‘સિંહના ઠેકાણા ન હોય’ તો એશિયાટિક સિંહ માત્ર ગુજરાતમાં જ કેમ જોવા મળે છે ? જાણો આ સાવજની શું છે ખાસિયત

એશિયાટિક સિંહ માત્ર ગુજરાતનું જ નહીં પણ એશિયાનું પણ ગૌરવ છે. એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે સરકાર ખાસ તકેદારી રાખે છે. ત્યારે આજના લેખમાં જણાવીશું કે, એશિયામાં ફ્ક્ત ગુજરાતમાં જ કેમ જોવા મળે છે એશિયાટિક સિંહ અને આ સિંહો અન્ય સિંહોથી કેવી રીતે અલગ પડે છે ?

'સિંહના ઠેકાણા ન હોય' તો એશિયાટિક સિંહ માત્ર ગુજરાતમાં જ કેમ જોવા મળે છે ? જાણો આ સાવજની શું છે ખાસિયત
Asiatic lion
Follow Us:
| Updated on: Apr 25, 2024 | 7:19 PM

એશિયાટિક સિંહ કે જેને ભારતીય સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે પેંથેરા લીઓની પેટાજાતિના છે. જે 20મી સદીની શરૂઆતથી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને તેના આસપાસના વિસ્તારોમાં જ જોવા મળે છે. એક સમયે એશિયાટિક સિંહ એશિયા અને પૂર્વ યુરોપના પશ્ચિમ, દક્ષિણ અને મધ્ય પ્રદેશોમાં રહેતા હતા. એશિયાટિક સિંહો અગાઉ પર્શિયા, અરેબિયા, પેલેસ્ટાઈન, મેસોપોટેમિયા અને બલુચિસ્તાનમાં જોવા મળતા હતા.

એશિયાટિક સિંહો ગુજરાત કેવી રીતે આવ્યા ?

ભારતમાં એશિયાટિક સિંહો અગાઉ બંગાળ સહિત સમગ્ર ભારતમાં વસવાટ કરતા હતા, પરંતુ મોટા પ્રમાણમાં શિકારના કારણે તેમની સંખ્યામાં ઘટાડો થયો. 19મી સદીની શરૂઆતમાં આ સિંહો ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં હરિયાણા, ખાનદેશ (હાલના મહારાષ્ટ્રમાં), રાજસ્થાન, સિંધ અને છેક પૂર્વમાં પલામુ અને રીવા, મધ્ય પ્રદેશ સુધી જોવા મળ્યા હતા. બ્રિટિશરો અને ભારતીય જાગીર શાસકો દ્વારા શિકારને કારણે દેશમાં સિંહોની સંખ્યામાં સતત ઘટાડો થયો.

1814 સુધીમાં ઝારખંડના પલામુમાં, 1830ના દાયકામાં બરોડા, હરિયાણા અને અમદાવાદમાં અને 1840ના દાયકામાં કોટ દીજી અને દમોહમાં એશિયાટિક સિંહો લુપ્ત થઈ ગયા હતા. 1857ના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન બ્રિટિશ અધિકારી દ્વારા 300 સિંહોને ઠાર કરવામાં આવ્યા હતા. ગ્વાલિયર અને રીવાના છેલ્લા સિંહોને પણ 1860માં ગોળી મારવામાં આવી હતી. 1880 સુધીમાં ગુના, ડીસા અને પાલનપુરમાં પણ કોઈ સિંહ બચ્યા ન હતા અને જૂનાગઢ જિલ્લામાં માત્ર એક ડઝન જેટલા જ સિંહો બચ્યા હતા. સદીના અંત સુધીમાં આ સિંહો માત્ર ગીરના જંગલમાં જ બચ્યા હતા. ધીરે ધીરે ગીર જ સિંહોનું આશ્રયસ્થાન બની ગયું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જૂનાગઢના નવાબ અને વનવિભાગના પ્રયાસોથી સિંહોની સંખ્યા વધી

એક સમયે ભારતમાં એશિયાટિક સિંહો લગભગ લુપ્ત થઈ ગયા હતા, પરંતુ વીસમી સદીની શરૂઆતમાં જૂનાગઢના નવાબના ખાસ પ્રયાસો અને છેલ્લા 60 વર્ષોમાં ગુજરાતના ગીરમાં કરવામાં આવેલા સંરક્ષણ પ્રયાસોએ તેમની સંખ્યા વધારવામાં મદદ કરી. જૂનાગઢના નવાબ દ્વારા સિંહોના શિકાર પર પ્રતિબંધ મુકવા ઉપરાંત શિકાર જેવી ગતિવિધિઓમાં શામેલ થનાર વ્યક્તિને ગંભીર સજા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી, ત્યારથી સિંહોની સુરક્ષામાં કોઈ કચ્ચાસ રાખવામાં આવતી નથી.

આ ઉપરાંત વર્ષ 1911માં સિંહોને સુરક્ષિત કરવાના પ્રોજેક્ટની સૌપ્રથમ વખત શરૂઆત કરનાર પણ જૂનાગઢના નવાબ જ હતા. ત્યાર બાદ સિંહોની વસ્તીને સતત વધારવા માટે રાજ્યનો વનવિભાગ પણ સતર્ક બન્યો હતો અને જે બાદ સિંહોનો શિકાર અને જંગલ વિસ્તારને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ ખુબ જ ઓછી થવા લાગી છે.

એશિયાટિક સિંહ આફ્રિકી સિંહથી કેવી રીતે અલગ પડે છે ?

સિંહની બે જાતિઓ છે. એક એશિયાટિક સિંહ છે, બીજા આફ્રિકન સિંહ છે. હવે તમે સમજી જ ગયા હશો કે આપણા દેશમાં માત્ર એશિયાટિક સિંહ જોવા મળે છે. આ પ્રજાતિને પેન્થેરા લીઓ કહેવામાં આવે છે. તેનું શરીર ભૂખરા રંગનું હોય છે. સિંહો સામાન્ય રીતે તેમના પરિવાર સાથે રહે છે. એશિયાટિક સિંહો કદમાં આફ્રિકન સિંહો કરતા થોડા નાના હોય છે. પુખ્ત નરનું વજન લગભગ 160થી 190 કિગ્રા હોય છે, જ્યારે માદાનું વજન લગભગ 110થી 120 કિગ્રા હોય છે. આ સિંહની ઊંચાઈ લગભગ 3.5 ફૂટ (110 સે.મી.) છે. નર એશિયાટિક સિંહની કુલ લંબાઈ પૂંછડી સહિત લગભગ 2.92 મીટર (115 ઇંચ) છે. આ સિંહો હંમેશા ખુલ્લામાં રહેવાનું પસંદ કરે છે. તેથી તેઓ ઊંચા ઘાસવાળા જંગલોમાં રહેતા નથી. આ કારણોસર તેમનું શરીર સ્નાયુબદ્ધ છે.

Asiatic lion

આફ્રિકી સિંહોના કદ વિશે વાત કરીએ તો તેની પૂંછડી સુધીની લંબાઈ લગભગ 120 સેમી સુધીની હોય છે. આફ્રિકી સિંહોમાં નરનું વજન લગભગ 150 કિગ્રાથી 250 કિગ્રા અને માદાનું વજન 120 કિગ્રાથી 182 કિગ્રા છે, આફ્રિકી સિંહો સવાના અને ઘાસના મેદાનોમાં રહે છે. આફ્રિકન સિંહની કેશવાળી એશિયાઈ સિંહ કરતાં વધુ ગાઢ અને ઘેરા કાળા રંગની હોય છે. આફ્રિકન સિંહની પૂંછડીના છેડે જોવા મળતું કેશનું ઝૂમખું તેને એશિયન સિંહથી અલગ પાડે છે. આફ્રિકન સિંહનું મોં લાંબું હોય છે, જ્યારે એશિયાટિક સિંહનું મોં ચપટું હોય છે. આફ્રિકન સિંહ પીળાથી સોનેરી રંગના દેખાય છે.

એશિયાટિક સિંહ માત્ર ગુજરાતમાં જ કેમ જોવા મળે છે ?

એક સમય એવો હતો કે ગીરમાં જોવા મળતા સિંહો ભારત ઉપરાંત પર્શિયા, અરેબિયા જેવા વિદેશોમાં પણ જોવા મળતા હતા, પરંતુ સિંહોના શિકાર અને તેમના કુદરતી રહેઠાણોના વિનાશને કારણે આજે સિંહો માત્ર ગુજરાત અને ગીરમાં જ જોવા મળે છે. એશિયાટિક સિંહો છેલ્લે 1884માં ગુજરાતની બહાર જોવા મળ્યા હતા. ગુજરાતમાં ગીરનું જંગલ તેની આબોહવા અને શિકારની સવલતોને કારણે ગીરના સિંહો માટે અનુકૂળ બન્યું છે. સિંહને હંમેશા ઓછી ગીચતાવાળું જંગલ અને સમશીતોષ્ણીય કટિબંધીય આબોહવા માફક આવે છે. આ બધું ગીરના જંગલમાં ઉપલ્બ્ધ છે, તેથી સિંહોને ગીરનું જંગલ માફક આવી ગયું છે.

ગુજરાતમાં સિંહોની સંખ્યા

એશિયાટિક સિંહોની સૌપ્રથમ ગણતરી 1936માં જૂનાગઢના નવાબ દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ દર 5 વર્ષે સિંહોની ગણતરી કરવામાં આવે છે. એશિયાટીક સિંહ જે એક સમયે લુપ્ત થઈ રહ્યા હતા. તેમાં આજે વૃદ્ધિ જોવા મળી રહી છે. ગુજરાત વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતા ડેટા અનુસાર, છેલ્લે જ્યારે 2020માં સિંહોની ગણતરી કરવામાં આવી હતી. ત્યારે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને તેની આસપાસના વિસ્તારોમાં કુલ 674 એશિયાટિક સિંહો નોંધાયા હતા. જે 2015ની વસ્તી ગણતરી બાદ સિંહોમાં 29 ટકાનો વધારો દર્શાવે છે. 2015માં સિંહોની સંખ્યા 523 હતી.

Asiatic lion

સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંહો જે વિસ્તારમાં વસવાટ કરે છે, તે વિસ્તારમાં પણ વૃદ્ધિ થઈ છે. 2015માં 22,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર વધીને 2020માં 30,000 ચોરસ કિલોમીટર થઈ ગયો છે, જે 36 ટકાનો વધારો દર્શાવે છે. દર પાંચ વર્ષે એશિયાટિક સિંહોની વસ્તીનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને છેલ્લા એક દાયકામાં તેમાં સતત વધારો જોવા મળ્યો છે.

સિંહોની અત્યાર સુધીની જીવન સફર ખૂબ જ કપરી રહી છે, પરંતુ જંગલના રાજા એશિયાઇ સિંહોએ કપરા સમયમાંથી બહાર આવીને ખરેખર જંગલના રાજા હોવાનું સાબિત કરી દીધું છે. એશિયાઇ સિંહને આંતરરાષ્ટ્રિય મંચ ઉપર મેક ઈન ઇન્ડિયાના લોગોમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ બધું વન અધિકારીઓ અને સ્થાનિક લોકોના અથાક પ્રયત્નોને આભારી છે.

સિંહોના સંરક્ષણ માટે કરવામાં આવેલ પ્રયાસો

એશિયાટિક સિંહ માત્ર ગુજરાતનું જ નહીં પણ એશિયાનું પણ ગૌરવ છે. ત્યારે એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે સરકાર ખાસ તકેદારી રાખે છે. ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે એશિયાટિક સિંહની વસ્તી અને તેની ઇકોસિસ્ટમને બચાવવા અને તેના સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે એશિયાટિક સિંહ સંરક્ષણ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

આ પ્રોજેક્ટ પહેલા પણ મંત્રાલયે ગુજરાતમાં એશિયાટિક સિંહના સંરક્ષણ માટે અનેક પ્રયાસો કર્યા છે, આવા જ એક કાર્યક્રમ હેઠળ એશિયાટિક સિંહને સરકાર દ્વારા 21 ક્રિટીકલી એન્ડેન્જર્ડ પ્રજાતિઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, CSS-DWH હેઠળ નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવી છે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2020માં પ્રોજેક્ટ લાયનની પણ જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ એશિયાટિક સિંહના સંરક્ષણ માટે શરૂ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ લાયનનો ઉદ્દેશ સંરક્ષણ અને પર્યાવરણીય વિકાસને એકીકૃત કરીને લેન્ડસ્કેપ ઇકોલોજી પર આધારિત ગુજરાતમાં એશિયાટિક સિંહના સંરક્ષણ માટે કરવામાં આવ્યો છે.

ગીર નેશનલ પાર્ક

એશિયામાં ગુજરાતનું ગીર નેશનલ પાર્ક વિશ્વનું એકમાત્ર સ્થળ છે, જ્યાં તમે સિંહોને જંગલમાં વિહરતા જોઈ શકો છો. ગીર નેશનલ પાર્ક જૂનાગઢ જિલ્લાના દક્ષિણ પૂર્વમાં આશરે 65 કિલોમીટર દૂર આવેલું છે. એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે સરકારે 18 સપ્ટેમ્બર, 1965ના રોજ સાસણ ગીરના વિશાળ ભૌગોલિક વિસ્તારને વન્યજીવ અભયારણ્ય તરીકે સૂચિત કર્યો હતો. તેનો કુલ વિસ્તાર 1412 ચોરસ કિલોમીટર છે, જેમાંથી 258 ચોરસ કિલોમીટર રાષ્ટ્રીય ઉદ્યાનનો મુખ્ય વિસ્તાર છે.

આ પણ વાંચો ગુજરાત સ્થાપના દિન સ્પેશિયલ : ભોજન બિલમાં 20 ટકાનો વધારો આ મુખ્યમંત્રીને પડ્યો ભારે, ગુમાવવી પડી હતી CMની ખુરશી

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">