Kutch : મણિનગર ગાદી સંસ્થાન દ્વારા પ્રકાશિત પુસ્તક “સ્વતંત્રતા-સંગ્રામ, કચ્છ અને કચ્છીઓનું” વિમોચન કરાયું

Kutch News : મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પ્રકાશિત પુસ્તક “સ્વતંત્રતા - સંગ્રામ, કચ્છ અને કચ્છીઓનું” વિમોચન જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીના હસ્તે ભૂજની મુકતજીવન સ્વામીબાપા આર્ટ્સ, કોર્મસ એન્ડ બી.સી.એ. મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.

Kutch : મણિનગર ગાદી સંસ્થાન દ્વારા પ્રકાશિત પુસ્તક સ્વતંત્રતા-સંગ્રામ, કચ્છ અને કચ્છીઓનું વિમોચન કરાયું
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Apr 24, 2023 | 4:52 PM

કચ્છમાં હાલ ધાર્મિક માહોલ ચાલી રહ્યો છે. એક તરફ ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભવ્ય મહોત્સવ ઉજવાઇ રહ્યો છે, ત્યા બીજી તરફ મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય પણ કચ્છના પ્રવાસે છે. ત્યારે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પ્રકાશિત પુસ્તક “સ્વતંત્રતા – સંગ્રામ, કચ્છ અને કચ્છીઓનું” વિમોચન જિતેન્દ્રિયપ્રિય દાસજી સ્વામીના હસ્તે ભૂજની મુકતજીવન સ્વામીબાપા આર્ટ્સ, કોર્મસ એન્ડ બી.સી.એ. મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો- Rajkot: પ્રિ મોન્સુન કામગીરી અંગે મ્યુનિસિપલ કમિશનરે યોજી બેઠક, એક પણ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા ન રહે તે માટે આપી સૂચના

ડો. રીઝવાન કાદરી, સભ્ય નહેરૂ મેમોરીયલ એન્ડ લાઇબ્રેરી સોસાયટી (ભારત સરકાર) ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના સંગ્રામ અને સોર્ય પર લખાયેલ આ પુસ્તક મણિનગર ગાદી સંસ્થાન દ્વારા પ્રકાશીત કરાયુ છે. જેમાં કચ્છના લેખકો પુર્વ સાંસદ સહિત સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નારણપરનો 66મો પાટોત્સવ ઉજવાયો

બીજી તરફ દેશ-વિદેશના હરિભક્તોની ઉપસ્થિતિમાં ભૂજના નારાણપર ગામે આવેલ મંદિરનો 77 મો પાટોત્સવ પણ ઉજવાયો હતો. જેમાં જીતેન્દ્રપ્રીય દાસજીએ હાજરી આપી હતી. જેમાં પુસ્તકનુ વિમોચન કરાયુ હતુ. તો નારણપરના 66માં પાટોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, વચનામૃત ગ્રંથની પારાયણ યોજવામાં આવી હતી. આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મુકતજીવન સ્વામીબાપાએ કરી હતી. મહોત્સવની ઉજવણી દરમિયાન માનવસેવા, પશુસેવા માટે ઘાસચારો, દવા વિતરણ વિવિધ ગૌશાળા માટે તથા પ્રજ્ઞાચક્ષુના સંતાનોના અભ્યાસ માટે લાખો રૂપિયાનું માતબર દાન કરવામાં આવ્યું હતું.

ધાર્મિક કાર્યક્રમ દરમિયાન લાખો રુપિયાનું દાન એકઠુ થયુ

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા જ્ઞાનસત્ર-સત્સંગ સત્રનો પ્રારંભ કરાયો છે. જે લગભગ એક માસ સુધી ચાલશે. કચ્છમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સામાજીક કાર્ય માટે લાખો રૂપીયાનુ દાન એકઠુ થયુ હતુ, સાથે સંતોએ દેશ સેવા માટે હમેંશા તૈયાર રહેવા માટે હરિભક્તોને હાકલ કરી હતી. મણિનગર ગાદી સંસ્થાનના આચાર્યની કચ્છ મુલાકાત દરમ્યાન વિદેશથી હજારો હરિભક્તો સંત્સગમાં ભાગ લેવા કચ્છ આવ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

આયુર્વેદિક તબીબે નોર્મલ ડિલિવરી કરાવતા મહિલા અને બાળકનું મોત
આયુર્વેદિક તબીબે નોર્મલ ડિલિવરી કરાવતા મહિલા અને બાળકનું મોત
PMના પ્રહાર પર શક્તિસિંહનો પલટવાર, MOU અંગે શ્વેતપત્ર બહાર પાડે સરકાર
PMના પ્રહાર પર શક્તિસિંહનો પલટવાર, MOU અંગે શ્વેતપત્ર બહાર પાડે સરકાર
ABVP હવે સરકાર સામે માંડશે મોરચો, TET-TAT ઉમેદવારોના સમર્થનમાં ઉતરશે
ABVP હવે સરકાર સામે માંડશે મોરચો, TET-TAT ઉમેદવારોના સમર્થનમાં ઉતરશે
સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં મેઘરેજાની ધમાકેદાર બેટિંગ, છલકાયા નદીનાળા
સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં મેઘરેજાની ધમાકેદાર બેટિંગ, છલકાયા નદીનાળા
Rajkot સ્લેબ ધરાશાયી મામલો, એન્જિનિયર હયાત ન હોવાનો પત્રમાં ઉલ્લેખ
Rajkot સ્લેબ ધરાશાયી મામલો, એન્જિનિયર હયાત ન હોવાનો પત્રમાં ઉલ્લેખ
ગણેશ મહોત્સવ અને ઈદને લઈ DIG અને SP દ્વારા હિંમતનગરમાં ફુટ પેટ્રોલિંગ
ગણેશ મહોત્સવ અને ઈદને લઈ DIG અને SP દ્વારા હિંમતનગરમાં ફુટ પેટ્રોલિંગ
સ્નાતકોને ઈ-કોમર્સ ક્ષેત્રમાં મહિને 33,000થી વધુ પગાર
સ્નાતકોને ઈ-કોમર્સ ક્ષેત્રમાં મહિને 33,000થી વધુ પગાર
સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખનુ વિચિત્ર નિવેદન, શ્વાન સ્થાનિક નહોતો એટલે
સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખનુ વિચિત્ર નિવેદન, શ્વાન સ્થાનિક નહોતો એટલે
સ્નાતકોને ડિઝાઈનીંગ ક્ષેત્રમાં મહિને 29,000થી વધુ પગાર
સ્નાતકોને ડિઝાઈનીંગ ક્ષેત્રમાં મહિને 29,000થી વધુ પગાર
મહિસાગર પોલીસે દારુ ભરેલી કારનો ફિલ્મી સ્ટાઈલે કર્યો પીછો, ચાલક ફરાર
મહિસાગર પોલીસે દારુ ભરેલી કારનો ફિલ્મી સ્ટાઈલે કર્યો પીછો, ચાલક ફરાર