AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કચ્છ : પુર્વ મંત્રી તારાચંદ છેડાનું નિધન, અંતિમવિધીમાં ગૌતમ અદાણી સહિત અનેક લોકો જોડાયા

કચ્છ ભાજપમાં સૌથી સીનીયર આગેવાન એવા તારાચંદ છેડાનું રાજકીય અને સામાજીક ક્ષેત્રે મોટું નામ હતું. ગઇકાલે તેમના નિધનના સમાચાર બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મંત્રી ધારાસભ્યોએ તેમને અંજલી આપી શોક વ્યક્ત કર્યો હતો.

કચ્છ : પુર્વ મંત્રી તારાચંદ છેડાનું નિધન, અંતિમવિધીમાં ગૌતમ અદાણી સહિત અનેક લોકો જોડાયા
Kutch: Former Minister Tarachand Chheda's death, many people including Gautam Adani attended the funeral
Jay Dave
| Edited By: | Updated on: Apr 24, 2022 | 5:15 PM
Share

કચ્છમાં (Kutch) ભાજપને (BJP) મજબુત કરવામાં સિંહફાળો રહ્યો છે અને જીવદયા ક્ષેત્રે કચ્છ અને મુંબઇમાં જેનું મોટું નામ છે તેવા કચ્છના પુર્વ ધારાસભ્ય તારાચંદ છેડાનું (Tarachand Chheda) નિધન (Death) થયું છે. ટુંકી માંદગી બાદ તેઓએ અનશન(સંથારો) લેવાનું નક્કી કર્યા બાદ ગઇકાલે તેમનું નિધન ભુજ ખાતે થયું હતું. તેમની ઇચ્છા મુજબ તેમના વતન કાંડાગરા ખાતે તેમની અંતિમવીધી કરાઇ હતી. આજે પાલખીયાત્રા યોજી કાંડાગરા ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા. જેમાં મોટી સંખ્યામાં કચ્છ અને મુંબઇથી ખાસ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિત અનેક રાજકીય આગેવાનો તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા અને તારાચંદ છેડાના નિધન પર તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.

જીવદયા આરોગ્ય ક્ષેત્રે મોટુ કામ

ગુજરાતની ભાજપ સરકારમાં મંત્રી અને સક્રિય આગેવાન હોવા છતાં કચ્છના પ્રશ્નો માટે તેઓ સતત પ્રજાના પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે. કચ્છમાં અછતની સ્થિતીમાં દાતાની મદદથી તેઓએ હમેંશા કચ્છમાં મુશ્કેલીમાં મદદરૂપ થયા સફળ પ્રયત્નો કર્યા છે. તો આરોગ્ય ક્ષેત્રે તેમની સંસ્થાના માધ્યમથી તેઓએ અનેક ગરીબ દર્દીઓ માટે મદદરૂપ થયા છે.

અનેક લોકોએ અંજલી આપી

કચ્છ ભાજપમાં સૌથી સીનીયર આગેવાન એવા તારાચંદ છેડાનું રાજકીય અને સામાજીક ક્ષેત્રે મોટું નામ હતું. ગઇકાલે તેમના નિધનના સમાચાર બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મંત્રી ધારાસભ્યોએ તેમને અંજલી આપી શોક વ્યક્ત કર્યો હતો. અને તેમના પરિવારને સાંત્વના પણ પાઠવી હતી. તો આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સહિત અનેક ધારાસભ્યો અને રાજકીય આગેવાનો તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા. અને તેમના નિધનથી કચ્છના લોકો અને ભાજપને મોટી ખોટ પડી હોવાની લાગણી વ્યક્ત કરી હતી. તો અંતિમવીધીમાં દેશના જાણીતા ઉદ્યોગપતી ગૌતમ અદાણી પણ જોડાયા હતા. અને પરિવારને સાંત્વના આપી હતી કચ્છ ઉપરાંત મુંબઇમાં વિવિધ સમાજો પર તેમનું પ્રભુત્વ હતું.

બે ટર્મ ધારાસભ્ય રહી ચુકેલા અને આંનદીબેન સરકારમાં મંત્રી રહેલા તારાચંદ છેડા સક્રિય રાજકારણ સાથે હમેંશા કચ્છના પ્રશ્નોની ચિંતા કરતા આવ્યા છે. અને તેમના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવામાં તેઓ હમેંશા કડી રૂપ રહ્યા છે તો સામાજીક રીતે પણ તેમનુ કચ્છમાં મોટું યોગદાન છે ત્યારે આજે તેમની અંતિમક્રિયામાં અનેક મહાનુભાવો જોડાયા હતા. અને કચ્છનો અવાજ બનેલા તારાચંદ છેડાને અંતિમ વિદાય આપી હતી.

આ પણ વાંચો :Vadodara : યુનોના ઇકોસોક યુવા ફોરમ-2022 લીડર બોર્ડમાં આયુર્વેદિક અધિકારી સુધીર જોશીએ પ્રથમ ક્રમ મેળવ્યો

આ પણ વાંચો :Maharashtra: અમરાવતીમાં કંડલી ગેસ સિલિન્ડરના ગોડાઉનમાં ભીષણ આગ, બે કિલોમીટર સુધી વિસ્ફોટનો અવાજ સંભળાયો, જુઓ Video

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">