JUNAGADH : કેશોદમાં 10 તોલા સોનાની ચોરી, સીસીટીવીમાં કેદ થયા તસ્કરો
કેશોદમાં 10 તોલા સોનાની ચોરી થઈ ગઈ. આ ચોરી સોનું રિફાઈન કરનાર વેપારીને ત્યાં થઈ છે. સોમનાથ રિફાઈનરીના માલિક મરાઠા સદાશિવ કુંડલીકને ત્યાંથી અજાણ્યા શખ્સો 5 લાખનું સોનું ચોરીને ફરાર થઈ ગયા છે.
JUNAGADH : જિલ્લાના કેશોદમાં 10 તોલા સોનાની ચોરી થઈ ગઈ. આ ચોરી સોનું રિફાઈન કરનાર વેપારીને ત્યાં થઈ છે. સોમનાથ રિફાઈનરીના માલિક મરાઠા સદાશિવ કુંડલીકને ત્યાંથી અજાણ્યા શખ્સો 5 લાખનું સોનું ચોરીને ફરાર થઈ ગયા છે. કારીગરે બે વર્ષથી કુંડળીમાં એકઠું કરેલું દસ તોલા જેટલું સોનું જોવા ન મળતાં વેપારીના હોશ ઉડી ગયા હતા. તેણે કેશોદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તપાસમાં આરોપીઓના CCTV ફૂટેજ હાથ લાગ્યા છે. જેમાં આરોપીઓને મુદ્દામાલ લઈ જતા જોઈ શકાય છે. હાલ તો પોલીસે આ સીસીટીવી ફુટેજને આધારે તપાસ આરંભી દીધી છે. અને, આરોપીને પકડવાની કવાયત આદરી છે.
Latest Videos
Latest News