ગુજરાત સ્થાપના દિન સ્પેશિયલ : ભોજન બિલમાં 20 ટકાનો વધારો આ મુખ્યમંત્રીને પડ્યો ભારે, ગુમાવવી પડી હતી CMની ખુરશી

51 વર્ષ પહેલા થયેલું આ આંદોલન ગુજરાતના વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના લોકો દ્વારા સમાજમાં નાણાંકીય સમસ્યાઓ અને ભષ્ટ્રાચારના વિરોધમાં શરૂ કરવામાં આવેલી રાજકીય અને સામાજીક ચળવળ હતી. આ આંદોલન સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ચૂંટાયેલી સરકારને પાડી દેનારું એક માત્ર સફળ આંદોલન હતું. આ લેખમાં અમે તેના વિશે વિસ્તારથી માહિતી આપીશું.

ગુજરાત સ્થાપના દિન સ્પેશિયલ : ભોજન બિલમાં 20 ટકાનો વધારો આ મુખ્યમંત્રીને પડ્યો ભારે, ગુમાવવી પડી હતી CMની ખુરશી
Navnirman Andolan
Follow Us:
| Updated on: Apr 24, 2024 | 7:02 PM

દેશમાં જ્યારે પણ આંદોલનની વાત આવે છે, ત્યારે ગુજરાતમાં થયેલા આંદોલનોને ચોકક્સ યાદ કરવામાં આવે છે. ગુજરાતમાં થયેલા આંદોલનમાંથી આજે અમે તમને એક એવા આંદોલન વિશે જણાવવા જઈ રહ્યા છે કે જેમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારે આ લેખમાં જાણીશું કે એ સમયે મુખ્યમંત્રી કોણ હતા અને આંદોલન થવા પાછળનું કારણ શું હતું તેના વિશે વિસ્તારથી માહિતી આપીશું.

51 વર્ષ પહેલા થયેલું આ આંદોલન ગુજરાતના વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના લોકો દ્વારા સમાજમાં નાણાંકીય સમસ્યાઓ અને ભષ્ટ્રાચારના વિરોધમાં શરૂ કરવામાં આવેલી રાજકીય અને સામાજીક ચળવળ હતી. આ આંદોલન સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ચૂંટાયેલી સરકારને પાડી દેનારું એક માત્ર સફળ આંદોલન હતું. આ આંદોલનના દેશભરમાં પડઘા પડ્યા હતા.

ભોજન બિલમાં 20 ટકાના વધારો, વિધાર્થીઓમાં રોષ

વર્ષ 1973નો ડિસેમ્બર મહિનો હતો. અમદાવાદની લાલભાઈ દલપતભાઈ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલ મેસની ફીમાં અચાનક 20 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ફૂડ બિલમાં વધારો થતાં વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ધીરે ધીરે આ રોષે હિંસક રૂપ ધારણ કર્યું અને કોલેજની કેન્ટીનમાં તેમજ સ્ટોર રૂમમાં તોડફોટ કરી. એટલું જ નહીં પછી તો આ વિદ્યાર્થીઓ રેક્ટરના આવાસ તરફ વળ્યા અને આવાસને ઘેરીને તેમાં પણ તોડફોડ કરવામાં આવી. પરિસ્થિતિને થાળે પાડવા તાત્કાલિક પોલીસ બોલાવવી પડી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પોલીસે વિદ્યાર્થીઓના ટોળામાંથી ત્રણ વિધાર્થીઓની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા, પરંતુ મામલો થાળે પડવાને બદલે વધુ ઉગ્ર બન્યો. વિધાર્થીઓએ એક બેઠક યોજી અને સાથી મિત્રોને છોડાવવા મોટી સંખ્યામાં વિધાર્થીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને વિરોધ પ્રદર્શન કર્યું. એલ.ડી એન્જિનિયરિંગ કોલેજની ઘટનાના એક દિવસ પહેલા મોરબીની એન્જિનિયરિંગ કોલેજમાં પણ આવો જ બનાવ સામે આવ્યો હતો.

એલ.ડી એન્જિનિયરિંગ કોલેજની ઘટનાના લગભગ 13 દિવસ બાદ આવું જ પ્રદર્શન ગુજરાત યુનિવર્સિટીમાં પણ શરૂ થયું. વિરોધને પગલે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને ત્યારબાદ 7 જાન્યુઆરીએ વિદ્યાર્થીઓ આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા. ગુજરાતની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા.

નવનિર્માણ યુવક સમિતિની રચના

વિદ્યાર્થીઓના આ આંદોલનમાં શિક્ષકો અને વકીલો પણ જોડાયા અને આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરવા લાગ્યું. અમદાવાદમાં મધ્યમ વર્ગના લોકો અને શ્રમિકો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા અને કેટલીક રેશનની દુકાનો પર તોડફોડ પણ કરી. ત્યાર બાદ વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને વકીલોએ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે એક સમિતિની રચના કરવામાં આવી. બાદમાં આ સમિતિ નવનિર્માણ યુવક સમિતિ તરીકે ઓળખાઇ.

આંદોલનના રાજ્યભરમાં પડઘા પડ્યા

નવનિર્માણ યુવક સમિતિ રચના બાદ આગળના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી. આંદોલનકારીઓ દ્વારા મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલના રાજીનામાની માંગણી કરવામાં આવી. 10 જાન્યુઆરીએ અમદાવાદ અને વડોદરામાં બંધનું એલાન આપવામાં આવ્યું. જે હિંસક બન્યું. ત્યાર બાદ ફરીથી 25 જાન્યુઆરી 1974ના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું. આ રાજ્યવ્યાપી હડતાલના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા. 33 શહેરોમાં પોલીસ અને લોકો વચ્ચે અથડામણની ઘટનાઓ સામે આવી. સરકાર દ્વારા 44 શહેરોમાં સંચારબંધી લાગુ કરવામાં આવી. તેમ છતાં પરિસ્થિતિ થાળે ના પડતાં અમદાવાદમાં લશ્કરી ટુકડીઓને બોલાવવામાં આવી.

Navnirman Andolan

Navnirman Andolan

આંદોલનના પગલે ચીમનભાઈ પટેલને ગુમાવવી પડી CMની ખુરશી

આ આંદોલનના કારણે પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી. જેના કારણે તત્કાલીન મુખ્યપ્રધાન ચીમનભાઈ પટેલને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું. ત્યાર બાદ 9 ફેબ્રુઆરી 1974ના રોજ ચીમનભાઈ પટેલે રાજીનામું આપ્યું અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું. ત્યાર બાદ વિરોધ પક્ષે વિધાનસભા વિખેરવાની માગણી કરી. એ સમયે વિધાનસભામાં કોંગ્રેસના 140 ધારાસભ્યો હતા. જેમાંથી 15 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા. જે બાદ આંદોલને વેગ પકડ્યો. ત્યાર બાદ એક પછી એક એમ 95 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા અને અંતે 16 માર્ચના રોજ વિધાનસભા પણ વિખેરી નાખવામાં આવી અને આંદોલનનો અંત આવ્યો.

નવનિર્માણ આંદોલનના કારણે શું થયું ?

નવનિર્માણ આંદોલન 73 દિવસ ચાલ્યું હતું. આ આંદોલનમાં લગભગ 100 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 300થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તો આ આંદોલનમાં 8 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આંદોલન પુરું થયાના લગભગ એક વર્ષ બાદ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. 10 જૂન 1975ના રોજ ચૂંટણી યોજાઈ અને 12 જૂને પરિણામો જાહેર થયા. જેમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો. આ ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 75 બેઠકો જીતી. તો કોંગ્રેસ (ઓ), જન સંઘ, PSP અને લોક દળનું સંગઠન જે જનતા મોર્ચા તરીકે ઓળખાતું હતું, તેમણે 88 બેઠકો મેળવી. જનતા મોર્ચાની જીત થતાં બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.

Navnirman Andolan

Navnirman Andolan

17 વર્ષ બાદ ચીમનભાઈ પટેલ ફરીથી CM બન્યા

નવનિર્માણ આંદોલનમાં ગુમાવવી પડી CMની ખુરશી પાછી મેળવવા માટે ચીમનભાઈ પટેલને 17 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. 4 માર્ચ, 1990ના રોજ તેઓ ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. આ વખતે ચીમનભાઈ પટેલને જનતા દળ તરફથી મુખ્યમંત્રી બનવાનો મોકો મળ્યો હતો. ત્યારે તેમની સરકારને ભાજપનું સમર્થન હતું. ઓક્ટોબરના અંતમાં ભાજપે ટેકો પાછો ખેંચી લીધો હતો અને ચીમનભાઈ પટેલે કોંગ્રેસના ટેકાથી સરકાર બચાવી હતી. તેઓ બીજા કાર્યકાળમાં 3 વર્ષ 350 દિવસ સુધી મુખ્યમંત્રી રહ્યા. 17 ફેબ્રુઆરી 1994ના રોજ ચીમનભાઈનું અવસાન થયું. ત્યાર બાદ છબીલદાસ મહેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

નવનિર્માણ આંદોલન બાદ શું થયું ?

ચીમનભાઇ પટેલના રાજીનામા બાદ જયપ્રકાશ નારાયણે 11 ફેબ્રુઆરી 1974ના રોજ ગુજરાતની મુલાકાત લીધી, જો કે તેઓ આંદોલન સાથે સંકળાયેલા નહોતા, પરંતુ બિહારમાં એ સમયે બિહાર આંદોલન શરૂ થઇ ગયું હતું. નવનિર્માણ આંદોલને જોઈને જય પ્રકાશ નારાયણ ઈન્દિરા ગાંધી વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરવા સંમત થયા અને તેમણે સંપૂર્ણ ક્રાંતિનો ખ્યાલ આપ્યો જે કટોકટીમાં પરિણમ્યો. ત્યાર બાદ જનતા મોર્ચો જનતા પક્ષમાં પરિવર્તિત થયો અને 1977માં ભારતની સામાન્ય ચૂંટણી પછી સૌપ્રથમ વખત બિન-કોંગ્રેસી સરકાર આવી અને મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા હતા. નવનિર્માણ આંદોલને સરકારને રાજીનામું આપવાની ફરજ પાડીને લોકશક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતી સહિત ત્રણ વકીલોએ પાડ્યા હતા દેશના ભાગલા ?

Latest News Updates

ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">