AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchmahal : ગોધરામાં શ્વાનનો આતંક, રણછોડજી મંદિર નજીક શ્વાને 4 બાળકો સહિત 11 લોકોને ભર્યા બચકા

રણછોડજી મંદિર નજીક શ્વાને 15 લોકોને બચકા ભર્યાની ઘટના સામે આવી હતી. 4 બાળકો સહિત 11 લોકોને બચકા ભરતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. હાલ તમામ લોકો ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Panchmahal : ગોધરામાં શ્વાનનો આતંક, રણછોડજી મંદિર નજીક શ્વાને 4 બાળકો સહિત 11 લોકોને ભર્યા બચકા
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2023 | 11:42 AM
Share

પંચમહાલના ગોધરામાંથી રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. રણછોડજી મંદિર નજીક શ્વાને 15 લોકોને બચકા ભર્યાની ઘટના સામે આવી હતી. 4 બાળકો સહિત 11 લોકોને બચકા ભરતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. હાલ તમામ લોકો ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે શ્વાનના હુમલાના પગલે લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. અને રખડતા શ્વાન સામે પાલિકા કડક કાર્યવાહી કરે તેવી લોકોએ માગ કરી હતી.

આ પણ વાંચો : Panchmahal : તાજપુરી ગામમાં 39 કિલો ગાંજાના છોડ ઝડપાયા, ગોધરા SOGએ મુદ્દામાલ સહિત ખેતર માલિકની કરી ધરપકડ, જુઓ Video

તો મળતી માહિતી અનુસાર ગોધરાના અલગ અલગ વિસ્તારોમાંથી છેલ્લા 24 કલાકમાં 25 વ્યક્તિ શ્વાનના હુમલાનો ભોગ બન્યા છે. શ્વાનના હુમલાનો ભોગ બનેલા 25 વ્યક્તિને તાત્કાલીક ધોરણે સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં 6 લોકોને વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Stray dogs terror: Almost 15 were injured in a horrifying incidence of #dogbite near Ranchodji Mandir, Godhra#Panchmahal #Gujarat pic.twitter.com/JkBDLdGppN

— Tv9 Gujarati (@tv9gujarati) April 23, 2023

સુરતમાં બાળકીને છોડાવવા આવેલી મહિલાને પણ રખડતા શ્વાને બચકું ભરી લીધુ

તો બીજી તરફ સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં ઘરની બહાર જ હડકાયા શ્વાને બાળકીના ગાલની ચામડી પણ ખાઈ લીધી. બાળકીને છોડાવવા આવેલી મહિલાને પણ રખડતા શ્વાને બચકું ભરી લીધુ. ઘટનાને પગલે બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યારે કોર્પોરેશનની શ્વાન પકડનારી ટીમે હડકાયા શ્વાનને પકડી લીધુ હતુ. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો હતો. ત્યારે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા હતા.

સુરતમાં વર્ષ 2018થી અત્યાર સુધીમાં આટલા કેસ નોંધાયા

સુરતમાં શ્વાન કરડવાના કેસોની વાત કરીએ તો 15 દિવસમાં ડોગ બાઈટના 477 કેસ નોંધાયા છે. ફેબ્રુઆરીમાં નોંધાયેલા 477 કેસ પૈકી 22 કેસ ગંભીર હાલતમાં હતા. જાન્યુઆરી 2023માં 1205 લોકોને કુતરુ કરડ્યું હતું. તો વર્ષ 2018 માં સિવિલ હોસ્પિટલમાં 9,944 જ્યારે સ્મીમેરમાં 7154 કેસ નોંધાયા હતા. વર્ષ 2019 માં સિવિલમાં 11099 સ્મીમેરમાં 7375 કેસ નોંધાયા હતા. તો વર્ષ 2020માં સિવિલમાં 7124 સ્મીમેરમાં 5264 કેસ નોંધાયા હતા. વર્ષ 2021 માં સિવિલમાં 8,249 અને સ્મીમેરમાં 5431 કેસ ડોગ બાઈટના નોંધાયા હતા. તો વર્ષ 2022 માં સિવિલ હોસ્પિટલમાં 6810 અને સ્મીમેરમાં 5298 કેસ નોંધાયા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">