Kutch : કચ્છના જખૌ સહિત મોહાડીના દરિયાકાંઠેથી હટાવાયા દબાણો
મોહાડીના દરિયાકાંઠેથી 5 જેટલા ગેરકાયદે દબાણો દરૂ કરવામાં આવ્યા હતા. મોહાડી બાદ કચ્છના જખૌ બંદર તેમજ જખૌ જેટી નજીકના ગેરકાયદે દબાણો પર દૂર કરવામાં આવશે. આજે વહેલી સવારથી અબડાસાના મોહાડીમાં આ દબાણો દૂર કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ગેરકાયદે દબાણો સામે મેગા ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે દેવભૂમિ દ્વારકા (Dev bhoomi dwarka) ના મેગા ડિમોલિશનની કામગીરી બાદ કચ્છ (Kutch) જિલ્લામાં પણ દરિયાકાંઠેથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કચ્છના અબડાસામાં (Abdasa) આવેલા મોહાડીના દરિયાકાંઠેથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી અને મોહાડીના દરિયાકાંઠેથી 5 જેટલા ગેરકાયદે દબાણો દરૂ કરવામાં આવ્યા હતા. મોહાડી બાદ કચ્છના જખૌ બંદર તેમજ જખૌ જેટી નજીકના ગેરકાયદે દબાણો પર દૂર કરવામાં આવશે. આજે વહેલી સવારથી અબડાસાના મોહાડીમાં આ દબાણો દૂર કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
દ્વારકામાં પણ સાત દિવસ ચાલી હતી મેગા ડિમોલિશનની કામગીરી
મેગા ડિમોલિશન દ્વારા બેટ દ્વારકામાં 8 કરોડથી વધુની કિંમતની જમીન ઉપર ગેરકાયદે દબાણ (Illegal ) દૂર કરીને બે લાખ નેવું હજાર ફૂટ ગામતળ, ગોચર અને મરીન વિસ્તારની જમીન ખુલ્લી કરવામાં આવી છે. દરિયાઇ સુરક્ષા (Coastal Security) ને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગે કરેલા આદેશ બાદ સાત દિવસમાં દેવભુમિ દ્વારકા (Dwarka) ના બેટ દ્વારકામાં દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ગેરકાયદે મકાનો (Illegal Houses) દૂર કરવામાં આવ્યા હતા. એક હજારથી વધારે પોલીસકર્મીઓના બંદોબસ્ત અને રેવન્યુના અધિકારીઓને સાથે રાખીને ગેરકાયદે બાંધકામ અને વિવાદીત સ્થળોને દૂર કરવામાં આવ્યા હતા, જેમાં રાજકોટ રેન્જના IG સંદિપસિંઘના માર્ગદર્શન હેઠળ નાનામાં નાની બાબતોને ધ્યાનમાં રાખીને એકશન પ્લાન બનાવવામાં આવ્યો હતો અને મેગા ડિમોલિશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ પણ કર્યા આ કામગીરીના વખાણ
ગુજરાતની મુલાકાતે આવેલા PM મોદીએ ડિમોલિશનની કામગીરી અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ભૂપેન્દ્રભાઈ મૃદુ અને મક્કમ છે તેનો અનુભવ ગુજરાતે કર્યો. દરિયાઈ પટ્ટી પર ગેરકાયદે દબાણો કરી લોકો બેફામ બન્યા હતા. ભૂપેન્દ્રભાઈએ બધુ ચૂપચાપ સફાચટ કરી નાખ્યું. આ સાથે PM મોદીએ ગુજરાતના વિકાસમાં પંચશક્તિના મહત્વ અંગે પણ લોકોને જણાવ્યું હતું. ગુજરાતને ગ્રોથ એન્જિન બનાવવા માટે પંચશક્તિનું શું મહત્વ છે શું યોગદાન છે તે અંગે PM મોદીએ જનતાનું ધ્યાન દોર્યું હતુ. PM મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસમાં જ્ઞાન શક્તિ,જળ શક્તિ,ઊર્જા શક્તિ, રક્ષા શક્તિનું ખાસ યોગદાન છે. આ 5 સંકલ્પથી ગુજરાતના વિકાસનો પાયો મજબૂત બન્યો છે અને આ 5 સંકલ્પના સ્તંભ પર ગુજરાતની ભવ્ય ઈમારત ઉભી છે.