યો છે. જોકે, હજુ પણ 10 બાળકો લાપતા છે, જેમની શોધખોળ માટે રાજકોટ પોલીસે કમર કસી છે. પોલીસ કમિશનર, ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો છે. અલગ-અલગ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં આજુબાજુના સીસીટીવી ફૂટેજની ચકાસણી અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે.

પોલીસ અધિકારીઓ દ્વારા બાળ સંરક્ષણ ગૃહના અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી વિગતો મેળવવામાં આવી રહી છે. કયા સંઘર્ષમાં આ બાળકો અહીં લાવવામાં આવ્યા હતા અને તેમની સુરક્ષા માટે કેવા પગલાં લેવાયા હતા, તે સહિતની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. બાળ સંરક્ષણ ગૃહની અંદરના દ્રશ્યો દર્શાવે છે કે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી, પોલીસ કમિશનર, ડીસીપી ઝોન ટુ અને સ્થાનિક પોલીસ મોટી સંખ્યામાં તપાસમાં લાગેલા છે.

દીવાલ પરનો લોખંડનો તાર તૂટેલી હાલતમાં જોવા મળ્યો

તપાસ દરમિયાન બાળ સંરક્ષણ ગૃહની સુરક્ષામાં અનેક ત્રુટિઓ સામે આવી છે. ગૃહની એક દીવાલ પરનો લોખંડનો તાર તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો, જ્યાંથી બાળકો ફરાર થયા હોવાની શક્યતા છે. પરત ફરેલા બાળકે પણ પોલીસને તે જગ્યા બતાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ તેને વધુ માહિતી મળે તે પહેલાં જ લઈ ગઈ હતી. એક અન્ય જગ્યા પણ દર્શાવવામાં આવી હતી જ્યાંથી બાળકો ભાગ્યા હોવાની પ્રબળ શક્યતા છે. આ દીવાલ પર કોઈ લોખંડના તાર નથી અને તેની પાછળ સીધો રોડ આવેલો છે. દીવાલની ઊંચાઈ પણ એટલી નથી કે તેને સરળતાથી પાર ન કરી શકાય, અને બારીઓના ટેકે ચડીને પણ ત્યાંથી ભાગી શકાય તેમ છે. આ દીવાલની બહાર તરત જ ગોંડલ રોડ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તાર આવેલો છે, જેથી બાળકો ગમે ત્યાં જઈ શકે છે.

આટલી મોટી સંખ્યામાં, એટલે કે બાર જેટલા બાળકો ફરાર થાય અને કોઈ પોલીસ કર્મચારીનું ધ્યાન ન જાય, તે બાબત સુરક્ષામાં ગંભીર બેદરકારી સૂચવે છે. સીસીટીવી હોવા છતાં આ ઘટના બની તે પણ એક મોટો પ્રશ્ન છે. પરત ફરેલા બાળકે કબૂલ્યું કે તેઓ છ બાળકો એકસાથે ફરાર થયા હતા અને બીજા છ બાળકો અલગ રીતે છૂટા પડ્યા હતા. આ માહિતી સૂચવે છે કે બાળકોએ ભાગવાની યોજના પહેલેથી જ બનાવી રાખી હતી.

પોલીસ અધિકારીઓ દ્વારા ગૃહની અંદર ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં પોલીસ દ્વારા આ મામલે સત્તાવાર નિવેદન પણ બહાર પાડવામાં આવશે. હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે બાકીના 10 બાળકો ક્યાં છે અને તેમને ક્યાં સુધીમાં શોધી શકાય છે. આ ઘટનાએ બાળ સંરક્ષણ ગૃહની સુરક્ષા અને બાળકોની દેખરેખ રાખવાની જવાબદારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય

Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
g clip-path="url(#clip0_868_265)">